android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad News: પાળીયાદમાંથી મળી યુવકનો મૃતદેહ
calendar_today January 16, 2026

Botad News: પાળીયાદમાંથી મળી યુવકનો મૃતદેહ

બોટાદ જિલ્લાના પાળીયાદ ગામના સીમ વિસ્તારમાં આવેલા જોગીડુંગરો વિસ્તારમાં આજે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.જોગીડુંગરો પાસે મળ્યો મૃતદેહ ઘટનાની મળતી વિગતો અનુસાર, બોટાદ જિલ્લામાં આવેલા પાળીયાદના જોગીડુંગરો વિસ્તારમાંથી પસાર થતા લોકોએ એક વ્યક્તિને નિશ્ચેતન હાલતમાં પડેલો જોયો હતો. આ અંગે તુરંત જ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પાળીયાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ રાજુભાઈ શવાભાઈ ઘોડકીયા તરીકે થઈ હતી. તમામ દિશામાં તપાસ શરૂ પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી, પંચનામું કરી તેને પોસ્ટ મોર્ટમ માટે પાળીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. જોગીડુંગરા જેવા શાંત વિસ્તારમાં આ રીતે મૃતદેહ મળી આવતા પોલીસ પણ સતર્ક બની છે. શું રાજુભાઈ સાથે કોઈ દુર્ઘટના બની છે કે, કોઈએ તેમની હત્યા કરી છે કે તેમને આત્મહત્યા કરી છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પાળીયાદ પોલીસ મથકના અધિકારીઓના જણાવ્યા મુજબ, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, રાજુભાઈના પરિવારજનોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો - Botadના તુરખા ગામે લોહિયાળ ખેલ, સગીરાના અપહરણની ફરિયાદને દાઝમાં રાખી પરિવાર પર હુમલો

Read Full Story arrow_forward
Surat: ગોડાદરામાં જૂની અદાવતમાં મોડી રાત્રે ફાયરિંગ, યુવકની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો
calendar_today January 16, 2026

Surat: ગોડાદરામાં જૂની અદાવતમાં મોડી રાત્રે ફાયરિંગ, યુવકની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. અગાઉ થયેલી એક હત્યાની રંજીશમાં બે જૂથો વચ્ચેની અદાવત ફરી સપાટી પર આવી હતી, જેમાં એક યુવક પર ફાયરિંગ કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.ગોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયોમળતી માહિતી મુજબ, ગોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે જ્યારે શાંતિ હતી ત્યારે અચાનક ફાયરિંગના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. અગાઉ થયેલી એક હત્યાના બનાવની અદાવત રાખીને આરોપીએ યુવકને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. હુમલાખોરનો ઈરાદો યુવકને મોતને ઘાટ ઉતારવાનો હતો, પરંતુ સદનસીબે યુવકનો બચાવ થયો છે.ફાયરિંગની ઘટનામાં યુવકને ગોળી વાગીફાયરિંગની ઘટનામાં યુવકને ગોળી વાગતા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોની ટીમ દ્વારા યુવકનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેના શરીરમાં ખૂંપી ગયેલી ગોળીને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવી છે. હાલ ભોગ બનનાર યુવકની સ્થિતિ સ્થિર અને તે સહી-સલામત હોવાનું જાણવા મળ્યું છે.પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતા જોઈને અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગણતરીના કલાકોમાં જ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો છે. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ (IPC 307) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: સાપકડામાં પ્રેમ પ્રકરણમાં શ્રમિક યુવાનનો આપઘાત, 18 વર્ષીય યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward
Ahmedabad : મણિનગરના ફુટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા, યુવતી સાથે સંબંધ રાખવાના મુદ્દે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી
calendar_today January 16, 2026

Ahmedabad : મણિનગરના ફુટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા, યુવતી સાથે સંબંધ રાખવાના મુદ્દે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી

અમદાવાદના મણિનગરના ફુટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ના રાખવા માટે અવાર નવાર ટકોર કરતો હતો. જેને લઇને અગાઉ પણ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના સમાધાન માટે બોલાવી પૂર્વઆયોજિત કાવતરૂ રચીને હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો છે.યુવકને સમાધાન માટે બોલાવીને હત્યા કરી શહેરના મણીનગર વિસ્તારમાં આવેલ ફુટબોલ ગ્રાઉન્ડમાં ઉત્તરાયણની મોડી સાંજે ખુની ખેલ ખેલાયો હતો. અમરાઇવાડી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય ચિરાગ રાઠોડ નામના યુવકને સમાધાન માટે બોલાવીને મંથન ઉર્ફે ઋત્વીક પરમાર નામના યુવકે તેના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને હત્યા કરી દીધી હતી. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા ઘટનાની જાણ થતાં જ મણીનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. અને હત્યાનો ગુનો દાખલ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસએ મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વીક પરમાર, જયદિપ ઉર્ફે જય શાહ, હર્ષીલ શાહ અને વિજય પરમાર નામના ચાર આરોપીઓને ઝડપી લીધા છે. ચિરાગ તેના મિત્રની બહેનને પોતાની બહેન માનતો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચિરાગ તેના મિત્રની બહેનને પોતાની બહેન માનતો હતો. જેને તેની સાથે નોકરી કરતા એટલે કે આ ગુનાના મુખ્ય આરોપી મંથન સાથે મિત્રતા હતી. જો કે ચિરાગે તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ ના રાખવા માટેની જાણ કરી હતી. જેને લઇને ચિરાગ અને મંથન વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો. અને તેની જ અદાવતમાં મંથનએ નયન તેમજ ચિરાગને સમાધાન માટે બોલાવ્યા હતાં. અને પહેલા ચિરાગ સાથે મારા મારી કર્યા બાદ તેને મંથને પાંસળીના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. પકડાયેલ આરોપીઓ મોટાભાગે ખાનગી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. ઋત્વીક પરમાર અને જયદિપ ઉર્ફે જય શાહનો ગુનાહિત ભુતકાળ પોલીસ તપાસમાં સામે આવ્યુ કે મંથન ઉર્ફે ઋત્વીક પરમાર અને જયદિપ ઉર્ફે જય શાહ નામના આરોપીઓ અગાઉ પણ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં પકડાઇ ચુક્યા છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર બનાવમાં અન્ય કોઇ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો----  Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward