android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Somnathમાં સ્વાભિમાન પર્વની રવાડીનો ભવ્ય ઠાઠ: ઢોલ-તાશાના ગુંજતા નાદમાં ભક્તો ઝૂમ્યા, જોશમાં ત્રણ ઢોલ પણ ફૂટી ગયા
calendar_today January 9, 2026

Somnathમાં સ્વાભિમાન પર્વની રવાડીનો ભવ્ય ઠાઠ: ઢોલ-તાશાના ગુંજતા નાદમાં ભક્તો ઝૂમ્યા, જોશમાં ત્રણ ઢોલ પણ ફૂટી ગયા

ભગવાન સોમનાથના સાનિધ્યમાં યોજાઈ રહેલા ઐતિહાસિક 'સ્વાભિમાન પર્વ' અંતર્ગત નીકળેલી ભવ્ય રવાડીએ સમગ્ર નગરીમાં આકર્ષણ જમાવ્યું હતું. ભક્તિ, શૌર્ય અને પરંપરાના ત્રિવેણી સંગમ સમાન આ રવાડીમાં ઢોલ-તાશાના કલાકારોની પ્રસ્તુતિએ યાત્રિકોમાં અનોખો જોશ ભરી દીધો હતો.ઢોલ-તાશાના નાદથી ગુંજી ઉઠી સોમનાથ નગરી રવાડીમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલા ઢોલ-તાશાના અંદાજે ૫૦ જેટલા કુશળ કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. પરંપરાગત સંગીતના તાલ અને લય સાથે આ કલાકારોએ વાતાવરણને એટલું જોશપૂર્ણ બનાવી દીધું હતું કે માર્ગમાં ઉભેલા દર્શકો અને યાત્રિકો પણ સ્વયંભૂ નાચી ઉઠ્યા હતા. કલાકારોના વાદનમાં એટલો ઉત્સાહ હતો કે જોશપૂર્ણ રજૂઆત દરમિયાન ત્રણ જેટલા ઢોલ પણ તૂટી ગયા હતા. જનમેદનીમાં ભારે ઉત્સાહ રવાડી જ્યારે સોમનાથના માર્ગો પરથી પસાર થઈ ત્યારે માર્ગની બંને બાજુએ ઉભેલા શ્રદ્ધાળુઓએ 'હર હર મહાદેવ' અને 'જય શિવશંકર'ના નાદ સાથે ગગન ગજવી મૂક્યું હતું. રાજ્યના વિવિધ ખૂણેથી આવેલા ભક્તો આ લોકઉત્સવમાં જોડાયા હતા. ઢોલ-તાશાના ગુંજતા નાદ અને શિસ્તબદ્ધ રજૂઆતને કારણે આ રવાડી એક યાદગાર સંભારણું બની રહી હતી. સાંસ્કૃતિક ગૌરવની અભિવ્યક્તિ સ્વાભિમાન પર્વની આ રવાડીએ સનાતન સંસ્કૃતિના મહિમાને વધુ ઉજાગર કર્યો હતો. પરંપરાગત વાદ્યોના તાલે ભક્તિ અને આનંદનો જે અનોખો સંગમ સર્જાયો હતો તેણે સોમનાથના આંગણે સાંસ્કૃતિક વૈભવના દર્શન કરાવ્યા હતા. આ આયોજને ઉપસ્થિત લાખો શ્રદ્ધાળુઓ માટે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ ઊભું કર્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar:  કેવી છે સોમનાથમાં સ્વાભિમાન પર્વની તૈયારીઓ, જાણો મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું
calendar_today January 9, 2026

Gandhinagar: કેવી છે સોમનાથમાં સ્વાભિમાન પર્વની તૈયારીઓ, જાણો મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું

ભારતીય સંસ્કૃતિના રક્ષકોના બલિદાનને યાદ કરવા અને આસ્થાના કેન્દ્રોનું મહત્વ નવી પેઢી સુધી પહોંચાડવા માટે સોમનાથમાં ભવ્ય 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી થઈ રહી છે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ઉત્સવની પૂર્વ તૈયારીઓની વિગતો આપતા જણાવ્યું કે, સોમનાથ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ કરોડો ભારતીયોની અતૂટ આસ્થાનું પ્રતીક છે.72 કલાક સુધી ઓમકારના જાપ કરાયામુખ્ય આકર્ષણો અને આધ્યાત્મિક આયોજનમાં 72 કલાક અખંડ ૐકાર જાપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને સાકાર કરતા, વિશ્વ કલ્યાણ અર્થે ઋષિકુમારો દ્વારા સતત 72 કલાક સુધી ઓમકારના જાપ કરવામાં આવી રહ્યા છે. તા. 10 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સોમનાથ પધારશે. તેમના અભિવાદન માટે ૧૦૮ ઘોડાઓની શૌર્ય યાત્રા અને આધુનિક ડ્રોન શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે સોમનાથનો જીર્ણોદ્ધાર કરી રાષ્ટ્રનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કર્યું હતું, તે જ ભાવના સાથે આ પર્વ ઉજવાઈ રહ્યો છે.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશના આધ્યાત્મિક કેન્દ્રોનો વિકાસ થયો મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશના આધ્યાત્મિક કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના સાધુ-સંતો દ્વારા ભવ્ય રેવાડી કાઢવામાં આવશે, જેમાં લાખો ભક્તો જોડાશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સોમનાથની આ દિવ્યતા વચ્ચે વડાપ્રધાન રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં પણ ભાગ લેશે, જે સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને વેગ આપશે. આ પર્વ માત્ર ભક્તિ જ નહીં, પરંતુ ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિના જતનનો એક મજબૂત સંદેશ છે.આ પણ વાંચોઃ Ghandhinagar: ખેડૂતોની માંગણીઓ સંતોષાતા કિસાન સંઘનું આંદોલન કરાયું સ્થગિત

Read Full Story arrow_forward
Rajkot News: ગોંડલ પ્રાંત કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મર્યો, સાઉથ સુપર સ્ટાર અજિતકુમારને પણ નિશાન બનાવાની ધમકી
calendar_today January 9, 2026

Rajkot News: ગોંડલ પ્રાંત કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મર્યો, સાઉથ સુપર સ્ટાર અજિતકુમારને પણ નિશાન બનાવાની ધમકી

ગુજરાતમાં સ્કૂલો, એરપોર્ટ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. આ ઉપરાંત સરકારી કચેરીઓને પણ આ પ્રકારની ધમકીઓના ઈમેલ મળી ચૂક્યા છે. ત્યારે હવે ગોંડલ પ્રાંત અધિકારી કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીને પગલે પોલીસે ડોગ સ્કવોર્ડને સાથે રાખીને સમગ્ર પરિસરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતાં પોલીસે રાહતનો શ્વાસ લધો હતો. કચેરીને મળેલા ઈ મેલમાં કોઈમ્બતૂર 1997 ઓપરેશનનો ઉલ્લેખ કર્યો હતો. સુપર સ્ટાર અજિતકુમારને પણ નિશાન બનાવવાની ધમકી ગોંડલ પ્રાંત અધિકારીની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. ધમકીની જાણ થતાં જ પોલીસ કાફલો અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી ગયા હતાં. સમગ્ર કચેરીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. કોર્ટને મળેલા ઈ મેલમાં કોઈમ્બતૂર 1997 ઓપરેશનનો ઉલ્લેખ કરાયો હતો. આ ઈમેલમાં સાઉથના સુપર સ્ટાર અજિતકુમારને પણ નિશાન બનાવવાની ધમકી અપાઈ હતી. સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ ગુજરાતની અન્ય કોર્ટ અને કલેક્ટર કચેરીઓને છેલ્લા બે ત્રણ દિવસમાં આ પ્રકારની ધમકીઓ મળી હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સાયબર ક્રાઈમ દ્વારા ઈમેલ કરનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ડોગ સ્કવોર્ડ દ્વારા તમામ કચેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News: ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ અંગેના 409 ગુના નોંધાયા, 477 આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward