android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat : આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
calendar_today January 11, 2026

Gujarat : આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે, જે માનવને સ્વસ્થ, સંતુલિત અને આત્મનિર્ભર જીવન તરફ દોરી જાય છે. અડાલજ સ્થિત દાદા નગર કન્વેશન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસ પીઠ દ્વારા આયોજિત 'આયુર્વિવેક મહોત્સવ’ માં રાજ્યપાલે આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ ગણાવીને કહ્યું કે, ભારતીય ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે જે ઔષધિઓ અને સિદ્ધાંતો આપ્યા છે, તે આજની આધુનિક પ્રયોગશાળાઓમાં પણ સ્વીકાર્ય છે. આપણા ઋષિઓ સાચા અર્થમાં પ્રથમ ‘રિસર્ચ સ્કોલર’ હતા.કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં 450 ગાય છે રાજ્યપાલે આજની પેઢીમાં મોબાઈલની વધતી લત પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ લત આવનારી પેઢી માટે ગંભીર સમસ્યા બની રહી છે. ગાય અને પંચગવ્યના મહત્વ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે ગાયનું ઋગ્વેદમાં ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ગાયમાં પોતાના સંતાન પ્રત્યે માનવ માતા જેવું મમત્વ હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, દેશી ભારતીય ગાયના દૂધ, ગોમૂત્ર અને ગોબરમાં અદભૂત ગુણધર્મો છે અને ગોમૂત્ર અને ઘીમાં ઝેરને પણ શુદ્ધ કરવાની ક્ષમતા છે. રાજ્યપાલે જણાવ્યું કે, કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં 450 ગાય છે અને જાત સુધારાના પરિણામે કેટલીક ગાયો રોજ 40 લિટર દૂધ આપે છે. પ્રાકૃતિક ખેતી વિશે બોલતાં રાજ્યપાલે જણાવ્યું કે, તેમણે ગુરુકુલની 200 એકર જમીન પર યુરિયા અને ડીએપીનો સંપૂર્ણ ત્યાગ કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી એક જેવી નથી; ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ, મહેનત વધુ લાગે છે અને ઘણી વખત અપેક્ષિત ઉત્પાદન આપતી નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીથી નહિવત ખર્ચે વધુ ઉત્પાદન આવે છે અને જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે. રાસાયણિક ખેતીથી માટી પથ્થર જેવી કઠોર બની ગઈ તેમણે જણાવ્યું કે દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300થી 500 કરોડ સૂક્ષ્મજીવો હોય છે, જેના દ્વારા ‘જીવામૃત’ તૈયાર થાય છે. જીવામૃત માટીની ઉપજાવ ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. રાસાયણિક ખેતીથી માટી પથ્થર જેવી કઠોર બની ગઈ છે, જે પાણી શોષી શકતી નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીથી માટી છિદ્રાળુ અને ફળદ્રુપ બને છે. આરોગ્યના સંદર્ભમાં તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે પાણીમાં નાઈટ્રેટ અને માતાના દૂધમાં પણ યુરિયા તથા કેમિકલ્સ મળી રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે. વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા અપીલ તેનો એકમાત્ર ઉકેલ ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી છે. તેમણે જણાવ્યું કે, ગાયનું ઘી સાપ અને મધમાખીના ઝેરને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સહાયક છે. સાથે જ તેમણે ‘સેક્સ સોર્ટેડ સીમેન’ ટેકનોલોજીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેના દ્વારા માત્ર વાછરડીઓ જન્મે છે અને દૂધ ઉત્પાદન પણ વધે છે. રાજ્યપાલે વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા અપીલ કરી, જેથી ભારત સ્વસ્થ, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બની શકે. તેમણે માટી અને ખેતીના પરિવર્તનને બિનઉપજાઉ જમીન અને જંગલના તફાવત સાથે સરખાવતા જણાવ્યું કે, જ્યાં રસાયણ માટીને નિર્જીવ બનાવે છે, ત્યાં ગૌ-આધારિત તત્વો તેને જંગલની જેમ જીવંત અને સ્વયંસ્ફૂર્ત બનાવે છે. આ પણ વાંચો: Rajkot VGRC 2026: વડાપ્રધાન મોદીએ કહ્યું, વિકાસ ભી અને વિરાસત ભી આ મંત્ર દરેક જગ્યાએ ગુંજી રહ્યો છે

Read Full Story arrow_forward
Gandhinagr: મેટ્રોના લોકાર્પણ બાદ PM મોદી લોક ભવન પહોંચ્યા, અહીં કરશે રાત્રિ રોકાણ
calendar_today January 11, 2026

Gandhinagr: મેટ્રોના લોકાર્પણ બાદ PM મોદી લોક ભવન પહોંચ્યા, અહીં કરશે રાત્રિ રોકાણ

PM નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના ભાગરૂપે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પહોંચી ગયા છે. આજે સાંજે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ અને મેટ્રોની સફર કર્યા બાદ પીએમ મોદી સીધા જ લોકભવન ખાતે જવા રવાના થયા હતા.લોકભવન ખાતે રાત્રિ રોકાણપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે લોકભવન ખાતે રોકાણ કરશે. પીએમના આગમનને પગલે લોકભવન અને તેની આસપાસના વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. SPG અને સ્થાનિક પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આવતીકાલના કાર્યક્રમો પર નજરલોકભવન ખાતે રાત્રિ વિશ્રામ બાદ, આવતીકાલે PM અન્ય મહત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને બેઠકોમાં સહભાગી થશે. લોકભવન ખાતે પીએમ મોદી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓ સાથે અનૌપચારિક મુલાકાત કરે તેવી પણ શક્યતા છે.આ પણ વાંચો: PM મોદીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટને આપી લીલીઝંડી

Read Full Story arrow_forward
NHAIએ બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, હાઈવે બાંધકામમાં લગાવી ઐતિહાસિક છલાંગ
calendar_today January 11, 2026

NHAIએ બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, હાઈવે બાંધકામમાં લગાવી ઐતિહાસિક છલાંગ

ભારતે રોડ અને હાઈવે બાંધકામમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ સતત બિટ્યુમિનસ કોંક્રિટ પાથરવામાં બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો છે. આ વખતે NHAIએ કુલ 57,500 મેટ્રિક ટન સામગ્રીનો ઉપયોગ કરીને 156 લેન-કિલોમીટર રસ્તા પર બિટ્યુમિનસ કોંક્રિટનો સતત સ્તર નાખ્યો. નીતિન ગડકરીએ આપી જાણકારી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી. તેમણે કહ્યું, "હાઈવે એન્જિનિયરિંગમાં નવા વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરીને NHAIએ સતત બિટ્યુમિનસ કોંક્રિટ પાથરવામાં બે વધુ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ઈતિહાસ રચ્યો છે. રેકોર્ડ 156 લેન-કિમી અને 57,500 મેટ્રિક ટન બિટ્યુમિનસ કોંક્રિટ સતત પાથરવામાં આવી હતી, જે 84.4 લેન-કિમીના અગાઉના વિશ્વ રેકોર્ડને વટાવી ગઈ છે." પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા વધુમાં, મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વ હેઠળની આ સિદ્ધિઓ વિશ્વ કક્ષાના હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટાપાયે પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ભારતની વધતી જતી નેતૃત્વને ઉજાગર કરે છે. અગાઉનો રેકોર્ડ 84.4 લેન કિલોમીટરનો હતો, જે ભારતે લગભગ બમણો કર્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી નજીક, બેંગલુરુ-કડપા-વિજયવાડા 6-લેન ઈકોનોમિક કોરિડોરના પેકેજ 2 અને પેકેજ 3માં પૂર્ણ કરવામાં આવી હતી.આ સ્મારક સીમાચિહ્ન હાંસલ કરવા માટે અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામગ્રી પુરવઠો, સતત મશીન ઉપલબ્ધતા અને સ્થળ પર કડક ગુણવત્તા નિયંત્રણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં IIT બોમ્બે જેવી પ્રતિષ્ઠિત તકનીકી સંસ્થાઓનો સહયોગ પણ સામેલ હતો, જેથી રસ્તાની મજબૂતાઈ અને ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે. આ પહેલા પણ આ રેકોર્ડ બન્યો હતો અગાઉ, 6 જાન્યુઆરી, 2026ના રોજ NHAIએ 24 કલાકમાં 28.8 લેન-કિલોમીટરનો રસ્તો બનાવીને અને 10,655 મેટ્રિક ટન બિટ્યુમિનસ કોંક્રિટ નાખીને આ જ કોરિડોર પર બે વૈશ્વિક રેકોર્ડ બનાવ્યા હતા. આટલા ઓછા સમયમાં એક જ પ્રોજેક્ટ પર આ સતત રેકોર્ડ તોડનાર સિદ્ધિ ભારતની બાંધકામ ક્ષમતાઓ અને કાર્યક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે. સરકારનું ધ્યાન એક આધુનિક, સલામત અને ટકાઉ રોડ નેટવર્ક બનાવવા પર છે જે ફક્ત મુસાફરીને સરળ બનાવશે નહીં પરંતુ દેશની આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે.આ પણ વાંચો: Jammu Kashmir : આતંકીઓની સેટેલાઈટ કોમ્યુનિકેશન કરવામાં આવી ટ્રેક, એક્ટિવ મળ્યું ડિવાઈસ

Read Full Story arrow_forward