android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ
calendar_today January 10, 2026

PM મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાના કડક આયોજન હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના સુરક્ષિત અને સુચારૂ પ્રવાસના આયોજન અન્વયે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં શહેરના તમામ સંયુક્ત પોલીસ કમિશનરો, એડિશનલ પોલીસ કમિશનરો, અને DCP સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાન મોદીના રૂટ, જાહેર સભાના સ્થળો અને મહત્ત્વના જંકશનો પર તૈનાત કરવામાં આવનાર પોલીસ બંદોબસ્તની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરે સ્પષ્ટ સૂચના આપી હતી કે, સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ચલાવી લેવામાં આવશે નહીં. ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિનું નિરીક્ષણ ઉલ્લેખનીય છે કે, આજની બેઠક પૂર્વે શુક્રવારે પોલીસ કમિશનર જી. એસ. મલિકે વ્યક્તિગત રીતે વડાપ્રધાન મોદીના નિર્ધારિત કાર્યક્રમ સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓએ સ્થળ પર જઈને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ, પાર્કિંગ વ્યવસ્થા અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગે રુબરુ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચુસ્ત બંદોબસ્તનું આયોજન વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે 'સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ' સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસ દ્વારા થ્રી-લેયર સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. મુલાકાત દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી શકે છે. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને CCTV મોનિટરિંગથી પણ બાજ નજર રાખવામાં આવશે. આ પણ વાંચો - Ahmedabad News: વિજય ચાર રસ્તા પાસે સર્જાયો ગંભીર અકસ્માત

Read Full Story arrow_forward
Dwarka News: મકનપુર દરિયામાં 4 યુવક ડૂબ્યા
calendar_today January 10, 2026

Dwarka News: મકનપુર દરિયામાં 4 યુવક ડૂબ્યા

Dwarka News: જગત મંદિર દ્વારકાના દર્શને આવતા પ્રવાસીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામ પાસેના દરિયાકિનારે ગઈકાલે મોડી સાંજે સ્નાન કરવા પડેલા રાજસ્થાનના ચાર યુવકો દરિયાના કરંટમાં ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકો અને તંત્રની મદદથી ત્રણ યુવકોને હેમખેમ બચાવી લેવાયા છે, પરંતુ એક યુવક હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.પ્રવાસ બન્યો દુઃસ્વપ્ન ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજસ્થાનથી મિત્રોનું એક ગ્રુપ દ્વારકા દર્શનાર્થે આવ્યું હતું. દ્વારકા દર્શન કર્યા બાદ આ મિત્રો મકનપુર ગામના દરિયાકિનારે ફરવા ગયા હતા. મોડી સાંજે દરિયાના મોજાની મજા માણવા ચાર મિત્રો પાણીમાં ઉતર્યા હતા, પરંતુ દરિયાના તેજ પ્રવાહ અને ઊંડા પાણીનો અંદાજ ન આવતા ચારેય યુવકો ડૂબવા લાગ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ આ સમગ્ર ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ત્રણ યુવાનોને દરિયામાંથી બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી. જોકે, ચોથો યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ દ્વારકા ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.https://x.com/sandeshnews/status/2009869250639622210 ફાયર વિભાગ દ્વારા શોધખોળ ગઈકાલે મોડી સાંજથી જ દ્વારકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાપતા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં કરંટ હોવાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, રાજસ્થાનથી આવેલા આ પ્રવાસી મિત્રોમાં આ અકસ્માતને પગલે ભારે શોક અને ફફડાટ વ્યાપી ગયો છે. હાલ દ્વારકા પોલીસ આ મામેલ વધુ તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચો - Dwarka News: સલાયામાં લગ્નની જાનમાં આખલો ઘુસ્યો, 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Gandhinagar News : ગાંધીનગરના આંગણે PM મોદી, મહાત્મા મંદિરથી મેટ્રો કનેક્ટિવિટીના નવા યુગનો પ્રારંભ
calendar_today January 10, 2026

Gandhinagar News : ગાંધીનગરના આંગણે PM મોદી, મહાત્મા મંદિરથી મેટ્રો કનેક્ટિવિટીના નવા યુગનો પ્રારંભ

PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને ગાંધીનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. PM આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરની મુલાકાત લેશે, જ્યાં તેઓ મેટ્રો રેલ ફેઝ-2 ની કામગીરી પૂર્ણ થયા બાદ તૈયાર થયેલા નવા 5 સ્ટેશનોનું વિધિવત લોકાર્પણ કરશે. આ નવા સ્ટેશનો શરૂ થવાથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને મુસાફરોને ઝડપી પરિવહનની સુવિધા મળશે.ગુજરાત પ્રવાસે PM મોદી PM મોદીના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરના માર્ગો પર PMના સુરક્ષા કાફલાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ડમી કાફલા સાથે સુરક્ષાના તમામ પ્રોટોકોલ તપાસવામાં આવ્યા હતા. મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહેશે. મેટ્રો ફેઝ-2 ની સફળતા બાદ હવે આ વિસ્તારના વિકાસને નવી પાંખો મળશે તેવું મનાઈ રહ્યું છે. આ પણ વાંચો : Surat ડ્રગ્સ લેબ કેસમાં નવો વળાંક, તપાસ છોડી દિલ્હી ભાગી ગયેલી સંચાલક ઇશા અરણધણની થશે પૂછપરછ

Read Full Story arrow_forward