android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News : પંચધાતુના દાગીના પર સોનાનો વરખ ચડાવી સોની વેપારીઓને ઠગતી બંગાળી ગેંગ ઝડપાઈ
calendar_today January 21, 2026

Junagadh News : પંચધાતુના દાગીના પર સોનાનો વરખ ચડાવી સોની વેપારીઓને ઠગતી બંગાળી ગેંગ ઝડપાઈ

પંચધાતુના દાગીના પર સોનાનો વરખ ચડાવી દેશભરના સોની વેપારીઓને ચૂનો લગાવતી ખતરનાક બંગાળી ગેંગના બે સભ્યોને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા પાસેથી દબોચી લીધા છે. આ ગેંગે અત્યાર સુધીમાં 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. સોના ચાંદીના વધતા જતા ભાવોને લઈને ઠગ ટોળકી સક્રિય બની છે. જૂનાગઢ અને કેશોદના સોની વેપારીઓ સાથે છેતરપીંડી પંચ ધાતુમાંથી બનાવેલા દાગીનાને સોનાનો વરખ ચડાવી અસલી તરીકે ગણાવી જૂનાગઢ અને કેશોદના સોની વેપારીઓ સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.​કેશોદના પાલા પ્રિયમ જ્વેલર્સના માલિક નરેન્દ્ર પાલા આ ઠગાઈનો ભોગ બન્યા હતા.ગત 10 તારીખે એક બંગાળી દંપતીએ તેમની પાસેથી 2.62 લાખની બે ચેઈન અને 22000 રોકડા મેળવી બદલામાં નકલી હાર પધરાવી દીધો હતો.વેપારીને શંકા જતા તપાસ કરાવી તો હાર નકલી નીકળ્યો હતો.જૂનાગઢના ગિરિરાજ જ્વેલર્સના માલિક સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હતી. નકલી હાર ગીરવે મૂકી અસલી દાગીના પડાવ્યા આ ગેંગની મોડસ ઓપરેન્ડી પ્રમાણે આ ગેંગના માણસો 30 ગ્રામનો હાર બનાવતા હતા જેમાં 20 ગ્રામ પંચધાતુ હોય અને તેના પર પોટાશ કેમિકલનો ઉપયોગ કરી 10 ગ્રામ સોનાનો વરખ ચડાવવામાં આવતો હતો.જ્યારે તેને ઓગાળવામાં આવે ત્યારે તેમાંથી માત્ર 30% જ સોનું નીકળતું હતું.આ ગેંગના સભ્યો દંપતી બનીને જ્વેલર્સની દુકાને જતા અને વિશ્વાસમાં લઈ નકલી હાર ગીરવે મૂકી અસલી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી રફુચક્કર થઈ જતા હતા. આ રીતે તેઓ વેપારીઓને છેતરીને તેમની પાસેથી શુદ્ધ સોનાના દાગીના પડાવી લેતા હતા. આખું કૌભાંડ બિહારના પટનામાંથી ચાલતુ હતું વેપારીઓની વ્યાપક રજૂઆતો બાદ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જૂનાગઢ એલ સી બી એ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓનું પગેરું મેળવ્યું હતું.પોલીસને માહિતી મળી હતી કે આ કપલ વડોદરા આસપાસ છે જેના આધારે ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી સ્ત્રી અને પુરુષ બંનેને પકડ્યા હતા.પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું.આ માસ્ટરમાઈન્ડ દ્વારા કપલને તૈયાર નકલી દાગીના આપવામાં આવતા હતા. છેતરપિંડીના બદલામાં 7,000નું કમિશન મળતું આ કપલને દરેક સફળ છેતરપિંડીના બદલામાં 7,000નું કમિશન મળતું હતું. અત્યાર સુધીની કબૂલાત મુજબ તેઓએ અંદાજે 900 ગ્રામ જેટલા સોનાના અસલી દાગીના વેપારીઓ પાસેથી પડાવ્યા છે.આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે તપાસ ચાલુ છે. જૂનાગઢ જિલ્લામાં જ 10 થી 12 સોની વેપારીઓ આ ગેંગનો ભોગ બન્યા હોવાની શક્યતા છે.હાલમાં પકડાયેલા બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.જૂનાગઢ પોલીસે અન્ય રાજ્યોની પોલીસને પણ આ અંગે મેસેજ દ્વારા જાણ કરી છે.જે કોઈ વેપારી આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોય તેમને આગળ આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Surendranagar News: મનપાની બેદરકારી, જાહેરમાં ગટરનું પાણી ઠાલવતા લોકોમાં રોષ

Read Full Story arrow_forward
Aravalli માં ગેરકાયદે ખનન પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, આ ગંભીર અપરાધ છે, પર્યાવરણનું નુકસાન અસ્વીકાર્ય
calendar_today January 21, 2026

Aravalli માં ગેરકાયદે ખનન પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, આ ગંભીર અપરાધ છે, પર્યાવરણનું નુકસાન અસ્વીકાર્ય

