android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dwarka News : દ્વારકાના અલગ-અલગ 21 ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ લગાવાયો, ગેરપ્રવૃત્તિ અને શાંતિ ભંગ ન થાય તે માટે કલેકટરનો નિર્ણય
calendar_today January 24, 2026

Dwarka News : દ્વારકાના અલગ-અલગ 21 ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ લગાવાયો, ગેરપ્રવૃત્તિ અને શાંતિ ભંગ ન થાય તે માટે કલેકટરનો નિર્ણય

દ્વારકામાં સુરક્ષા કારણોસર કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે, નરારા ટાપુ પર લેખિત પરવાનગીમાંથી મુક્તિ અપાઈ છે અને ગેરપ્રવૃત્તિ અને શાંતિ ભંગ ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યા છે. ટાપુઓ પરથી થતી ગેકપ્રવૃતિઓને ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અગાઉ પણ આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. દ્વારકાના 2 ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 21 ટાપુઓ પર અવરજવર માટે મનાઇ ફરમાવતુ જાહેરનામું તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે, ભારતની પશ્રિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગર કાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. અને જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે જેમાં માત્ર 2 ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે. 22 ટાપુઓ પર માનવ માનવ વસાહત રહિત છે જેમાં નરારા ટાપુ પર સુધારેલા જાહેરનામામાં લેખિત પરવાનગીમાંથી મુક્તિ આપવામાં આવી છે. દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર અવર-જવર પર પ્રતિબંધ લગાવાયો નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અવર જવર કરતા હોય છે અને શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મળ્યો મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતા નકારી શકાય નહીં. ત્રાસવાદી જુથો સંગઠનો દ્વારા દેશના મહત્ત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શક્યતા રહેલી છે. ગેર પ્રવૃતિઓના કારણે જન સલામતીના જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર નામું પ્રસિદ્ધ કરી દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર તારીખ 21 જાન્યુઆરી થી તારીખ 25 માર્ચ સુધી અવર જવર પર રોક લગાવી. આ પણ વાંચો : Bhavnagar News : બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો કેસ, 1 ફેબ્રુઆરીએ કોળી સમાજની ન્યાય મહાસભા યોજાશે

Read Full Story arrow_forward
Ahmedabad News : નવરંગપુરાના PGમાં રહેતી યુવતીને લગ્નની જાળમાં ફસાવી યુવકે આચર્યું દુષ્ક, પોલીસે ફરિયાદ નોંધી
calendar_today January 24, 2026

Ahmedabad News : નવરંગપુરાના PGમાં રહેતી યુવતીને લગ્નની જાળમાં ફસાવી યુવકે આચર્યું દુષ્ક, પોલીસે ફરિયાદ નોંધી

અમદાવાદના એજ્યુકેશન હબ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં એક યુવતી સાથે વિશ્વાસઘાત અને દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક PG (પેઈંગ ગેસ્ટ)માં રહીને પોતાનું ભવિષ્ય બનાવતી યુવતીને એક યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે યુવતીને વિશ્વાસમાં લઈ લગ્ન કરવાની ખોટી લાલચ આપી હતી અને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે યુવકે પીછેહઠ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.પ્રેમનો દેખાડો અને પછી બળાત્કાર યુવતીએ આખરે હિંમત દાખવી નવરંગપુરા પોલીસ મથકે નરાધમ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે આરોપીએ તેને લગ્નના પવિત્ર બંધનમાં બંધાવાનું વચન આપીને તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી મેડિકલ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. આ પણ વાંચો : Surat News : પાંડેસરામાં પાડોશી યુવકે 14 વર્ષની કિશોરીની આબરૂ લૂંટી, પોલીસે નરાધમને દબોચ્યો

Read Full Story arrow_forward
Amreli News : અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો,‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ થઈ
calendar_today January 24, 2026

Amreli News : અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો,‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ થઈ

