android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: માંગરોળના હથોડામાં પેપર ગોડાઉનમાં ભીષણ આગ, મધ્યપ્રદેશના શ્રમિકના 6 વર્ષના માસૂમનું મોત, 5 કલાકે મળ્યો મૃતદેહ
calendar_today January 12, 2026

Surat: માંગરોળના હથોડામાં પેપર ગોડાઉનમાં ભીષણ આગ, મધ્યપ્રદેશના શ્રમિકના 6 વર્ષના માસૂમનું મોત, 5 કલાકે મળ્યો મૃતદેહ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે એક અત્યંત કરુણ ઘટના બની હતી. ગામમાં આવેલા પેપર રોલના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા રમી રહેલા બે બાળકો પૈકી એક બાળક અંદર જ ફસાઈ ગયો હતો. ફાયર વિભાગની 5 કલાકની ભારે જહેમત બાદ માસૂમ બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.માંગરોળમાં આગની ઘટનામાં બાળકનું મોતઘટનાની વિગતો અનુસાર, હથોડા ગામમાં આવેલા પેપર રોલના ગોડાઉનમાં જ્યારે સવારે આગ લાગી ત્યારે ત્યાં શ્રમિક પરિવારના બે બાળકો રમી રહ્યા હતા. આગ લાગતાની સાથે જ જ્વાળાઓ વિકરાળ બનતા બંને બાળકો ગભરાઈ ગયા હતા. જેમાંથી એક બાળક સમયસૂચકતા વાપરીને દોડીને ગોડાઉનની બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો. પરંતુ કમનસીબે, રાહુલ ડામોર નામનો બીજો બાળક બહાર નીકળી શક્યો નહોતો અને આગની લપેટમાં આવી ગયો હતો.5 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન અને કરુણ અંતઆગની જાણ થતા જ ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પેપર રોલનો મોટો જથ્થો હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આગ ઓલવ્યા બાદ ગુમ થયેલા રાહુલની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સતત 5 કલાકની શોધખોળ અને જહેમત બાદ ગોડાઉનના કાટમાળમાંથી રાહુલ ડામોરનો મૃતદેહ મળી આવ્યો હતો. માસૂમ પુત્રનો મૃતદેહ જોઈને પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.શ્રમિક પરિવારનો કમાટીભર્યો કિસ્સોમૃતક બાળક રાહુલનું પરિવાર મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાનું વતની છે અને આ વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતું હતું. કામ અર્થે ગુજરાત આવેલા આ પરિવારનો ઘરનો ચિરાગ આ દુર્ઘટનામાં બુઝાઈ ગયો છે.આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ સંપન્ન, અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય અપાઈ

Read Full Story arrow_forward
Rajkot: આટકોટ દુષ્કર્મ કેસ, માત્ર 34 દિવસમાં કોર્ટે નરાધમને દોષિત ઠેરવ્યો, 15મી જાન્યુઆરીએ સજાનું એલાન
calendar_today January 12, 2026

Rajkot: આટકોટ દુષ્કર્મ કેસ, માત્ર 34 દિવસમાં કોર્ટે નરાધમને દોષિત ઠેરવ્યો, 15મી જાન્યુઆરીએ સજાનું એલાન

 આટકોટના કાનપર ગામે 7 વર્ષની માસૂમ બાળકી પર અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાના કેસમાં રાજકોટ કોર્ટે ઐતિહાસિક ઝડપે ચુકાદો આપ્યો છે. 4 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં પોલીસે માત્ર 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેના આધારે કોર્ટે આજે આરોપી રેમસીંગ તેરસીંગને દોષિત જાહેર કર્યો છે. આ નરાધમને કેટલી સજા થશે તેનું એલાન આગામી 15મી જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.આટકોટ દુષ્કર્મ કેસગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ કાનપર ગામે 7 વર્ષની બાળકી પોતાના ભાઈ-બહેનો સાથે રમતી હતી. ત્યારે ત્રણ સંતાનોનો પિતા એવો આરોપી રેમસીંગ મોટરસાઈકલ પર આવ્યો અને બાળકીનું અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે માસૂમ પર દુષ્કર્મ આચર્યું હતું અને ક્રૂરતાની હદ વટાવતા બાળકીના ગુપ્ત ભાગમાં 5 ઇંચનો લોખંડનો સળિયો ભરાવી દીધો હતો. બાળકીની ચીસો સાંભળી તેની મામી દોડી આવતા આરોપી નાસી છૂટ્યો હતો.તબીબોએ બાળકીને નવજીવન આપ્યુંઅતિશય રક્તસ્ત્રાવને કારણે બાળકીની હાલત અત્યંત નાજુક હતી. જસદણથી તેને રાજકોટ જનાના હોસ્પિટલ ખસેડાઈ હતી. ગાયનેકોલોજીસ્ટ અને રેડિયોલોજીસ્ટના અભિપ્રાય બાદ જટિલ ઓપરેશન કરીને તબીબોએ માસૂમનો જીવ બચાવ્યો હતો.વૈજ્ઞાનિક પુરાવાઓએ આરોપીને ભીંસમાં લીધોપોલીસે 8 ડિસેમ્બરે શંકાના આધારે રેમસીંગને ઝડપ્યો હતો. તપાસમાં નીચે મુજબના મજબૂત પુરાવા મળ્યા હતા. ઘટનાસ્થળેથી મળેલા વાળના નમૂના આરોપીના DNA સાથે મેચ થયા હતા. આરોપીએ છુપાવેલો લોહીથી ખરડાયેલો સળિયો રિકવર કરાયો, જેના પરનું લોહી બાળકીનું હોવાનું સાબિત થયું.CDR રિપોર્ટ મુજબ આરોપીનું લોકેશન ઘટના સમયે કાનપર ગામમાં જ મળી આવ્યું હતું.ઝડપી ન્યાયની મિસાલબાળકીના પિતાએ કોર્ટને પત્ર લખીને ઝડપી ટ્રાયલ ચલાવવા વિનંતી કરી હતી. પરિણામે, પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી અને કોર્ટે તમામ દલીલો સાંભળી માત્ર 34માં દિવસે આરોપીને ગુનેગાર ઠેરવ્યો છે.આ પણ વાંચો:માંગરોળના હથોડામાં પેપર ગોડાઉનમાં ભીષણ આગ, મધ્યપ્રદેશના શ્રમિકના 6 વર્ષના માસૂમનું મોત, 5 કલાકે મળ્યો મૃતદેહ

Read Full Story arrow_forward
Ahmedabad: નરોડામાં પ્રોહિબિશનના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, બે કુખ્યાત શખ્સોની ધરપકડ
calendar_today January 12, 2026

Ahmedabad: નરોડામાં પ્રોહિબિશનના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, બે કુખ્યાત શખ્સોની ધરપકડ

શહેરના નરોડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ઘટના બની છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિક માથાભારે તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાનો લાભ લઈને મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો, જોકે પોલીસે હુમલો કરનાર બે શખ્સોને દબોચી લીધા છે.પોલીસ પર હુમલો કરી આરોપીને ભગાડ્યોનરોડા પોલીસની ટીમ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાલીને પકડવા માટે તેના લોકેશન પર પહોંચી હતી. પોલીસ હજુ અનિલને પકડે તે પહેલા જ ત્યાં હાજર રહેલા અન્ય બે કુખ્યાત શખ્સો જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ સોલંકીએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારાને કારણે સર્જાયેલી અફરાતફરીની આડમાં આરોપી અનિલ ઉર્ફે કાલી પોલીસના સકંજામાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.વાહનોમાં તોડફોડ અને સ્થાનિક ભયઆરોપીઓ દ્વારા કરવામાં આવેલા આડેધડ પથ્થરમારામાં માત્ર પોલીસ જ નહીં, પરંતુ રસ્તા પર પાર્ક કરેલા સ્થાનિક રહીશોના વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. નરોડા પોલીસે તુરંત કાર્યવાહી કરીને પથ્થરમારો કરનાર જીગ્નેશ અને પ્રદીપની ધરપકડ કરી લીધી છે.ગુનાહિત ઇતિહાસ અને પોલીસ તપાસપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની વિરુદ્ધ અગાઉ પણ મારામારી અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે પંચનામું કર્યું હતું અને આરોપીઓનો ડર દૂર કરવા માટે વિસ્તારમાં કડક પેટ્રોલિંગ હાથ ધર્યું છે.આ પણ વાંચો: આટકોટ દુષ્કર્મ કેસ, માત્ર 34 દિવસમાં કોર્ટે નરાધમને દોષિત ઠેરવ્યો, 15મી જાન્યુઆરીએ સજાનું એલાન

Read Full Story arrow_forward