android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: કતારગામના જે.કે.પી નગરમાં યુવકની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં 3 થી 4 શખ્સોએ ખેલ્યો મોતનો ખેલ
calendar_today January 12, 2026

Surat: કતારગામના જે.કે.પી નગરમાં યુવકની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં 3 થી 4 શખ્સોએ ખેલ્યો મોતનો ખેલ

શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ધનમોરા ચાર રસ્તા પાસેની એક સોસાયટીમાં મોડી રાત્રે હત્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતનું વેર રાખીને આવેલા અસામાજિક તત્વોએ એક યુવકને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ દોડતી થઈ ગઈ છે.સોસાયટીમાં ઘૂસીને કર્યો હુમલોઘટનાની વિગતો મુજબ, કતારગામના ધનમોરા વિસ્તારમાં આવેલી જે.કે.પી નગર સોસાયટીમાં રહેતા વિપુલ કાનાણી નામના યુવક પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. 3 થી 4 અજાણ્યા ઈસમો હથિયારો સાથે સોસાયટીમાં ધસી આવ્યા હતા અને વિપુલ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ વિપુલને ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું પ્રાણ પંખેરું ઉડાડી દીધું હતું અને ત્યારબાદ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.જૂની અદાવત હત્યાનું કારણ?પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. વિપુલ અને હુમલાખોરો વચ્ચે અગાઉ કોઈ બાબતે તકરાર થઈ હોવાનું અનુમાન છે, જેનું વેર રાખવા માટે આ આયોજનબદ્ધ હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.પોલીસની કાર્યવાહી અને તપાસહત્યાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને સોસાયટીના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરી હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: GPSCમાં નવા સચિવની નિમણૂંક, 2021 બેચના IAS અધિકારી એસ.કે. પટેલ સંભાળશે પદભાર

Read Full Story arrow_forward
Junagadh: માંગરોળ નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, ભાજપના 8 સભ્યોની નારાજગીથી સત્તા સંકટમાં
calendar_today January 12, 2026

Junagadh: માંગરોળ નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, ભાજપના 8 સભ્યોની નારાજગીથી સત્તા સંકટમાં

જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે. પાલિકા પ્રમુખ ક્રિશ્નાબેન થાપણિયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપના શાસનમાં ઘરઆંગણે જ ભંગાણ પડતા હવે સત્તા ટકાવી રાખવી મુશ્કેલ જણાઈ રહી છે.ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગમાંગરોળ નગરપાલિકામાં કુલ 36 બેઠકો છે. હાલના પક્ષીય સમીકરણોમાં ભાજપના 15 સભ્યો,કોંગ્રેસના 15 સભ્યો, બસપા (BSP) ટેકા સાથે સત્તામાં ભાગીદાર અપક્ષ નિર્ણાયક ભૂમિકામાં ભાજપે 20 વર્ષ બાદ બસપાના ટેકાથી અહીં સત્તા મેળવી હતી, પરંતુ માત્ર એક જ વર્ષમાં શાસક પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. ભાજપના જ 8 સભ્યોએ નારાજગી દર્શાવી પક્ષ સામે બળવો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સ્થિતિનો લાભ લઈને કોંગ્રેસે તુરંત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી દીધી છે.ભાજપના ગઢમાં ગાબડાનું નારાજગી કારણ?સૂત્રોના જણાવ્યા અનુસાર, પાલિકાના કામોમાં સભ્યોની અવગણના અને શાસક પક્ષની આંતરિક ખેંચતાણને કારણે ભાજપની પેનલ નબળી પડી છે. ભાજપના જ સભ્યોના બળવાખોર તેવરને કારણે 20 વર્ષે મળેલી સત્તા ભાજપ માત્ર એક વર્ષમાં જ ગુમાવી શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.બસપા અને અપક્ષ સભ્યો 'કિંગમેકર'હાલ ભાજપ અને કોંગ્રેસ બંને 15-15 સભ્યો સાથે બરાબરી પર છે. હવે જે પણ પક્ષને બસપા અને અપક્ષ સભ્યોનું સમર્થન મળશે, તેની સત્તા પાલિકામાં રહેશે. અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન સમયે આ સભ્યોની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થશે.આ પણ વાંચો: કતારગામના જે.કે.પી નગરમાં યુવકની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં 3 થી 4 શખ્સોએ ખેલ્યો મોતનો ખેલ

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યના TRB જવાનો માટે સરકારનો મોટો નિર્ણય, દૈનિક વેતનમાં 50 ટકાનો ધરખમ વધારો
calendar_today January 12, 2026

Gandhinagar: રાજ્યના TRB જવાનો માટે સરકારનો મોટો નિર્ણય, દૈનિક વેતનમાં 50 ટકાનો ધરખમ વધારો

રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં પોલીસની ખભેખભા મિલાવીને કામ કરતા ટ્રાફિક બ્રિગેડ (TRB) ના જવાનો માટે રાજ્ય સરકારે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોનો અંત લાવી, સરકાર દ્વારા TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.TRB ના જવાનોના વેતનમાં રૂ. 150 નો વધારોરાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, ટ્રાફિક બ્રિગેડના જવાનોને અત્યાર સુધી જે દૈનિક રૂ. 300 માનદ વેતન મળતું હતું, તેમાં સીધો રૂ. 150 નો વધારો કરવામાં આવ્યો છે. હવેથી આ જવાનોને દૈનિક રૂ. 450 માનદ વેતન ચૂકવવામાં આવશે. આ નિર્ણય આજથી જ અમલી બનાવવામાં આવ્યો છે, જેના કારણે જવાનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.10,000 થી વધુ પરિવારોમાં દિવાળી જેવો માહોલસરકારના આ એક જ નિર્ણયથી રાજ્યભરના અંદાજે 10,000 થી વધુ TRB જવાનો અને તેમના પરિવારોને સીધો આર્થિક લાભ મળશે. મોંઘવારીના આ સમયમાં વેતનમાં થયેલો આ 50% નો વધારો જવાનોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.આ પણ વાંચો: માંગરોળ નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, ભાજપના 8 સભ્યોની નારાજગીથી સત્તા સંકટમાં

Read Full Story arrow_forward