Somnath પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: હેલિપેડ પર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન અને આશીર્વાદ લેવા માટે સોમનાથ આવી પહોંચ્યા છે. રાજકોટના હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે તેઓ સોમનાથ હેલિપેડ ખાતે ઉતર્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વાગત સોમનાથ હેલિપેડ પર વડાપ્રધાનના આગમન સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કર્યું હતું. આ તકે ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. રાવ, રાજ્ય પોલીસ વડા (DGP), ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. સર્કિટ હાઉસ તરફ રવાના સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રીનો કાફલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોમનાથ હેલિપેડથી સોમનાથ સર્કિટ હાઉસ તરફ રવાના થયો હતો. વડાપ્રધાનની આ મુલાકાતને પગલે સમગ્ર સોમનાથ તીર્થક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સર્કિટ હાઉસ ખાતે ટૂંકા વિરામ બાદ તેઓ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward