android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Somnath News : મહાદેવના ચરણોમાં રાજ્યના મંત્રીઓ, ડૉ. પ્રઘુમન વાજા અને કૌશિક વેકરીયાએ કર્યા દર્શન
calendar_today January 10, 2026

Somnath News : મહાદેવના ચરણોમાં રાજ્યના મંત્રીઓ, ડૉ. પ્રઘુમન વાજા અને કૌશિક વેકરીયાએ કર્યા દર્શન

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અત્યારે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના અનોખા સંગમ સમાન બની રહ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે ઋષિકુમારો દ્વારા 72 કલાકના અખંડ “ૐકાર જાપ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રઘુમનભાઈ વાજા તેમજ કાયદો અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ વિશેષ ઉપસ્થિત રહી ભાવપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. આ પ્રસંગે મંત્રીઓએ ભગવાન સોમનાથના પાવન દર્શન કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને દેશની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.સોમનાથ સ્વાભિમાન પર્વ આ આધ્યાત્મિક મહોત્સવમાં મંત્રીઓ સાથે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કારડીયાએ પણ અખંડ જાપમાં જોડાઈને શ્રદ્ધા પ્રગટ કરી હતી. ઉપરાંત રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ પણ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનું પ્રતિક છે. મહોત્સવના આ પવિત્ર વાતાવરણમાં સતત ગુંજી રહેલા ૐકારના નાદથી સમગ્ર સોમનાથ પરિસર દિવ્ય ચેતનાથી ઝળહળી ઉઠ્યું છે. આ પણ વાંચો : Amreli News : રાજુલા-મહુવા રોડ પર ટ્રાફિકના દ્રશ્યો, ડુંગર ફાટક પર ગુડ્સ ટ્રેન ખોટકાતા વાહનચાલકો પરેશાન

Read Full Story arrow_forward
Jamnagar News: કાશી વિશ્વનાથ મંદિરમાં અખંડ મંત્રોચ્ચાર, ગુંજી ઉઠ્યું શિવાલય
calendar_today January 10, 2026

Jamnagar News: કાશી વિશ્વનાથ મંદિરમાં અખંડ મંત્રોચ્ચાર, ગુંજી ઉઠ્યું શિવાલય

'છોટા કાશી' તરીકે જાણીતા જામનગર શહેરમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે શહેરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા કાશી વિશ્વનાથ મંદિર ખાતે 72 કલાકના અખંડ મંત્રોચ્ચારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય ઊર્જા અને ભક્તિમય વાતાવરણમાં તરબતર થઈ ગયું છે.વૈદિક મંત્રોચ્ચાર અને મહાઆરતીનું આયોજન આ વિશેષ અનુષ્ઠાન અંતર્ગત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સતત 72 કલાક સુધી શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આગામી 10 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ સાંજે ભવ્ય મહાઆરતી, સત્સંગ અને ભજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. "ૐ નમઃ શિવાય" ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે, જેનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ આ દિવ્ય સત્સંગ અને મંત્રોચ્ચારના કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ મેયર બીનાબેન કોઠારી તથા શહેરના કોર્પોરેટરો અને અગ્રણીઓએ પણ શિવ આરાધનામાં સહભાગી થઈને ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધાળુઓ માટે આ આયોજન માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ આધ્યાત્મિક શાંતિ મેળવવાનું એક ઉત્તમ માધ્યમ બન્યું છે. આ પણ વાંચો - Jamnagar News: ઘોડીપાસાના જુગાર ધામ પર રેડ, 24 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward
Surat : મોટા વરાછામાં હત્યાનો બનાવ, નજીવી બાબતે યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
calendar_today January 10, 2026

Surat : મોટા વરાછામાં હત્યાનો બનાવ, નજીવી બાબતે યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

સુરતના મોટાવરાછા વિસ્તારમાં હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકની ઓળખ સાહીલ ઘોદા તરીકે કરવામાં આવી છે.આરોપી અને મૃતક વચ્ચે અગાઉ નજીવી બાબતે ઝગડો થયો હતો પ્રાપ્ત માહિતી મુજબ આરોપી અને મૃતક વચ્ચે અગાઉ નજીવી બાબતે ઝગડો થયો હતો. બાદમાં સમાધાનના બહાને મૃતકે આરોપીને મોટા વરાછા ખાતે બોલાવ્યો હતો. વાત મારામારી સુધી પહોંચી પરંતુ ત્યાં પહોંચતા જ ફરી એકવાર બંને વચ્ચે ઝગડો થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ.સાળા-બનેવીએ ઉગ્ર બની સાહીલ ઘોદા પર ચપ્પુ વડે હુમલો કર્યો આ દરમિયાન આરોપી સાળા-બનેવીએ ઉગ્ર બની સાહીલ ઘોદા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે સાહીલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હત્યાના આરોપી સાળા-બનેવીને ઝડપી પાડ્યા ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હત્યાના આરોપી સાળા-બનેવીને ઝડપી પાડ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો-----    Ahmedabad News: 2 પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે 'યુસુફ મામા'ની ધરપકડ

Read Full Story arrow_forward