Surendranagar: ભાણેજનું કરતૂત : મામાના દિકરાને મોતને ઘાટ ઉતાર્યો
કહેવત છે ને કે પાપ છાપરે ચડીને જ પોકારે એવી જ એક શરમજનક ઘટના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે બની છે.વાંકાનેરના નવા ઢુવાના રહીશ દિવ્યરાજસીહ ગંભીરસિંહ જાડેજા ધ્રાંગધ્રાના જીવા ગામે મામા સુખદેવસિંહ ઝાલાના ઘેર ઘણા સમય ભણવા માટે રહયા બાદ કચ્છ જતા રહયા હતા. બીજી તરફ જીવા ગામે મામાના દીકરા યુવરાજસીહ ઝાલા પોલીસમાં ભરતી માટે તૈયારી કરી રહયા હોઇ દરરોજ વહેલી સવારે દોડવા જતા હતા. દોડતા સમયે વહેલી સવારે અજાણ્યા વાહનની ટકકર લાગતા તાત્કાલીક હોસ્પીટલ લઇ જતા મોત થતા પરીવારજનોએ પોલીસને અકસ્માતે મોત થયાની ફરીયાદ નોંધાવી હતી. પરંતુ વિજિલન્સમાં ફરજ બજાવી આવેલા ધ્રાંગધ્રા તાલુકા પીઆઇએન.એચ.ચુડાસમાને મોત અંગે શંકા જતા એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જે. ડી. પુરોહીત સાથે સંકલન રાખી ગુપ્તરાહે તપાસ શરૂ કરી હતી. પ્રથમ બાજુના ચુલી ગામના સીસીટીવી કેમરા ચકાસતા વહેલી સવારે સ્પીડમાં જીવા જઇ પરત આવતી બોલેરો કાર દેખાતા શંકા પ્રબળ બની હતી. જેથી હળવદ ચોકડી સીસીટીવી ચેક કરતા પણ આ બોલેરો પાસે બે શખ્સો દેખાતા વીડીયો બતાવી જીવાના બે ત્રણ લોકોને બતાવતા મૃતકના ભાણુભા હોવાનું બતાવતા પોલીસે બંનેને લાવી પુછપરછ કરતા ભાણેજના ભાઇએ આત્મહત્યા કરી એના માટે યુવરાજસીહને જવાબદાર ગણતો અને યુવરાજસીહ ભાણેજ ઉપર વહેમ રાખતો હોવાની દાઝ રાખી ઠપકો આપ્યો હોવાથી હત્યાની કબુલાત કરી હતી. પોલીસે ભાણેજ દિવ્યરાજસીહ અને તેના સાથી મિત્ર મયુર ઘનશ્યામભાઇ દૂધરેજીયા રહે. મોરબી બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મળતા વધુ તપાસ આદરી છે.જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવેલ કે વાહનની ટકકરે યુવકનું મોત થતા પરીવારે પણ અકસ્માતે મોત થયાની ફરીયાદ નોંધાવી હતી. પરંતુ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઝીણવટભરી ગુપ્ત રાહે તપાસ કરી અકસ્માતે મોતનો ભેદ ઉકેલી હત્યાનો ખુલાસો કરી હત્યાનો ગુનો દાખલ કરી બંને આરોપીને પણ ઝડપી લોકઅપ ભેગા કર્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward