android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સિવિલ હોસ્પિટલના ડો.રાકેશ જોષી અને અમેરિકાના ડો.અસીમ શુક્લા દ્વારા બાળકોની જટિલ સર્જરી પર પુસ્તક પ્રકાશિત
calendar_today January 24, 2026

Ahmedabad News : સિવિલ હોસ્પિટલના ડો.રાકેશ જોષી અને અમેરિકાના ડો.અસીમ શુક્લા દ્વારા બાળકોની જટિલ સર્જરી પર પુસ્તક પ્રકાશિત

તબીબી ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ જોડાઈ છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી અને અમેરિકાની સીનસીનાટી ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. અસીમ શુક્લાએ બે વર્ષની જહેમત બાદ બાળકોમાં જોવા મળતી 'બ્લેડર એક્સટ્રોફી' અને પેશાબ માર્ગની જટિલ સર્જિકલ બીમારીઓ પર ડોક્ટરો માટે અત્યંત ઉપયોગી પુસ્તક તૈયાર કરી પ્રકાશિત કર્યું છે. 22 વર્ષ બાદ આ વિષય પર વિશ્વને આવું વ્યાપક પુસ્તક પ્રાપ્ત થયું છે 18 વર્ષના લાંબા બ્લેડર એક્સટ્રોફી વર્કશોપના અનુભવોના નિચોડ સમાન આ પુસ્તક નવા ઉભરતા પીડિયાટ્રિક સર્જનોને જટિલ બીમારીઓ ધરાવતા બાળકોની સારવારમાં પથદર્શક બનશે. વૈશ્વિક ખ્યાતિ ધરાવતા પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ ડો. પી.પી. સાલે, પૌલ મેરગુરિયન, પ્રમોદ રેડ્ડી, દાના વેઇસ અને ડો. અસીમ શુક્લા સાથે સિવિલ અમદાવાદના ડો. રાકેશ જોષી અને ડો. જય રામજીના સહયોગથી ૨૨ વર્ષ બાદ આ વિષય પર વિશ્વને આવું વ્યાપક પુસ્તક પ્રાપ્ત થયું છે. આંતરરાષ્ટ્રીય પ્રતિસાદને ધ્યાનમાં રાખીને 450 પાનાનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૧૮ વર્ષથી આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ સાથે ચાલતા બ્લેડર એક્સટ્રોફી સર્જિકલ વર્કશોપની સફળતા અને આંતરરાષ્ટ્રીય પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ ૪૫૦ પાનાનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના સર્જનોને આધુનિક સારવાર પદ્ધતિઓથી માહિતગાર કરવાનો છે. આ પુસ્તકમાં વિશ્વભરના અગ્રણી ડોક્ટરો દ્વારા ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સમયે જન્મજાત ખામીઓના નિદાન, તેના આનુવંશિક જોખમો અને ખામીઓને સુધારવા માટેના આધુનિક સર્જિકલ અભિગમોને વિસ્તારપૂર્વક આવરી લેવામાં આવ્યા છે. સંશોધન ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થશે વધુમાં, ઓપરેશન બાદનો દુખાવો ઘટાડવા, દર્દીને ઓછામાં ઓછું હોસ્પિટલમાં રોકાવું પડે અને કોસ્મેટિક રીતે પણ સર્જરી બાદ બાળકનો દેખાવ સુધરે તેવી નવીન સર્જિકલ ટેકનીકોની વિગતો આ પુસ્તકને વિશ્વભરના બાળ યુરોલોજિસ્ટ માટે વિશેષ બનાવે છે. આ પુસ્તક બાળકોમાં પેશાબ માર્ગની જટિલ સર્જિકલ બીમારીઓની સારવાર અને સંશોધન ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવો વિશ્વાસ ડો. રાકેશ જોષીએ વ્યક્ત કર્યો હતો. આ પણ વાંચો : Banaskantha News : વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે થરાદ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું

