android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar: એમ્યુઝમેન્ટ પાર્ક પાસે મોબાઈલ ટાવરમાં ભીષણ આગ, વાયરિંગ બળીને ખાખ
calendar_today January 13, 2026

Jamnagar: એમ્યુઝમેન્ટ પાર્ક પાસે મોબાઈલ ટાવરમાં ભીષણ આગ, વાયરિંગ બળીને ખાખ

જામનગર શહેરમાં આજે એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. શહેરના જાણીતા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા આ ટાવરમાં લાગેલી આગને પગલે આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગીએમ્યુઝમેન્ટ પાર્ક નજીક સ્થાપિત એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાં અકસ્માતે આગ ફાટી નીકળી હતી. આગ ટાવરના ઉપરના ભાગે હોવાથી ધુમાડા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગમાં ટાવરનું મોટાભાગનું વાયરિંગ બળીને ખાખ થઈ ગયું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ ટાવરની ટોચ પર લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ વધુ ફેલાતા અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.આ પણ વાંચો:પોશીના-હડાદ રોડ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપી પાડી

Read Full Story arrow_forward
Navsari News : શિક્ષિકા મનપસંદ જીવનસાથી મેળવવા જતાં ઠગાઈનો ભોગ બની,  મંત્ર તંત્રનો સહારો લેવા જતા જ છેતરાઈ
calendar_today January 13, 2026

Navsari News : શિક્ષિકા મનપસંદ જીવનસાથી મેળવવા જતાં ઠગાઈનો ભોગ બની, મંત્ર તંત્રનો સહારો લેવા જતા જ છેતરાઈ

દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અંગે અનેક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. તે છતાંય લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યાં છે. નવસારીમાં એક શિક્ષિકા મનપસંદ જીવનસાથી મેળવવા જતા ઓનલાઈન ઠગાઈનો ભોગ બની છે. શિક્ષિકાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેબસાઈટ ચલાવતા મોહમ્મદ બિલાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીમાં શિક્ષિકા બની ઓનલાઇન ઠગાઈનો ભોગ પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારીમાં એક શિક્ષિકા પોતાનો મનપસંદ જીવનસાથી મેળવવા ઓનલાઈન સર્ચ કરી રહી હતી. આ શિક્ષિકાએ ઓનલાઈન જાહેરાત જોઈ હતી. તે જીવન સાથી મેળવવા માટે મંત્ર તંત્રનો સહારો લેવા ગઈ અને ઠગાઈનો ભોગ બની હતી. આરોપીએ બેંક ખાતામાં વિવિધ ચાર્જ અને દુવાના નામે 2.12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં. વેબસાઇટ ચલાવતા મોહમ્મદ બિલાલની ધરપકડ પૈસા ટ્રાન્સફર થયા બાદ પોતાને ઠગાઈનો ભોગ બન્યાનો અહેસાસ થતાં પીડિતાએ મરોલી પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકાની ફરિયાદના આધારે પોલીસે મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન નામની વેબસાઈટ ચલાવતા આરોપીની ધરપકડ કરી હતી. આરોહી મોહમ્મદ બિલાલભાઈને મરોલી પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. આ પણ વાંચોઃ Rajkot News: જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદીના પાણીમાં જાણે બરફ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા

Read Full Story arrow_forward
Surendranagar પોલીસ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે લોકોને જાહેર અપીલ, જો આવું કર્યું છે તો ખેર નહીં...
calendar_today January 13, 2026

Surendranagar પોલીસ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે લોકોને જાહેર અપીલ, જો આવું કર્યું છે તો ખેર નહીં...

આગામી 14મી જાન્યુઆરીએ ઉજવનારા મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર રસ્તાઓ, ફૂટપાથ કે ભયજનક ધાબા પર પતંગ ન ચગાવવા, કારણ કે તેનાથી વાહનચાલકો અને રાહદારીઓના જીવનું જોખમ વધી જાય છે. ખાસ કરીને ચાઈનીઝ દોરી (પ્લાસ્ટિક/નાયલોન માંજા) અને ચાઈનીઝ તુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કે વપરાશ કરતું જણાશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જાહેર હિતમાં ચેતવણી તહેવાર દરમિયાન સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પતંગ પર કોઈપણ પ્રકારના આપત્તિજનક કે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર લખવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા શહેર અને જિલ્લાના પતંગ બજારોમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પતંગ લૂંટવા માટે રસ્તા પર દોડાદોડી ન કરવા અને વાહનચાલકોને ગળામાં પટ્ટી કે હેલ્મેટ પહેરીને સુરક્ષિત રીતે મુસાફરી કરવા પણ જણાવાયું છે. સુરેન્દ્રનગર પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ઉત્તરાયણના દિવસે પણ પોલીસ જવાનો તૈનાત રહેશે અને ડ્રોન કેમેરાની મદદથી જાહેરનામાના ભંગ પર નજર રાખવામાં આવશે. આ પણ વાંચો : Surat માં પુત્ર બન્યો કસાઈ, વેડ રોડ વિસ્તારમાં જનેતાને મોતને ઘાટ ઉતારી

Read Full Story arrow_forward