android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana : સતલાસણાના બેડસ ગામે વરઘોડામાં બબાલ, ગામમાં બેન્ડવાજા વગાડવા, વરઘોડાને લઇ તકરાર થયા બાદ પથ્થરમારો
calendar_today January 24, 2026

Mehsana : સતલાસણાના બેડસ ગામે વરઘોડામાં બબાલ, ગામમાં બેન્ડવાજા વગાડવા, વરઘોડાને લઇ તકરાર થયા બાદ પથ્થરમારો

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બેડસ ગામમાં લગ્નનોવરઘોડો નીકળવા બદલ માથાકૂટ થઇ હતી જેમાં ભારે બબાલ થતા સામ સામે પથ્થરમારો થયો હતો. બનાવમાં એક મહિલા ઘાયલ થઇ હોવાનું જાણવા મળે છે. વરઘોડામાં બેંડ વગાડવા અને વરઘોડો નિકળવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલીમળેલી માહિતી પ્રમાણે ગામમાં વરઘોડામાં બેંડ વગાડવા અને વરઘોડો નિકળવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો બંને જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો ચાલુ વરઘોડામાં જ આ મુદ્દે ભારે બોલાચાલી થયા બાદ હંગામો મચ્યો હતો અને બંને જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો ઘટનામાં એક મહિલા ઘાયલ પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં પોલીસ તત્કાળ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલો સંભાળી લીધો હતો. પોલીસ તપાસ શરુ ઘટનાના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. મામલો શું હતો અને કઇ રીતે બનાવ બન્યો તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ શરુ થઇ છે. આ પણ વાંચો-----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

Read Full Story arrow_forward
Meghrajના ઇપલોડાના સરપંચને લઇ મોટો વિવાદ, સરપંચને ત્રણ સંતાનો હોવાની અરજી TDOને મળી, ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો
calendar_today January 24, 2026

Meghrajના ઇપલોડાના સરપંચને લઇ મોટો વિવાદ, સરપંચને ત્રણ સંતાનો હોવાની અરજી TDOને મળી, ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો

મેઘરજ તાલુકાના ઈપલોડા ગ્રામ પંચાયતના સરપંચ નયનાબેન જયેશભાઈ પટેલ સામે ત્રણ સંતાનોના મુદ્દાને લઇ નવો વિવાદ ઊભો થયો છે.TDOને મળેલી અરજીમાં તેમને ત્રણ સંતાનો હોવાનો આક્ષેપ સરપંચ સામે TDOને મળેલી અરજીમાં તેમને ત્રણ સંતાનો હોવાનો આક્ષેપ કરાયો છે જેના આધારે તંત્ર દ્વારા પુરાવા સાથે હાજર રહેવા સરપંચને નોટિસ ફટકારાઈ છે. સરપંચ બંને દિવસ ઘેર હાજર રહ્યા સરપંચને તા. 19 અને 22 જાન્યુઆરીએ હાજર રહેવાની નોટિસ જાહેર કરવામાં આવી હતી, પરંતુ સરપંચ બંને દિવસ ઘેર હાજર રહ્યા હતા સરપંચે 45 દિવસની રજાનો તાલુકા પંચાયતમાં રીપોર્ટ મુકેલો છે તંત્રના જણાવ્યા અનુસાર, સરપંચ હાલમાં 45 દિવસની રજામાં છે અને રજા પૂર્ણ થયા પછી મામલાની સુનાવણી અને તપાસ હાથ ધરાશે. સરપંચ નયનાબેન જયેશભાઈ પટેલે 45 દિવસની રજાનો તાલુકા પંચાયતમાં રીપોર્ટ મુક્યો છે પંથકમાં ચર્ચાનો વિષય સરપંચના સંતાન વિવાદ અંગે ઈપલોડા, સીસોદરા અને પીસાલ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચાર વર્ષ પછી ઉઠેલા આ પ્રશ્નથી ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.આ પણ વાંચો-----     Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

Read Full Story arrow_forward
Banaskantha News : વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે થરાદ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું
calendar_today January 24, 2026

Banaskantha News : વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે થરાદ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું

આ પ્રસંગે અધ્યક્ષે ભારતીય સૈન્ય અને સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી હતી અને પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના શસ્ત્ર પ્રદર્શનો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ વધે છે તેમજ દેશના સશસ્ત્ર દળો પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બને છે. આ શસ્ત્ર પ્રદર્શન લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અધ્યક્ષે ખાસ કરીને વાલીઓને બાળકો સાથે આવી પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી, જેથી આગામી પેઢીમાં દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વિકસે. ઉલ્લેખનીય છે કે, સરહદી વિસ્તાર એવા વાવ-થરાદ ખાતે યોજાનારી આ રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે. આ પણ વાંચો : Surat News : સુરતમાં સરસ્વતી પૂજાના પવિત્ર કાર્યક્રમમાં "ડાન્સરોએ" સ્ટેજ પર ઠુમકા લગાવ્યા, લોકોએ નોટો ઉડાવી ડાન્સરોને કરી ખુશ

Read Full Story arrow_forward