Read Full Story arrow_forward
Gandhinagar News : વસ્તી ગણતરીનો શંખનાદ, મકાનોની ગણતરીથી થશે પ્રક્રિયાનો પ્રારંભ, જાણો શું છે નવી રજૂઆતો
calendar_today January 24, 2026

Gandhinagar News : વસ્તી ગણતરીનો શંખનાદ, મકાનોની ગણતરીથી થશે પ્રક્રિયાનો પ્રારંભ, જાણો શું છે નવી રજૂઆતો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વસ્તી ગણતરીની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત મુખ્ય વસ્તી ગણતરી પહેલા મકાનોની ગણતરી કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર સજ્જ થઈ રહ્યું છે, ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકાર સમક્ષ 13 મુદ્દાઓ પર મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. સંઘની મુખ્ય માંગ છે કે વસ્તી ગણતરીની કામગીરીમાં માત્ર શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય 26 સરકારી વિભાગોના કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવે, જેથી શૈક્ષિક કાર્યમાં અવરોધ ન આવે અને કામનું ભારણ વહેંચાઈ શકે.વહીવટી સંકલન પર ભાર શૈક્ષિક સંઘે કર્મચારીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા માંગ કરી છે કે આ કપરી કામગીરીમાં રોકાયેલા સહાયકો અને શિક્ષકોને 2 કરોડ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવે. આ ઉપરાંત, રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે કામગીરી દરમિયાન સંકલનના અભાવે કોઈ અરાજકતા ન સર્જાય અને કર્મચારીઓ સામે સીધા 'વોરંટ' ઇશ્યુ ન કરવામાં આવે તે જરૂરી છે. સંઘે મકાનોની ગણતરી અને ડેટા એન્ટ્રીની પ્રક્રિયામાં ટેકનિકલ સહાય અને પૂરતી સુવિધાઓ આપવાની પણ રજૂઆત કરી છે, જેથી રાષ્ટ્રીય મહત્વની આ કામગીરી નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. આ પણ વાંચો : Gandhinagar News : અંબાલાલ પટેલની મોટી આગાહી, ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની દસ્તક, ખેડૂતોની ચિંતામાં વધારો

Read Full Story arrow_forward
Tarapur નગરપાલિકાને સ્ટ્રીટ લાઇટનું બિલ ભરવા દાન લેવું પડ્યું, વિદેશમાં રહેતા વ્યક્તિએ 20 લાખ આપ્યા ત્યારે બિલ ભરાયું
calendar_today January 24, 2026

Tarapur નગરપાલિકાને સ્ટ્રીટ લાઇટનું બિલ ભરવા દાન લેવું પડ્યું, વિદેશમાં રહેતા વ્યક્તિએ 20 લાખ આપ્યા ત્યારે બિલ ભરાયું

તારાપુર નગરપાલિકાને સ્ટ્રીટ લાઈટના 55 લાખ રૂપિયાના બાકી બિલ ભરવા માટે દાન લેવું પડ્યું હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. નગરપાલિકાને 20 લાખ રૂપિયાની રકમ માટે સ્થાનિક અને વિદેશમાં રહેતા વ્યક્તએ દાન આપ્યું હતું. હપ્તાથી બિલ ભરવાની વ્યવસ્થા કરાઇ હતી મળેલી માહિતી પ્રમાણે નગરપાલિકા સમયે કુલ 55 લાખ રૂપિયાનું હતું બિલ બાકી હતું. ત્યારબાદ કોર્ટમાં કેસ જતા હપ્તાથી બિલ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રકમ દાન સ્વરૂપે મેળવી નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ બિલ ભરાયું આ દરમિયાન 15 લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હતી અને બાકીની રકમ દાન સ્વરૂપે મેળવી નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટ બિલ ભરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર અને ધારાસભ્યએ દાનનો ચેક સ્વીકાર્યો ચેક સ્વીકારવા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય વિપુલ પટેલ પણ હાજર રહ્યા હતા.આ પણ વાંચો----     Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

Read Full Story arrow_forward