android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ સુરત અવ્વલ
calendar_today January 21, 2026

Surendranagar: આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ સુરત અવ્વલ

રાજયની વિવિધ જિલ્લા પંચાયતો વચ્ચે દર વર્ષે સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે. ત્યારે આ વર્ષે આ ટુર્નામેન્ટની યજમાની જામનગર જિલ્લા પંચાયતે કરી હતી. આ ટુર્નામેન્ટમાં રાજયની 29 જિલ્લા પંચાયતો વચ્ચે 38 મેચ રમાઈ હતી. જેમાં તા. 19મીના રોજ યોજાયેલ ફાઈનલ મેચમાં આણંદને હરાવી સુરતની ટીમ વિજેતા બની હતી.ત્રિસ્તરિય પંચાયત રાજના પ્રણેતા એવા સ્વ. બળવંતરાય મહેતાની યાદમાં દર વર્ષે રાજયની વીવીધ જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે. ત્યારે આ વર્ષે 33મી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જામનગર ખાતે કરાયુ હતુ. તા. 13મી જાન્યુઆરી શરૂ થયેલ આ ટુર્નામેન્ટમાં રાજયની 29 જિલ્લા પંચાયતોની ટીમ જોડાઈ હતી. જેમાં 29 ટીમો વચ્ચે 38 મેચો રમાઈ હતી. આ ટુર્નામેન્ટની તા. 19મીના રોજ ફાઈનલ મેચ રમાઈ હતી. ફાઈનલ મેચમાં આણંદ અને સુરત જિલ્લા પંચાયતની ટીમ આમને સામને હતી. જેમાં આણંદ જિલ્લા પંચાયતની ટીમે પ્રથમ દાવ લઈ નિર્ધારીત 20 ઓવરમાં 120 રન કર્યા હતા. અને 121 રનના લક્ષ્યાંક સાથે ઉતરેલી સુરતની ટીમે 19.5 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગરની ટીમના કેપ્ટન મયુરધ્વજસીંહ ઝાલાની આગેવાનીમાં સુરેન્દ્રનગરની ટીમ સતત 3 વિજય બાદ કવાર્ટર ફાઈનલમાં ગત વર્ષની ચેમ્પીયન મહેસાણાની ટીમ સામે હારી હતી. જોકે, ટોપની 8 ટીમોમાં સમાવેશ થતા સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પીયન ટ્રોફી માટે સીલેકટ થઈ છે. બીજી તરફ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 209 રન સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમના વિવેક વાઘેલાએ બનાવતા તેઓને બેસ્ટ બેટસમેન ઓફ ધી ટુર્નામેન્ટ જાહેર કરાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: જિલ્લા આરોગ્ય વિભાગની મનમાની, સોનોગ્રાફી મશીન સીલ કરીને કારણદર્શન નોટિસ આપી !
calendar_today January 21, 2026

Surendranagar: જિલ્લા આરોગ્ય વિભાગની મનમાની, સોનોગ્રાફી મશીન સીલ કરીને કારણદર્શન નોટિસ આપી !