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી 'સરપ્રાઈઝ ગિફ્ટ'ના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલા આરોપીને અદાલતે ૭ વર્ષની કેદની મહત્તમ સજા અને દંડ ફટકાર્યો છે. બનાવની હકીકત એવી હતી કે, જૂન ૨૦૨૩માં ફરિયાદી પિયુષભાઈ થુંમર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી નાઇજીરીયન મહિલા આરોપીએ પોતાની ઓળખ વિદેશી મિત્ર તરીકે આપી હતી. ગૂગલ લોગિન વિગતોના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરાયું લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની લાલચ આપી, 'Skye Elite Logistics' નામની નકલી કુરિયર સર્વિસના ઈમેઈલ અને વિવિધ મોબાઈલ નંબરો દ્વારા ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કસ્ટમ ડયુટી, ઇન્કમ ટેક્સ અને કરન્સી કન્વર્ઝન જેવા ખોટા બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂ. ૧૪,૦૯,૦૦૦ પડાવી લેવામાં આવ્યા હતા. અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ કેસમાં અત્યંત જટિલ અને ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુનામાં ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તપાસીને શંકાસ્પદ મોબાઈલ નંબરોના CDR/SDR અને ગૂગલ લોગિન વિગતોના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરાયું. આરોપી દ્વારા અપાયેલા તમામ દસ્તાવેજો નકલી હતા જેમાં ઇન્ટરનેશનલ કનેક્શન બહાર આવ્યું. તપાસમાં ખુલેલું કે આરોપીએ ગુરુગ્રામ (હરિયાણા) ખાતે નકલી પાસપોર્ટ પર ટાટા પ્લે બ્રોડબેન્ડ કનેક્શન મેળવી આ કૌભાંડ આચર્યું હતું. સાયબર ટીમ દ્વારા ગુરુગ્રામથી આરોપીની ધરપકડ કરી, તેની પાસેથી ૬ મોબાઈલ ફોન, ૧ લેપટોપ અને ૨ બોગસ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફોરેન્સિક સાયન્સ લેબ ગાંધીનગરના રિપોર્ટ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી સાબિત કરવામાં આવ્યું કે આરોપી દ્વારા અપાયેલા તમામ દસ્તાવેજો નકલી હતા. નામદાર કોર્ટ, અમરેલીએ આ કેસમાં મહત્વનો આદેશ આપ્યો જેમાં આરોપીને IPCની કલમ ૪૨૦ હેઠળ ૭ વર્ષની સાદી કેદ અને દંડ, તેમજ કલમ ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ડી) હેઠળ દોષિત ઠેરવવામાં આવી છે. સરકારી વકીલશ્રી દ્વારા રજૂ કરાયેલા ૧૧ સાક્ષીઓ અને ૧૪૨ દસ્તાવેજી પુરાવાઓ તેમજ NCRBના ડેટા સાથેની ધારદાર રજૂઆતના આધારે અદાલતે આ કડક સજા ફટકારી છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતની જનતાની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા માટે અમારી પોલીસ સજ્જ છે. આ ચુકાદો સાયબર ગુનેગારો માટે એક કડક ચેતવણી સમાન છે. ગમે તેટલો શાણો ગુનેગાર હોય, તે પોલીસની નજરથી બચી શકશે નહીં. હરિયાણાથી આરોપીને પકડી લાવી સજા અપાવવી એ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા દર્શાવે છે અમે નાગરિકોને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ આપવા કટિબદ્ધ છીએ. કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું છે કે, મજબૂત ઇન્વેસ્ટિગેશન અને અસરકારક કાયદાકીય રજૂઆતને કારણે આ ઐતિહાસિક સજા શક્ય બની છે. નકલી દસ્તાવેજો અને વિદેશી ઓળખ પાછળ છુપાયેલા ગુનેગારને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. આ કેસમાં તપાસ કરનાર અમરેલી પોલીસની સમગ્ર ટીમ અને ન્યાયપાલિકા સાથે સંકળાયેલી સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી તેમજ કાયદા રાજ્ય મંત્રીએ અભિનંદન પાઠવ્યા છે. આ પણ વાંચો : Dwarka News : દ્વારકાના અલગ-અલગ 21 ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ લગાવાયો, ગેરપ્રવૃત્તિ અને શાંતિ ભંગ ન થાય તે માટે કલેકટરનો નિર્ણય

Read Full Story arrow_forward