android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: શાહપુરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીને બ્લેડ મારતા ફરિયાદ
calendar_today January 19, 2026

Ahmedabad: શાહપુરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીને બ્લેડ મારતા ફરિયાદ

ઘી-કાંટામાં ઘરની સિડી ફરીથી મુકવા બાબતે પત્નીએ પતિને વાત કરતા તેણે બ્લેડના ઘા માર્યા હતા. આ અંગે પત્નીએ પતિ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.ઘી-કાંટામાં રહેતા સોનલબેન ચૌહાણ હેન્ડીક્રાફ્ટની દુકાનમાં નોકરી કરે છે. તેમના પતિ વિપુલકુમાર સારંગપુર કપડાંની દુકાનમાં નોકરી કરે છે. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘરકંકાસ થયા કરે છે. જેને લઇને સોનલબેને સાસરિયા સામે ભરણપોષણ અને ઘરેલુ હિંસાનો કેસ કર્યો છે. તેમના કેસની મુદ્દત આવતી હોવાથી ત્રણ દિવસથી પહેલા માળેથી નીચે ઉતરવાની સિડી પતિએ નિકાળી દીધી હતી. જેથી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ગત 18 જાન્યુઆરીએ સોનલબેન પુત્ર સાથે ઘરે હતા તે સમયે પણ તેમણે બાજુના મકાનમાંથી નીચે ઉતરવું પડયું હતું. સોનલબેને પતિને સિડીને ફરીથી નાખવાનું કહેતા પતિ વિપુલે બિભત્સ ગાળો બોલીને ઝઘડો કરી પત્નીને બ્લેડના ઘા મારીને લોહિલુહાણ કરી હતી. જેથી પત્ની ત્યાંથી ભાગીને સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોચી હતી. આ અંગે સોનલબેને પતિ વિપુલકુમાર સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ખોખરામાં મહિલાની પાછળ ઘર સુધી જઇને દોરો તોડી બે સ્નેચર ફરાર થયા
calendar_today January 19, 2026

Ahmedabad: ખોખરામાં મહિલાની પાછળ ઘર સુધી જઇને દોરો તોડી બે સ્નેચર ફરાર થયા

ખોખરામાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલા સ્ટેશનરીની દુકાનેથી વસ્તુ લઈને પરત ફ્લેટમાં જઈ રહ્યા હતા.તે સમયે એક સ્નેચર તેમની પાછળ આવ્યો અને મહિલાના ગળામાં રહેલી સોનાનો દોરો તોડી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા સ્નેચર દોરો મુકીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગે ખોખરા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ખોખરા વિસ્તારમાં આવેલા ગોરના કૂવા પાસે આવેલા જીવન એપાર્ટમેન્ટમાં સ્વાતિબેન દરજી પરિવાર સાથે રહે છે. સ્વાતિબેન સવારના સમયે સ્ટેશનરીની દુકાને પેન લેવા ગયા હતા. બાદમાં પેન લઇને ફ્લેટમાં પરત આવી રહ્યા હતા, ત્યારે તેમની સોસાયટીમાં તેમના ફ્લેટની નીચે પહોંચ્યા ત્યારે એક વ્યક્તિ તેમની પાછળ આવ્યો હતો. આ વ્યક્તિએ સ્વાતિબેનના ગળામાંથી સોનાનો દોરો તોડવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વાતિબેને બૂમો પાડતા દોરો તૂટી ગયો અને પેન્ડન્ટ નીચે પડી ગયું હતું, આ ચેઈન સ્નેચર પેન્ડન્ટ લઈને ત્યાંથી ભાગી ગયો હતો. સ્વાતિબેન પણ સ્નેચરની પાછળ દોડયા હતા, પરંતુ તે પોતાના અન્ય બે સાથીઓ પર બાઈક પર ત્યાંથી નાસી ગયો હતો. સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે. આ અંગે ખોખરા પોલીસે અજાણ્યા ચેઈન સ્નેચરો સામે ગુનો નોંધ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: 63 વર્ષ જૂના સંત વિનોબાનગરના મકાનોના રિ-ડેવલપમેન્ટ માટે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો
calendar_today January 19, 2026

Ahmedabad: 63 વર્ષ જૂના સંત વિનોબાનગરના મકાનોના રિ-ડેવલપમેન્ટ માટે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો

શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી જૂના અને જોખમી મકાનોના રિ-ડેવલપમેન્ટ માટે વ્યાપક કામગીરી ચાલી રહી છે.અનેક વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિ-ડેવલપમેન્ટ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે, ત્યારે અમરાઈવાડીમાં આવેલ સંત વિનોબાનગર યુનિ. ફ્લેટ્સના રહીશો છેલ્લા લાંબા સમયથી માત્ર આશ્વાસનોમાં જ અટવાયા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. સંત વિનોબાનગર ફ્લેટ્સ અંદાજે 63 વર્ષ જૂના છે. અહીં કુલ 17 બ્લોકમાં 440 મકાનો છે અને અંદાજે 2,500 જેટલા લોકો વસવાટ કરે છે. હાલ આ તમામ મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે. દીવાલોમાં મોટી તિરાડો, છતમાંથી સતત પાણી ટપકવું, સ્લેબ, બીમ અને પિલરમાં ભાંગફેડ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વચ્ચે રહીશો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. આ અંગે રહીશોએ જણાવ્યું કે, રિ-ડેવલપમેન્ટ માટે તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સિટી એન્જિનિયર વિભાગ, ડેપ્યુટી કમિશનર કચેરી, એસ્ટેટ ડી.ડી.ઓ. વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં 2024 અને 2025 દરમિયાન અનેક વખત લેખિત અરજીઓ કરી છે. તા.17-06-25, 19-06-25, 29-08-24 અને 04-10-24ના રોજ ઇનવર્ડ નંબર સાથે અરજીઓ આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. શહેરના અન્ય વિસ્તારોમાં જૂના મકાનોને તોડી નવી બહુમાળી ઇમારતો ઊભી કરી રિ-ડેવલપમેન્ટ કરવામાં આવી રહી છે, ત્યારે સંત વિનોબાનગરના રહીશો સાથે થતા વિલંબને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મકાનોમાં રહેતા મોટા ભાગના લોકો ગરીબ અને મધ્યમ વર્ગના હોવાથી ખાનગી રીતે મરામત કરવી પણ તેમના માટે શક્ય નથી. તેવી સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન વ્યક્ત કરી આવેદન આપવામાં આવ્યુ સંત વિનોબાનગર રિ-ડેવલપમેન્ટ કમિટી દ્વારા AMCની દાણાપીઠ કચેરી ખાતે રિ-ડેવલપમેન્ટનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. સાથે જ ન્યાયની માંગ સાથે શાંતિપૂર્ણ દેખાવ પણ કરવામાં આવ્યો હતો. જો તાત્કાલિક રિ-ડેવલપમેન્ટ પ્રક્રિયા શરૂ નહીં થાય તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે મ્યુનિસિપલ તંત્ર સંત વિનોબાનગરના રહીશોની સલામતીને પ્રાથમિકતા આપી ક્યારે પગલા ભરે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward