Gandhinagar: પાણીમાં સુપરક્લોરિનેશનથી બળતરા અને પેટમાં દુઃખાવાની વ્યાપક ફરિયાદો
ગાંધીનગરના ટાઇફોઇડગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા શુધ્ધ પાણી આપવાના ભાગરૂપે સુપરક્લોરીનેશનવાળુ પાણી વિતરણ કર્યા બાદ લોકોમાં પેટમાં દુખાવા સહિતની આરોગ્યલક્ષી સમસ્યાઓ ઉભી થઈ છે.જેના પરિણામે લોકોને શુધ્ધ અને સલામત પાણી સપ્લાય કરવા માટે મ્યુ.કમિશનર અને કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી છે. આ સમસ્યા વોર્ડ નંબર-3ના સેક્ટર-24,27,28 અને આદીવાડા વિસ્તારોમાં જોવા મળી રહી છે. ટાઇફોઇડ ફાટી નીકળ્યા બાદ તંત્ર દ્વારા અહીં પાણી સપ્લાય પૂર્વે સુપર ક્લોરીનેશનનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પરિણામે લોકોને જે પાણી મળી રહ્યુ છે તેમાં કલોરીનનું પ્રમાણ વધુ હોવાના કારણે આ વિસ્તારોમાં ખંજવાળ, ત્વચા સુકાઇ જવી, વાળ ખરવા, આંખોમાં બળતરા, પેટમાં દુઃખાવા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. જેના કારણે વોર્ડ નંબર.3ના કોંગી પ્રમુખે કમિશનર અને કલેક્ટરને લેખિત રજુઆત કરી પાણીની તાત્કાલીક તપાસ કરાવી, ક્લોરીનનું પ્રમાણ નિયંત્રીત કરવા પગલાં લઇ લોકોને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward