android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: દેત્રોજ પોલીસે દારુના ગુનામાંથી બે વર્ષથી ચકમો આપી ફરાર આરોપીને ઝડપી પાડયો
calendar_today January 21, 2026

Mandal: દેત્રોજ પોલીસે દારુના ગુનામાંથી બે વર્ષથી ચકમો આપી ફરાર આરોપીને ઝડપી પાડયો

અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા અનુસંધાને પોલીસ વડાઓએ સુચના કરેલી જેથી દેત્રોજ પોલીસના પો.ઈ.એસ.એ.ગઢવી નાઓએ પોલીસની ટીમ બનાવી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી.જે દરમ્યાન પોલીસને હ્યુમન સોર્સના માધ્યમથી મળેલ ચોક્કસ બાતમીને આધારે દેત્રોજ પોલીસ સ્ટેશનના વર્ષ 2023ના પ્રોહી. ગુનાનો વોન્ટેડ આરોપી પ્રવિણસિંહ ઉર્ફે ગોવિંદસિંહ વિક્રમસિંહ ઝાલા રહે. ઝીંઝુવાડા, તા. દસાડા, જિ. સુરેન્દ્રનગર નાઓને દેત્રોજ તાલુકાના ભંકોડા ગામેથી દબોચી લેવામાં આવ્યો હતો. દેત્રોજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: નગરપાલિકા દ્વારા શહેરમાં 150થી વધુ અડચણરૂપ ગેરકાયદે દબાણો હટાવાયા
calendar_today January 21, 2026

Halvad: નગરપાલિકા દ્વારા શહેરમાં 150થી વધુ અડચણરૂપ ગેરકાયદે દબાણો હટાવાયા

હળવદ શહેરમાં પાછલા ઘણા સમયથી પાલિકાના તંત્રવાહકોની નજર સામે જ ગેરકાયદે કાચા અને પાકા દબાણોના રાફ્ડો ફટયો હતો. ત્યારે અચાનક શુરાતનમાં આવેલા પાલિકા તંત્ર દ્વારા 150થી વધુ દબાણકારોને નોટિસ આપ્યા બાદ બુધવારે સવારથી દબાણ હટાવ ઝુંબેશ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને હાથ ધરાઈ હતી. જેમાં 150થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે.હળવદમાં છેલ્લા ઘણા સમયથી દબાણોને કારણે રોડ ઉપર ટ્રાફ્કિ સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી હતી. ત્યારે પાલિકા દ્વારા દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરાતા બુધવારે સરા રોડ, રાણેકપર ચોકડી સહિતના રોડ ઉપર ડીમોલેશન હાથ ધરાયું હતું. જેમાં દુકાનોના નડતરરૂપ છાપરા, બોર્ડ, ઓટલા સહિતના 150થી વધુ દબાણો દૂર કરાયા હતા. દબાણ હટાવવાની કામગીરીમાં મામલતદાર અલ્પેશ ભટ્ટ, ચીફ્ ઓફ્સિર તુષાર ઝાલરીયા સહિતનો સ્ટાફ્ જોડાયો હતો દબાણ હટતા ટ્રાફ્કિની સમસ્યામાંથી નગરજનોને રાહત મળશે. પાલિકાના ચીફ્ ઓફ્સિર તુષાર ઝાલરિયાએ વધુમાં જણાવ્યું કે આવતા અઠવાડિયામાં સરા ચોકડીથી સરા નાકા સુધીના ગેરકાયદે દબાણ હટાવશે. ત્યારબાદ સરા નાકાથી જુની મામલતદાર કચેરી થઈ ત્રણ રસ્તા સુધીના દબાણ હટાવાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: એક સમયે મહેમાન માટે રાત્રિ રોકાણ પણ મુશ્કેલ હતું, કારણ પીવાના પાણીની સમસ્યા
calendar_today January 21, 2026

Dhandhuka: એક સમયે મહેમાન માટે રાત્રિ રોકાણ પણ મુશ્કેલ હતું, કારણ પીવાના પાણીની સમસ્યા

દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની વરણી પ્રસંગે યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યંત ભાવુક અને સંવેદનશીલ સંભારણું શેર કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય નેતા જે.પી. નડ્ડા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે વડાપ્રધાને પોતાના સમાજિક જીવનના દિવસોને યાદ કરતાં ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરની યાદોને શાબ્દિક રીતે વ્યક્ત કરી હતી.વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે તેઓ સમાજિક જીવનમાં સક્રિય હતા અને પ્રવાસ દરમિયાન ધંધૂકા આવતા, ત્યારે ધંધૂકાના લોકો ઘણીવાર તેમને રાત રોકાણ કરવાની ના પાડતા. આ બાબત તેમને આશ્ચર્યજનક લાગતી હતી. જ્યારે તેમણે લોકો પાસે તેનું કારણ પૂછયું, ત્યારે સ્થાનિક લોકોએ દીકરીને બંધુકે દેજો, પણ ધંધૂકે ના આપતાની કહેવત સાથે પીવાના પાણીની સમસ્યા અંગેની પીડા વ્યકત કરી હતી. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે આ કહેવત કોઈ મજાક નહીં, પરંતુ ધંધૂકામાં વર્ષો પહેલા રહેલી પાણીની વિકટ સમસ્યાની કડવી હકીકત સાથે જોડાયેલી હતી. પાણીની અછત એવી ગંભીર હતી કે લોકો માટે રોજિંદું જીવન જ મુશ્કેલ બનતું હતું અને આ પરિસ્થિતિએ લોકકહેવતનું સ્વરૂપ લઈ લીધું હતું. આ પ્રસંગે વડાપ્રધાનની વાત માત્ર એક સ્મૃતિ નહોતી, પરંતુ ધંધૂકા પંથકની ભૂતકાળની પીડા, લોકજીવનની વાસ્તવિકતા અને સમય સાથે બદલાતી સ્થિતિનું જીવંત ચિત્ર હતું. તેમની વાતે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ક્ષણભર માટે ભાવવિભોર કરી દીધા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward