android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CM વિષ્ણુ દેવ સાંઈની મોટી જાહેરાત, છત્તીસગઢના કર્મચારીઓને મળશે મહત્વપૂર્ણ ભેટ
calendar_today January 11, 2026

CM વિષ્ણુ દેવ સાંઈની મોટી જાહેરાત, છત્તીસગઢના કર્મચારીઓને મળશે મહત્વપૂર્ણ ભેટ

છત્તીસગઢના મુખ્યપ્રધાન વિષ્ણુ દેવ સાંઈએ રાજ્યના કર્મચારીઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. રાજ્યના કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માગ કરી રહ્યા છે. મુખ્યપ્રધાને રવિવારે આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યના કર્મચારીઓને હવે કેન્દ્ર સરકારની જેમ જ મોંઘવારી ભથ્થું (DA) મળશે.મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાશે મુખ્યપ્રધાન વિષ્ણુ દેવ સાંઈએ છત્તીસગઢના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્યના કર્મચારીઓને હવે કેન્દ્ર સરકારની જેમ 58 ટકા મોંઘવારી ભથ્થું મળશે. મુખ્યપ્રધાન વિષ્ણુ દેવ સાંઈએ રાજ્ય કર્મચારી સંઘના આઠમા રાજ્ય સંમેલન દરમિયાન આ જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને કહ્યું કે આજે તેમને કર્મચારીઓની લાગણીઓ અને અપેક્ષાઓને સમજવાની તક મળી. સરકાર તેના કર્મચારીઓના હિત પ્રત્યે ગંભીર મુખ્યપ્રધાન સાંઈએ જણાવ્યું હતું કે કેન્દ્રના યુનિયન અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી રાજ્યના કર્મચારીઓને કેન્દ્ર સરકાર જેટલું જ ડીએ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર કર્મચારીઓના હિત માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે કર્મચારીઓને લગતી અન્ય પડતર માગણીઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે અને તેમની ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે, જેથી વ્યવહારુ અને સંતુલિત ઉકેલ શોધી શકાય. મુખ્યપ્રધાને કહ્યું કે દેશના ઘણા રાજ્યો હજુ પણ કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થાના સ્તર સુધી પહોંચ્યા નથી, પરંતુ છત્તીસગઢ સરકારે કર્મચારીઓને સમાન અધિકાર આપવાનો નિર્ણય લીધો છે. અગાઉ, ઓગસ્ટ 2025માં રાજ્ય સરકારે DAમાં 2 ટકાનો વધારો કર્યો હતો, જેનાથી મોંઘવારી ભથ્થું 55 ટકા થયું હતું. હવે, નવા વધારા સાથે વધતી જતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓને વધારાની રાહત મળશે. કર્મચારીઓના કલ્યાણ સંબંધિત નિર્ણયોમાં કોઈ વિલંબ થશે નહીં મુખ્યપ્રધાન વિષ્ણુ દેવ સાંઈએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના કર્મચારીઓ તેમના રાજ્ય માટે દિવસ-રાત કામ કરે છે. તેથી જ તેમણે ડીએ વધારવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં કર્મચારી કલ્યાણ સંબંધિત નિર્ણયો પ્રાથમિકતાના ધોરણે લેવામાં આવશે. કલ્યાણકારી નિર્ણયોમાં ક્યારેય વિલંબ થશે નહીં. રાજ્ય કર્મચારી સંઘના પદાધિકારીઓએ મુખ્યપ્રધાનના નિર્ણયનું સ્વાગત કર્યું, તેને કર્મચારીઓ પ્રત્યે સરકારના સકારાત્મક વલણનો પુરાવો ગણાવ્યો અને આશા વ્યક્ત કરી કે અન્ય માગણીઓ પર પણ ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણયો લેવામાં આવશે.આ પણ વાંચો: NHAIએ બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, હાઈવે બાંધકામમાં લગાવી ઐતિહાસિક છલાંગ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :PMના સ્વાગતમાં ભક્તિ અને શક્તિનો સંગમ, ગાંધીનગરમાં MLA અને કોર્પોરેટરોએ ગરબે ઘૂમીને વ્યક્ત કર્યો હર્ષ
calendar_today January 11, 2026

Gujarat Latest News Live :PMના સ્વાગતમાં ભક્તિ અને શક્તિનો સંગમ, ગાંધીનગરમાં MLA અને કોર્પોરેટરોએ ગરબે ઘૂમીને વ્યક્ત કર્યો હર્ષ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Somnath 'સ્વાભિમાન પર્વ'ની અવધિ લંબાવાઈ: હવે 15 જાન્યુઆરી સુધી યોજાશે ઉત્સવ
calendar_today January 11, 2026

Somnath 'સ્વાભિમાન પર્વ'ની અવધિ લંબાવાઈ: હવે 15 જાન્યુઆરી સુધી યોજાશે ઉત્સવ

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ને લઈને શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહેલા અભૂતપૂર્વ ઉત્સાહ અને ભક્તિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, આ મહોત્સવ હવે આગામી 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.ભક્તિ અને લોકલાગણીનો આદર મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સોમનાથ ખાતે ઉમટી રહેલી શ્રદ્ધાળુઓની વિશાળ મેદની અને પર્વના વિવિધ આકર્ષણો પ્રત્યેના આકર્ષણને જોતા આ નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ લોકોમાં આ પર્વને નિહાળવા માટે અનેરો ધસારો જોવા મળી રહ્યો છે, જેથી વધુમાં વધુ લોકો આ ઐતિહાસિક પર્વનો લ્હાવો લઈ શકે તેવો સરકારનો ઉદ્દેશ્ય છે. સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ લંબાવવામાં આવેલા સમયગાળા દરમિયાન પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી ચાલુ રહેશે. જેમાં; કલાકારોની પ્રસ્તુતિ: રાજ્યના ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિ સંગીત અને લોકસાહિત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાંસ્કૃતિક વણઝાર: ગુજરાતની સમૃદ્ધ વિરાસતને પ્રદર્શિત કરતા અનેકવિધ પરંપરાગત કાર્યક્રમો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આમ, હવે સોમનાથ આવતા યાત્રાળુઓ 15 જાન્યુઆરી સુધી આ પવિત્ર અને ગૌરવશાળી 'સ્વાભિમાન પર્વ'ના સાક્ષી બની શકશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward