android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
“સંત પાસે કોઈ મિલકત નથી” સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નામ લીધા વિના CM યોગીના કડક પ્રહારો
calendar_today January 22, 2026

“સંત પાસે કોઈ મિલકત નથી” સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નામ લીધા વિના CM યોગીના કડક પ્રહારો

પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને મેળા વહીવટીતંત્ર વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા તેમને બીજી નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો નિયમોનું પાલન નહીં થાય તો તેમને મેળામાં હાજરી આપવાથી રોકી શકાય છે. કોઈનું નામ લીધા વિના તીખી પ્રતિક્રિયા આપી આ વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે કોઈનું નામ લીધા વિના તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે યોગી, સંત કે સંન્યાસી માટે કોઈ વ્યક્તિગત મિલકત હોતી નથી. ધર્મ જ તેમની સાચી મિલકત છે અને રાષ્ટ્ર તેમનું આત્મસન્માન છે. તેમણે આ પણ ચેતવણી આપી કે ધર્મના નામે સનાતન પરંપરાને નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આવા “કાલ-નેમી” લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. બીજી નોટિસનો જવાબ બીજી તરફ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ન્યાયિક અધિકારી દ્વારા મોકલાયેલી બીજી નોટિસનો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે પાલકી સવારી સનાતન પરંપરાનો અભિન્ન ભાગ છે, જે લગભગ 2,500 વર્ષ જૂની છે અને આદિ શંકરાચાર્યના સમય પહેલાંથી ચાલી આવી છે. તેમના મતે, આ પરંપરાને રોકવી એ શંકરાચાર્યની ગરિમા અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.  ગુનેગારો જેવી રીતે જાહેરમાં પરેડ સ્વામીજીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમના અનુયાયીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, પોલીસ દ્વારા તેમને ખેંચવામાં આવ્યા અને ગુનેગારો જેવી રીતે જાહેરમાં પરેડ કરાવવામાં આવી. તેમણે એવો પણ આરોપ કર્યો કે પાલકી જાણબૂઝીને જોખમી સ્થળે લઈ જવામાં આવી અને તેને નદીમાં ફેંકવાનો પ્રયાસ થયો, જે હત્યાના પ્રયાસ સમાન છે. તેમના શબ્દોમાં, “આ ધાર્મિક લાગણીઓ પર સીધો હુમલો છે.” મેળાના કેમ્પને હટાવવાના મુદ્દે તેમણે કડક ભાષામાં કહ્યું કે સરકાર પાસે ફક્ત બુલડોઝર છે અને જો ઇચ્છે તો તે તેમના કેમ્પ પર ચલાવી શકે. તેઓ ફૂટપાથ પર બેસીને પણ પોતાના ધર્મ અને પરંપરાની રક્ષા કરશે. આ  પણ વાંચો : Magh Mela સત્તાવાળાની કડક કાર્યવાહી, અવિમુક્તેશ્વરાનંદને બીજી નોટિસ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : પોલીસ ભરતી બોર્ડની લાલ આંખ, પરીક્ષા પહેલા જ 7 ઉમેદવારોને કર્યા ગેરલાયક
calendar_today January 22, 2026

Gujarat Latest News Live : પોલીસ ભરતી બોર્ડની લાલ આંખ, પરીક્ષા પહેલા જ 7 ઉમેદવારોને કર્યા ગેરલાયક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Chhota Udepur : બેરીકેટિંગ તોડી ફરાર થયેલ દારૂની XUVના ચાલકને પાવી જેતપુર પોલીસે ઝડપી પાડ્યો
calendar_today January 22, 2026

Chhota Udepur : બેરીકેટિંગ તોડી ફરાર થયેલ દારૂની XUVના ચાલકને પાવી જેતપુર પોલીસે ઝડપી પાડ્યો

પાવી જેતપુર પોલીસે બેરીકેટિંગ તોડી ફરાર થયેલ દારૂની ગાડીના ચાલકને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.બેરીકેટિંગ તોડી ખેપિયો ફરાર થયો હતો બે દિવસ પહેલા પાવી જેતપુર વન કુટીર પાસે વિદેશી દારૂ ભરેલ XUV ગાડી દ્વારા બેરીકેટિંગ તોડી ખેપિયો ફરાર થયો હતો.  XUV ગાડીના માલિકને નિવેદન માટે બોલાવી પૂછપરછ કરી ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પાવી જેતપુર પોલીસે XUV ગાડીના માલિકને નિવેદન માટે બોલાવી પૂછપરછ કરી હતી. ડ્રાઇવરની ધરપકડ પૂછપરછ દરમિયાન આરોપી ડ્રાઇવર વિશે મહત્વની માહિતી મળતા તેની ધરપકડ કરવામાં આવી હતી. દારૂની તસ્કરી અંગે વધુ તપાસ પોલીસે XUV ગાડીના ડ્રાઇવર જીગર ભરતભાઈ પરમાર, રહેવાસી તરસાલી, વડોદરાની ધરપકડ કરી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દારૂની તસ્કરી અંગે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.આ પણ વાંચો-----    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

Read Full Story arrow_forward