android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ટ્રેનમાંથી સરકારી અનાજની ચોરીનું કૌભાંડ ઝડપાયું, રેલવે પોલીસ આવી એક્શનમાં
calendar_today January 16, 2026

Surat News: ટ્રેનમાંથી સરકારી અનાજની ચોરીનું કૌભાંડ ઝડપાયું, રેલવે પોલીસ આવી એક્શનમાં

રાજ્યમાં ગરીબો માટે ફાળવવામાં આવતા સરકારી અનાજની બારોબાર ચોરી અને વેચાણનું એક મોટું કૌભાંડ સુરતમાં સામે આવ્યું છે. સુરત રેલવે સ્ટેશન નજીક ઊભેલી ટ્રેનમાંથી સરકારી અનાજની બોરીઓ ચોરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે.ટ્રેનમાંથી ચોરવામાં આવ્યું હતું સરકારી અનાજ   સુરત રેલવે સ્ટેશન પાસે યાર્ડમાં અથવા ટ્રેક પર ઊભેલી માલગાડીના ડબ્બા (બોગી) માંથી અનાજની ચોરી કરવામાં આવી રહી હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે અસામાજિક તત્વો ટ્રેનમાંથી અનાજની બોરીઓ ઉતારીને બારોબાર સગેવગે કરી રહ્યા છે. આ અનાજ ગરીબ પરિવારો માટે રેશનિંગની દુકાનો સુધી પહોંચાડવાનું હતું, જેની ચોરી કરીને તેને ઊંચા ભાવે વેચી દેવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા છે.વીડિયોના આધારે આરોપીઓની તપાસ હાથ ધરાઇવીડિયો વાયરલ થતા જ રેલવે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વીડિયોમાં દેખાતા શકમંદોની ઓળખ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક પોલીસ હવે રેલવે યાર્ડમાં સુરક્ષા વધારવા પર ભાર મૂકી રહી છે. આ ઘટનાએ સરકારી અનાજની હેરાફેરીમાં સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. સામાન્ય જનતામાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh : કેશોદ પંથકમાં મામા-ભાણીના સંબંધને કલંકિત કરતી અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના, પોલીસમાં નોંધાઇ ફરિયાદ
calendar_today January 16, 2026

Junagadh : કેશોદ પંથકમાં મામા-ભાણીના સંબંધને કલંકિત કરતી અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના, પોલીસમાં નોંધાઇ ફરિયાદ

પવિત્ર ગણાતા મામા-ભાણીના સંબંધને કલંકિત કરતી એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના કેશોદ પંથકમાં સામે આવી છે. લોહીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવા આ કિસ્સામાં, એક નરાધમ મામાએ પોતાની જ સગીર ભાણેજ પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ છે.​અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈગત તારીખ 12/05/2025 ના રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં એક સગીરાના અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી તે દરમિયાન, ગુમ થયેલી કિશોરી એક અઠવાડિયા બાદ હેમખેમ પરત મળી આવી હતી. સગા મામાએ જ તેની સગીર વયનો લાભ ઉઠાવી દુષ્કર્મ ગુજાર્યું પોલીસ દ્વારા જ્યારે આ કિશોરીની સઘન પૂછપરછ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, ત્યારે જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.ભોગ બનનાર કિશોરીએ પોલીસ સમક્ષ હિંમત દાખવીને જણાવ્યું હતું કે, હાલની અપહરણની ઘટના સિવાય આશરે એક વર્ષ પહેલા તેના સગા મામાએ જ તેની સગીર વયનો લાભ ઉઠાવી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. કિશોરીનું CRPC 164 મુજબ નિવેદન લેવામાં આવ્યું આ મામલાની ગંભીરતાને જોતા, જુનાગઢ ખાતે મેજિસ્ટ્રેટ સમક્ષ કિશોરીનું CRPC 164 મુજબ નિવેદન લેવામાં આવ્યું હતું. ન્યાયાધીશ સમક્ષ પણ કિશોરીએ પોતાની સાથે થયેલા અન્યાયની આપવીતી વર્ણવી હતી. ભોગ બનનાર સગીર હોવાથી, કેશોદ પોલીસે આ મામલે સગા મામા વિરુદ્ધ: દુષ્કર્મ અને પોક્સો જેવી કલમો હેઠળ ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે. આ પણ વાંચો-----    Rajkot: પીધેલી હાલતમાં કાર ચાલકે ઘંટેશ્વર પુલ પરથી કાર નીચે ફંગોળી, કારનો કચ્ચરઘાણ

Read Full Story arrow_forward
Gandhinagar News: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતમાંથી આ 30 નેતાઓ દિલ્હી જશે
calendar_today January 16, 2026

Gandhinagar News: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતમાંથી આ 30 નેતાઓ દિલ્હી જશે

ભાજપે આજે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું શિડ્યુલ જાહેર કરાયું છે. આ પદની ચૂંટણી માટે 19 જાન્યુઆરીએ ઉમેદવારી નોંધાવાશે.ઉમેદાવારી ફોર્મની ચકાસણી પણ 19 જાન્યુઆરીએ જ કરવામાં આવશે.જ્યારે નવા અધ્યક્ષની નામની જાહેરાત 20 જાન્યુઆરીએ કરવામાં આવશે. હાલમાં ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિહારના નીતિન નબીન પદભાર સંભાળી રહ્યાં છે. તેઓ ફરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બને તેવી સંભાવનાઓ છે. ગુજરાતમાંથી 30 જેટલા ભાજપના નેતાઓ દિલ્હી જશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતમાંથી 30 જેટલા ભાજપના નેતાઓ દિલ્હી જશે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને દિલીપ સાંઘાણી સહિતના નેતાઓ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં ભાગ લેશે. રાજ્યમાંથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં રહેલા નેતાઓ દિલ્હી જઈને નવા પ્રમુખની ચૂંટણીમાં ભાગ લેશે. નિતિન નબીનની ભાજપ અધ્યક્ષ બનવાની સંભાવના ભાજપના સુત્રો પ્રમાણે પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન નિર્વિરોધ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાય તેવી સંભાવના છે. કારણ કે કોઇ અન્ય નેતાએ ચૂંટણી લડવાની સંભાવના ઘણી જ ઓછી છે.ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલ સંગઠનાત્મક ચૂંટણી સમયપત્રક અનુસાર પક્ષના પ્રમુખની ચૂંટણી માટે નામાંકન 19 જાન્યુઆરીના રોજ બપોરે 2 થી 4 વાગ્યા સુધી દાખલ કરી શકાય છે. તે જ દિવસે સાંજે 5 થી 6 વાગ્યા સુધી નામાંકન પણ પાછું ખેંચી શકાય છે.આ પણ વાંચોઃ BJP President Election: બીજેપીને 20 જાન્યુઆરીએ મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, પાર્ટીએ નોટિફિકેશન કર્યુ જાહેર

Read Full Story arrow_forward