થાનગઢની એકમાત્ર સોનોગ્રાફી મશીન ધરાવતી હોસ્પિટલના ડોકટરની કે સોનોગ્રાફીમાં ખામીની કોઇપણ દર્દીની ફરિયાદ વગર કે નોટીસ આપ્યા વગર જ જિલ્લા આરોગ્ય અધિકારીએ તાત્કાલિક મશીન સીલ કરી દેતા બુધવારે થાન સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક સર્ગભા સહિત અન્ય મહિલા દર્દીઓ હોસ્પિટલ આવી સારવાર નહીં થઇ શકતા અને ધરમધક્તો થતા જિલ્લા આરોગ્ય વિભાગની મનસ્વી કામગીરી સામે શાબ્દિક બળાપો ઠાલવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર પીસી પીએનડીટી કાયદાનો જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ અને પ્રોગ્રામ આસીસ્ટન્ટ ગૌરાંગ જોષી ડોકટરોને ખોટી રીતે દબાવવાનો પ્રયાસ કરે છે. થાનગઢમાં આર્શીવાદ હોસ્પિટલ અને સાર્વજનીક હોસ્પિટલમાં લાંબા સમયથી ડોકટર વગર સોનોગ્રાફી થઇ રહી હતી. એમ છતાય જિલ્લા આરોગ્ય વિભાગે કોઇ પણ કાર્યવાહી ન કરી અને ચોટીલા ડેપ્યુટી કલેકટરે રેડ કરી આરોગ્ય વિભાગને બોલાવી બંને મશીન સીલ કરી દીધા હતા. આ જોતા જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ત્યારે માં ચામુંડા હોસ્પિટલના ડોકટરની દીકરી થાનગઢ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. એકલવાયી રહે છે તેમજ પતિ સાથે કેસ ચાલે છે. એટલે પિતાની હોસ્પિટલ એક જ ગામમાં હોવાથી પિતા સાથે જમવા આવતી હોવાથી થોડીવાર હોસ્પિટલ બેસે એનુ આરોગ્ય વિભાગે ખોટુ અર્થઘટન કરી દીકરી સોનોગ્રાફી કરતી હોય એવા પુરાવા વગર બે દર્દીના નિવેદનના આધારે સોનોગ્રાફી મશીન સીલ કરી દીધુ. આ ડોકટર સામે સોનોગ્રાફી કરવામાં કોઇ ફરિયાદ આવી હોય એવી કોઇ ઘટના જ સામે આવી નથી. તેમ છતાંય જ્લ્લિા આરોગ્ય અધિકારી બી. જી. ગોહિલે તાનાશાહીની જેમ નોટીસ આપ્યા વગર જ સોનોગ્રાફી મશીન સીધુ સીલ કરી દેતા આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે. કારણ ચોટીલા નવી હોસ્પિટલના સોનોગ્રાફી મશીન માટે મંજૂરી માંગી ત્યારે જ આરોગ્ય વિભાગે સીલ કરવાની કાર્યવાહી કરતા ડોકટરની દીકરીનો પતિ સાથે ઝઘડો ચાલે છે. તેમનાં પતિ તન્મય ચુડાસમાની પણ ગાયનેક હોસ્પિટલ ચોટીલામાં જ છે અને દીકરીના પિતાએ નવી ગાયનેક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનની મંજૂરી માંગી છે. એને મંજૂરી મળે તો તન્મયની હોસ્પીટલમાં દર્દીની સંખ્યા ઘટે એટલે એના ઇશારે એ ચોટીલાના મશીનની મંજૂરી માંગી એ સમયે જ આરોગ્ય અધિકારી બી.જી.ગોહીલે મશીન સીલ કરાવતા આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થાય છે. બીજી તરફ થાનગઢમાં એક જ હોસ્પિટલમાં નિદાન માટે સોનોગ્રાફી મશીન હતુ. જે સીલ થતા અનેક સગર્ભા મહિલાઓ માટે જરૂરી તપાસ માટે રઝળપાટ કરવાનો કે અન્ય શહેર તરફ જવાનો વારો આવ્યો હતો. એથી રોષની લાગણી ઉઠવા પામી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: તરણેતર લક્કી ડ્રો કેસમાં મુખ્ય આરોપી પોલીસ મથકેથી ભાગી જતા દોડધામ
calendar_today January 21, 2026

Surendranagar: તરણેતર લક્કી ડ્રો કેસમાં મુખ્ય આરોપી પોલીસ મથકેથી ભાગી જતા દોડધામ

થાનગઢના તરણેતર લકકી ડ્રો કેસના મુખ્ય આરોપી રીમાન્ડ ઉપર હતા. આ દરમિયાન બુધવારે સવારે પેટમાં દુઃખાવો થાય તેમ કહીને લોકઅપમાંથી બહાર આવી પોલીસ મથકમાં હાજર સ્ટાફની નજર ચૂકવી નાસી જતા જિલ્લા પોલીસે શોધખોળ હાથ ધરી છે.થાનગઢ પાસે ગૌશાળા લાભાર્થે ડ્રો કરી લોકો સાથે કરેલી છેતરપિંડીના મુખ્ય આરોપી મહંત રામદાસ પોલીસ સ્ટેશનમાં રીમાન્ડ દરમ્યાન લોકઅપમાં હતા. બુધવારે વહેલી સવારે પીએસઓ હાજર હતા ત્યારે પેટમાં દુઃખાવો થતો હોવાનું બહાનુ બતાવી લોકઅપમાંથી બહાર આવ્યા હતા. ત્યારબાદ અચાનક નજર ચૂકવીને ભાગી જતા પીઆઇને જાણ કરી હતી. પોલીસે આજુબાજુમાં તપાસ કરતા નહી મળી આવતા જિલ્લા પોલીસની મદદથી ચારેબાજુ શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ રામદાસની હાલત જોતા પોલીસ સ્ટેશનથી તાત્કાલીક કોણ લઇ ગયુ એ પણ તપાસ ચાલી રહી છે. આમ ડ્રોના નામે છેતરપિંડીનો ખેલ કરવાના ગુનામાં મુખ્ય આરોપી પોલીસ સ્ટેશનથી ભાગી જતા પીએસઓ સહિતના જવાબદાર સામે કાર્યવાહીના એંધાણ વર્તાઇ રહયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward