android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: હેવાનિયત હદો પાર, મહિલાએ બાળક સાથે કરી ક્રુરતા
calendar_today January 12, 2026

Surat News: હેવાનિયત હદો પાર, મહિલાએ બાળક સાથે કરી ક્રુરતા

સુરતના સરથાણા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના યોગી ચોક પાસે આવેલી સિલિકોન રેસિડેન્સીમાં રહેતા સુધીરભાઈ વઘાસિયાના 7 વર્ષના પુત્રને એક મહિલાએ એટલી ક્રૂરતાથી માર માર્યો કે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે બાળકે મહિલાના ઘરની ડોરબેલ વગાડી હતી.જમીન પર ઢસડી અને પટકીને માર્યો વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, અપેક્ષાબેન નામની મહિલાએ માનવતા નેવે મૂકીને માસૂમ બાળકને પકડી લીધો હતો. મહિલાએ બાળકને જમીન પર ઢસડ્યો અને પટકીને માર માર્યો હતો. આ હિંસક હુમલાના કારણે માસૂમ બાળકને પેટના ભાગે અને જમણા પગે ગંભીર ઈજાઓ થઈ છે. જમીન પર ઢસડાવાને કારણે બાળકનો પગ સોજી ગયો છે અને તે હાલમાં ભયભીત અવસ્થામાં છે. પરિવારની કડક કાર્યવાહીની માગ બાળકના પિતા સુધીરભાઈ વઘાસિયાએ આ મામલે ન્યાય મેળવવા માટે સરથાણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પરિજનોની માગ છે કે, માસૂમ બાળક સાથે આવું અમાનવીય કૃત્ય કરનાર મહિલા અપેક્ષાબેન સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સોસાયટીના રહીશોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલમાં CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. એક માસૂમ બાળક સાથે માત્ર રમત-રમતમાં ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે થયેલી આ ક્રૂરતાએ સમાજમાં ચર્ચા જગાવી છે. આ પણ વાંચો - Surat ના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગોડાઉનમાં ભીષણ આગ, પેપરના સામાન સહિત ગોડાઉન બળીને ખાખ

Read Full Story arrow_forward
Gandhinagar News: 13મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ અદ્યતન બાયો સેફ્ટી લેબનો શિલાન્યાસ કરશે
calendar_today January 12, 2026

Gandhinagar News: 13મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ અદ્યતન બાયો સેફ્ટી લેબનો શિલાન્યાસ કરશે

વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે અને આજે તેમનો પ્રવાસ પૂર્ણ કરી તેઓ દિલ્હી રવાના થશે. ત્યારે આવતીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ઉતરાણનો તહેવાર અમદાવાદમાં ઉજવશે તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 13મી જાન્યુઆરીએ ગુજરાતની પ્રથમ બાયો સેફ્ટી લેબનો શિલાન્યાસ પણ તેમના હસ્તે કરવામાં આવશે. અદ્યતન બાયો સેફ્ટી લેબનો શિલાન્યાસ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 13 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે વિવિધ વિકાસ કાર્યક્રમના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમો યોજાશે.જેમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે સવારે 10:00 કલાકે આર્ટસ કોલેજના સંકુલમાં નવનિર્મિત અદ્યતન રમતગમત સંકુલ તથા અન્ય વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ ગાંધીનગર શહેરમાં સેક્ટર-28 સ્થિત એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની બાજુમાં દેશની દ્વિતીય અને ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઇનમેન્ટ ફેસીલીટી અંતર્ગત એનિમલ બાયો-સેફ્ટી લેવલ (ABSL) ફેસીલીટી સાથે બાયો-સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબનો શિલાન્યાસ કરવામાં આવશે.આ પણ વાંચોઃ Surat News: ઓલપાડના મહિલા નાયબ મામલતદારે જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward
Surat: ઉધનામાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ, ડાઇંગ મિલો કેમિકલયુક્ત પાણી છોડતું હોવાનો આરોપ
calendar_today January 12, 2026

Surat: ઉધનામાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ, ડાઇંગ મિલો કેમિકલયુક્ત પાણી છોડતું હોવાનો આરોપ

સુરત શહેરના ઉધનામાં અમૃત નગરમાં સ્થાનિકો છેલ્લા કેટલાંક દિવસથી પીવાના પાણીના ગંદા આવવાની ફરિયાદ કરી રહ્યા છે. પાણી ગંદુ અને કલરયુક્ત આવી રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણી ગંદુ અને કલરયુક્ત આવી રહ્યું છે, જેના કારણે નાગરિકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેરકાયદેસર ચાલતાં તપેલા ડાઇગમિલો સામે આરોપ સ્થાનિકોએ આ બાબતમાં મુખ્ય કારણ ગેરકાયદેસર ચાલતાં તપેલા ડાઇગમિલો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક લોકોના આરોપ અનુસાર આ ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલરયુકત પાણી છોડી દેવામાં આવે છે પાલિકા દ્વારા માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અગાઉ આવી સમસ્યા નોંધાઇ હતી, ત્યારે પણ પાલિકા દ્વારા માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અને સ્થાયી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. કામગીરીની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી  લોકોએ જણાવ્યું કે સુરત પાલિકા તંત્રની કામગીરીની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી ચુકી છે, પરંતુ હજુ સુધી તંત્રનો કાર્યક્ષમ પ્રતિસાદ જોવા મળ્યો નથી. તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી સ્થાનિકો અને નાગરિકોએ તંત્ર પર તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી છે, જેથી પાણીની ગુણવત્તા સુધારી સુરતવાસીઓના આરોગ્યને જોખમમાંથી બચાવી શકાય. થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી પણ શહેરના પાણી અને સ્વચ્છતા સંબંધી સમસ્યાઓ પર પાલિકાને ટકોર કરી ચૂક્યા હતા.આ પણ વાંચો-----    Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

Read Full Story arrow_forward