અરવલ્લી પર્વતમાળામાં થતા ગેરકાયદે ખનન મામલે આજે સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે ગેરકાયદે ખનનને 'ગંભીર અપરાધ' ગણાવતા ચિંતા વ્યક્ત કરી હતી કે તેનાથી પર્યાવરણ પર ન ભરપાઈ થઈ શકે તેવી અસરો પડી રહી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત, રાજસ્થાન તથા હરિયાણા જેવા સંબંધિત રાજ્યોને આગામી 4 અઠવાડિયામાં ખનન પ્રવૃત્તિઓ અને તેને રોકવા માટે લેવાયેલા પગલાં અંગે રિપોર્ટ દાખલ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં અટકે તો પર્યાવરણીય આપત્તિ સર્જાઈ શકે છે.પર્યાવરણીય કટોકટી કોર્ટે 100 મીટરની ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ 'અરવલ્લી' ગણવા અંગેના વિવાદાસ્પદ નિયમ પર હાલ પૂરતી રોક યથાવત રાખી છે અને જ્યાં સુધી નવો મેનેજમેન્ટ પ્લાન તૈયાર ન થાય ત્યાં સુધી નવી માઇનિંગ લીઝ આપવા પર પણ પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. સુનાવણી દરમિયાન બેન્ચે સંકેત આપ્યો હતો કે ગેરકાયદે ખનન રોકવા અને સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે નિષ્ણાતોની એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવશે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર સપાટી પરની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ સમસ્યાના મૂળ સુધી પહોંચીને ભ્રષ્ટાચાર અને માફિયાગીરી નાબૂદ કરવી અનિવાર્ય છે. આ પણ વાંચો : Weather News : ઠંડીને લઈને હવમાન વિભાગની મોટી આગાહી, તાપમાનમાં થશે મોટો ઘટાડો...

Read Full Story arrow_forward
One Plus: ભારતમાં OnePlus બંધ થશે? આ અફવા છે કે સત્ય? જાણો CEOનું નિવેદન
calendar_today January 21, 2026

One Plus: ભારતમાં OnePlus બંધ થશે? આ અફવા છે કે સત્ય? જાણો CEOનું નિવેદન

વન પ્લસને લઇને એક ચર્ચા તેજ બની છે કે આ કંપની બહુ જલદી ભારતમાં પોતાનું કામકાજ બંધ કરી દેશે અને પેરેન્ટ કંપની ઓપ્પો સાથે જોડાઇ જશે. જો કે આ ચર્ચાઓને વન પ્લસ ઇન્ડિયાના સીઇઓએ અફવા ગણાવી છે. તેમણે કહ્યું કે ભારતમાં વન પ્લસ કામ કરતી રહેશે રોબિન લ્યૂએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે ભારતમાં વનપ્લસના ઓપરેશન બંધ થવાની જાણકારી ખોટી રીતે ફેલાઇ રહી છે. તેમમે કહ્યું કે આ વાત તદ્દન રીતે ખોટી છે. ભારતમાં વનપ્લસ પોતાની સર્વિસ ચાલુ જ રાખશે. કંપનીએ કરી સ્પષ્ટતા જેમાં OnePlus તરફથી એક નિવેદન છે. OnePlus એ જણાવ્યું હતું કે તાજેતરના વણચકાસાયેલા અહેવાલો જે દાવો કરે છે કે OnePlus બંધ થઈ રહ્યું છે તે ખોટા છે. OnePlus ઇન્ડિયાના વ્યવસાયિક સંચાલન સામાન્ય રીતે ચાલુ છે. ઘણા મીડિયા અહેવાલોમાં Android હેડલાઇન્સનો ઉલ્લેખ કરીને અહેવાલ આપવામાં આવ્યો હતો કે OnePlus ટૂંક સમયમાં કામગીરી બંધ કરશે. 2024થી શિપમેન્ટમાં ઘટાડો થયો છે અને ઘણા ઉત્પાદનો રદ કરવામાં આવ્યા છે. વધુમાં યુએસ અને યુરોપ સ્થિત ટીમોનું કદ ઘટાડવામાં આવ્યું છે. OnePlus ભારતમાં એક લોકપ્રિય બ્રાન્ડ OnePlus ભારતમાં એક લોકપ્રિય બ્રાન્ડ છે. તેના ફ્લેગશિપ સ્માર્ટફોન ખૂબ જ લોકપ્રિય છે. કંપની પાસે ભારતમાં એક મોટો પોર્ટફોલિયો છે, જેમાં ટેબ્લેટ, TWS, સ્માર્ટવોચ અને સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. OnePlus ટીવી અગાઉ ભારતમાં વેચાતા હતા, પરંતુ કંપનીએ તેમને બંધ કરી દીધા છે. આ કંપનીઓ BBK ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપનો ભાગ OnePlus ની પેરેન્ટ કંપની OPPO છે, અને કંપની પોતે ચાઇનીઝ BBK ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપ હેઠળ કાર્ય કરે છે. BBK ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપમાં Vivo અને Realme સહિત ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.

Read Full Story arrow_forward