android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: મહારાષ્ટ્રમાં BMCમાં ભાજપની મોટી જીત, કમલમ ખાતે ઢોલ નગારા સાથે જીતની ઉજવણી
calendar_today January 16, 2026

Gandhinagar: મહારાષ્ટ્રમાં BMCમાં ભાજપની મોટી જીત, કમલમ ખાતે ઢોલ નગારા સાથે જીતની ઉજવણી

મહારાષ્ટ્રમાં BMC અને અન્ય નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને જીત મળતા ભાજપ અને કેન્દ્ર સરકાર માટે મહત્વપૂર્ણ સંદેશ મળ્યો છે. BMCમાં જીતને “ડબલ એન્જિનની જીત” ગણાવવામાં આવી રહી છે, જે રાજ્યમાં વિકાસ અને સુવ્યવસ્થિત સરકારને જોરદાર ટેકો છે.અનેક આગેવાનો ગાંધીનગર કમલમ ખાતે એકઠા થયા પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને ભાજપના કાર્યકરો સહિત અનેક આગેવાનો ગાંધીનગર કમલમ ખાતે એકઠા થયા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી.  PM નરેન્દ્ર મોદી અને CM દેવેન્દ્રભાઈ ફડણવીસના સંકલ્પને સમર્થન આગેવાનોએ જણાવ્યું કે મહારાષ્ટ્રની જનતાએ PM નરેન્દ્ર મોદી અને CM દેવેન્દ્રભાઈ ફડણવીસના સંકલ્પને સમર્થન આપ્યું છે. ઉદ્ધવ સેના અને કોંગ્રેસની નકારાત્મક માનસિકતાની હાર ભાજપ તરફથી આ જીત ઉદ્ધવ સેના અને કોંગ્રેસની નકારાત્મક માનસિકતાની હાર ગણાવાઇ છે. કાર્યકરો અને સમર્થકો દ્વારા જીતનો ઉત્સાહ ઉત્સવમાં બદલાયો હતો. નેતાઓએ તમામ કાર્યકરો અને સમર્થકોને અભિનંદન આપ્યા પાર્ટી નેતાઓએ તમામ કાર્યકરો અને સમર્થકોને અભિનંદન આપ્યા અને મહારાષ્ટ્રમાં વિકાસની નવી યાત્રા માટે જનતા સાથે જોડાવાની અપીલ કરી.આ પણ વાંચો-----   Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Suratના વરાછાની ગંગેશ્વર સોસાયટીમાં તંત્રની લાલ આંખ, રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી કોમર્શિયલ એક્ટિવિટી
calendar_today January 16, 2026

Suratના વરાછાની ગંગેશ્વર સોસાયટીમાં તંત્રની લાલ આંખ, રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી કોમર્શિયલ એક્ટિવિટી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓમાં ચાલતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામે પાલિકા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. વરાછા ઝોન દ્વારા ગંગેશ્વર સોસાયટીમાં લાંબા સમયથી ચાલતી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ટિવિટીઝ પર ત્રાટકીને દુકાનો, ગોડાઉન અને એક નર્સરીને સીલ મારી દેવામાં આવ્યા છે.સ્થાનિકોની ફરિયાદ બાદ એક્શન ગંગેશ્વર સોસાયટીના રહીશો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી કે રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીં મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ કામગીરી અને ગોડાઉન ચાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હતી. આ ફરિયાદને આધારે વરાછા ઝોનના અધિકારીઓએ સ્થળ તપાસ કરી તાત્કાલિક અસરથી સીલિંગની કામગીરી હાથ ધરી હતી. નર્સરીની મંજૂરી સામે સવાલ આ કાર્યવાહી દરમિયાન 'કિંગ પ્લે નર્સરી' સહિતના એકમોને સીલ કરવામાં આવ્યા છે. જોકે, આ નર્સરી સીલ થતાં તંત્રની કામગીરી અને નીતિઓ સામે અનેક સવાલો ઊભા થયા છે, જો આ નર્સરી ગેરકાયદેસર રીતે ચાલતી હતી, તો તેને અત્યાર સુધી મંજૂરી કોણે આપી? રહેણાંક વિસ્તારમાં શૈક્ષણિક પ્રવૃત્તિ માટેના નિયમોનું ઉલ્લંઘન કોની રહેમનજર હેઠળ થયું? હવે સૌની નજર શિક્ષણ વિભાગ પર છે. નર્સરી જેવી શૈક્ષણિક સંસ્થાઓ સામેના આ કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) આગામી સમયમાં શું પગલાં લે છે અને જવાબદાર અધિકારીઓ સામે તપાસ થશે કે નહીં, તે જોવું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: સોમનાથના શૌર્ય અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચશે, એક વર્ષ સુધી ઉજવાશે સ્વાભિમાન પર્વ
calendar_today January 16, 2026

Gandhinagar News: સોમનાથના શૌર્ય અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચશે, એક વર્ષ સુધી ઉજવાશે સ્વાભિમાન પર્વ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી.આ બેઠકમાં વડાપ્રધાન મોદીના તાજેતરના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસની અભૂતપૂર્વ સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વ રાષ્ટ્રવાદનો મહોત્સવ બન્યો પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ શ્રદ્ધા અને રાષ્ટ્રવાદનો મહોત્સવ બન્યો છે.ઓમકારના નાદ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠેલા એક અલૌકિક વાતાવરણ વચ્ચે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા વિશાળ જનમેદની ઉમટી પડી હતી. મંદિરના પટાંગણ, શહેરના માર્ગો, શૌર્ય યાત્રા અને જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનતાએ વડાપ્રધાન પ્રત્યેના અતૂટ પ્રેમ અને વિશ્વાસની પ્રતીતિ કરાવી હતી. નાગરિકોના આ અભૂતપૂર્વ ઉત્સાહની આજે કેબિનેટે ગૌરવભેર નોંધ લીધી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય આ પ્રસંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા મંત્રીએ જણાવ્યું કે, સોમનાથ મંદિરની દિવ્યતા તથા તેના રક્ષણ માટે બલિદાન આપનાર શૂરવીરોનું ગૌરવગાન અને મંદિરના સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે વડાપ્રધાને આગામી એક વર્ષ સુધી સમગ્ર દેશમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.આ સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યમાં ભક્તિમય અને દેશભક્તિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.રાજ્યના વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ખાતે માત્ર 4 થી 5 દિવસના અત્યંત ટૂંકા સમયગાળામાં ચોકસાઈથી સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતેથી મેટ્રોના નવા રૂટના શુભારંભ રાજ્ય સરકારની ગતિશીલતા અને કાર્યક્ષમતામાં થયેલો વધારો આ સફળ આયોજન દ્વારા સાબિત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર કેબિનેટે આ ભવ્ય સફળતા પાછળ દિવસ-રાત મહેનત કરનાર વહીવટી તંત્રની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ગીર સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ, રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ, અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને સાબરમતી આશ્રમ તેમજ ગાંધીનગર ખાતે જર્મનીના ફેડરલ ચાન્સેલર સાથે દ્વિપક્ષીય બેઠક અને મહાત્મા મંદિર ખાતેથી મેટ્રોના નવા રૂટના શુભારંભ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.આ પણ વાંચોઃ Halvad: સાપકડામાં પ્રેમ પ્રકરણમાં શ્રમિક યુવાનનો આપઘાત, 18 વર્ષીય યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward