Ahmedabad: હત્યાના ગુનાના આરોપી સાજન પટણીની જામીન અરજી કોર્ટે ફગાવી
શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરવાના કેસમાં પકડાયેલા આરોપી સાજન સંજયભાઈ પટણીની જામીન અરજી સેસન્સ કોર્ટે ફ્ગાવી દીધી છે.કોર્ટે અવલોકન કર્યું હતું કે, આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ ગંભીર ગુનો જણાય છે અને તેણે અન્ય આરોપીઓ સાથે મળીને ભોગ બનનાર પર લોખંડના ધારીયા વડે હુમલો કરી હત્યા નીપજાવામાં આરોપીની સક્રિય ભૂમિકા છે ત્યારે જામીન આપી શકાય નહીં. ગતતા.22 ઓગસ્ટ 2025ના રોજ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને જૂની અદાવતનો બદલો લેવા નીતિનનું રીક્ષામાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈ ધારીયા, પાઈપ અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો વડે જાહેરમાં જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન નીતિનનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે સાજન પટણી સહિતના આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી આરોપી સાજન પટણી તરફ્થી જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, આ એક અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward