Rajkot News: 'સંદેશ ન્યૂઝ'ના અહેવાલની જોરદાર અસર, ગોંડલ ચોકડી બ્રિજની જોખમી તિરાડોનું રીપેરીંગ શરૂ
રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર પડેલી જોખમી તિરાડો અંગે 'સંદેશ ન્યૂઝ' દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. 2023માં અંદાજે 90 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ફ્લાયઓવર બ્રિજ પર ત્રણથી ચાર ઇંચ જેટલી મોટી અને જોખમી તિરાડો જોવા મળી હતી. આ તિરાડોને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી હતી.ગોંડલ ચોકડી બ્રિજની જોખમી તિરાડ પુરવામાં આવી'સંદેશ ન્યૂઝ' દ્વારા જનતાના આ પ્રશ્નને વાચા આપી તંત્રની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી હતી. અહેવાલ પ્રસારિત થતાની સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) નું તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બ્રિજ પરની આ જોખમી તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બ્રિજની સુરક્ષા ચકાસી કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જોખમી તિરાડનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યુંઅહેવાલની અસરને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્ર બે વર્ષ પહેલાં જ બનેલા બ્રિજમાં આટલી મોટી તિરાડો પડતા બાંધકામની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. 90 કરોડના ખર્ચે બનેલા બ્રિજની આ હાલતને લઈને સ્થાનિકોમાં રોષ હતો, પરંતુ 'સંદેશ ન્યૂઝ'ની પહેલ બાદ સમારકામ શરૂ થતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં બ્રિજ પર રીપેરીંગ કામ ચાલુ હોવાથી ટ્રાફિકનું નિયમન કરવામાં આવી રહ્યું છે અને વહેલી તકે કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward