android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ઠંડીને લઈને હવમાન વિભાગની મોટી આગાહી, તાપમાનમાં થશે મોટો ઘટાડો...
calendar_today January 21, 2026

Weather News : ઠંડીને લઈને હવમાન વિભાગની મોટી આગાહી, તાપમાનમાં થશે મોટો ઘટાડો...

ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અત્યારે મિશ્ર હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં 'બેવડી ઋતુ'ની સ્થિતિ યથાવત રહેશે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો અહેસાસ થશે. જોકે, બપોરના સમયે સૂર્યપ્રકાશની તીવ્રતા વધતા મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.બપોરે તાપમાન 32 ડિગ્રીને પાર! હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આગામી 48 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે, જેનાથી ઠંડીમાં સાધારણ વધારો થશે. પવનની ગતિ તેજ રહેવાને કારણે વહેલી સવારે ઠંડો પવન ફૂંકાશે, જે લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ કરાવશે. આવી બેવડી ઋતુને કારણે આરોગ્ય પર વિપરીત અસર થવાની શક્યતા હોવાથી તબીબોએ પણ સાવચેત રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને વડીલો અને બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી શકે છે, તેથી બદલાતા તાપમાન સામે રક્ષણ મેળવવું જરૂરી છે. આ પણ વાંચો : Gandhinagar News : તડકેશ્વર ટાંકી દુર્ઘટનાને લઈને પાણી પુરવઠા મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

Read Full Story arrow_forward
Mehsanaના ઉંઝા શહેરમાં 3 દિવસ રહેશે પાણી કાપ, જુઓ Video
calendar_today January 21, 2026

Mehsanaના ઉંઝા શહેરમાં 3 દિવસ રહેશે પાણી કાપ, જુઓ Video

વાવ ખાતે અંડર ગ્રાઉન્ડ વોટર ટાંકીની સફાઈ થતા કાપ મૂકવામાં આવ્યો છે, પાણી કાપને લઈ નાગરિકોને અગાઉથી જાણ કરાઈ, મહેસાણા જિલ્લા માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમ વિકાસ યોજના અને સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં સરકારે શરૂ કરેલા વિકાસ કામો સામે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે રોષ સર્જાયો છે.ધરોઈ ડેમ નજીકના વિસ્તામાં આવતા પાંચ ગામની જમીન સંપાદન થતાં ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળ્યો છે ધરોઈ ડેમ સહિતના આજુબાજુના વિસ્તારોમાં થઈ રહેલા વિકાસ કાર્યના કારણે પાંચ ગામના ખેડૂતોને પોતાની જમીન ખોવી પડશે તેવા ડર સાથે ધરોઈ વિસ્તારના ગ્રામજનો અને સરપંચોએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ધરોઈ ડેમ નજીકના વિસ્તામાં આવતા પાંચ ગામની જમીન સંપાદન થતાં ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ધરોઈ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની યોજના અંતર્ગત ધરોઈ, ફત્તેપુરા, મ્હોર, બાપસર અને અંબાવાડા એમ પાંચ ગામોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Republic Day 2026 : બોટાદ જિલ્લાના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ગઢડા ખાતે યોજાશે

Read Full Story arrow_forward
Surat: તડકેશ્વરમાં ધરાશાયી ટાંકીના સેમ્પલ લેવાયા, 5 જવાબદારો સામે ગાળિયો કસાયો
calendar_today January 21, 2026

Surat: તડકેશ્વરમાં ધરાશાયી ટાંકીના સેમ્પલ લેવાયા, 5 જવાબદારો સામે ગાળિયો કસાયો

સુરત માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ દુર્ઘટનાએ સરકારી કામકાજની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.ત્યારે રાજ્ય કક્ષાની વિવિધ એજન્સીઓએ સ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કાટમાળમાંથી સિમેન્ટ, રેતી અને લોખંડના સેમ્પલ લીધા FSL, વિજિલન્સ અને પોલીસ દુર્ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગરથી ખાસ વિજિલન્સની ટીમ તડકેશ્વર દોડી આવી છે. આ ટીમે ધ્વસ્ત થયેલી ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટ, રેતી અને લોખંડના સેમ્પલો લીધા છે. આ સેમ્પલોને લેબોરેટરીમાં મોકલવામાં આવશે જેથી ખબર પડી શકે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હતું કે કેમ? આ સાથે જ FSLની ટીમ અને માંડવીના DYSP એ પણ સ્થળની મુલાકાત લઈને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે. સ્થળને કરાયું કોર્ડન કોઈ પુરાવા સાથે છેડછાડ ન થાય અને જનતાની સુરક્ષા જળવાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ધરાશાયી થયેલી ટાંકીની આસપાસના વિસ્તારને ચારેબાજુથી કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થળ પર અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 5 લોકો સામે કાયદેસરની કાર્યવાહી આ મામલે તંત્રએ કડક વલણ અપનાવતા અત્યાર સુધીમાં કુલ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત એન્જિનિયરોનો સમાવેશ થાય છે તેવું માનવામાં આવે છે. આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી જવાબદાર છે અને ભ્રષ્ટાચારના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે, તેની ઊંડી તપાસ ગાંધીનગર વિજિલન્સ દ્વારા કરવામાં આવી રહી છે. ગ્રામજનોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને કસૂરવારોને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.આ પણ વાંચોઃ Junagadh : CGST જૂનાગઢ ડિવિઝનની ટીમના દરોડા, પરશુરામ દયારામ જવેલર્સના શો રૂમ પર GSTનું સર્ચ 

Read Full Story arrow_forward