android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
DA Hike News: કેન્દ્રીય કર્મચારીઓની લાગી લોટરી! જાન્યુઆરીથી DA 60% થવાનું નક્કી, જાણો વિગતો
calendar_today January 7, 2026

DA Hike News: કેન્દ્રીય કર્મચારીઓની લાગી લોટરી! જાન્યુઆરીથી DA 60% થવાનું નક્કી, જાણો વિગતો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. વધતી જતી મોંઘવારી વચ્ચે, રાહતના સમાચાર એ છે કે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2 ટકાનો વધારો જાન્યુઆરી 2026માં શરૂ થવાની ધારણા છે. જો તમે સરકારી કર્મચારી છો, તો તમારા પગારમાં ટૂંક સમયમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. હાલમાં, કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું મળે છે, જે આ નવા વધારા પછી 60% સુધી પહોંચી શકે છે. 60%ની પાર જઈ શકે આંકડો મની કંટ્રોલના એક અહેવાલ મુજબ, આ વધારાનો આધાર કોઈ અટકળો નથી, પરંતુ લેબર બ્યુરોના નક્કર સરકારી ડેટા છે. નવેમ્બર 2025માં, ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI-IW) જે DAની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાય છે, તે 0.5 વધીને 148.2 થયો છે. 7મા પગાર પંચના નિયમ મુજબ, DA નક્કી કરવા માટે પાછલા 12 મહિનાની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે. આ ગ્રાફ જુલાઈથી નવેમ્બર 2025 સુધી સતત ઉપર તરફનો ટ્રેન્ડ દર્શાવે છે. નવેમ્બરના આંકડાઓના આધારે ગણતરી કરવામાં આવે તો, મોંઘવારી ભથ્થું 59.93 ટકા સુધી પહોંચે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે મોંઘવારી ભથ્થું 60 ટકાની નજીક છે અને હવે તેને પાછું ખેંચવાનો કોઈ અવકાશ નથી. ડિસેમ્બરના આંકડા ભલે ગમે તે હોય, વધારો નક્કી સમજો બધાની નજર હવે ડિસેમ્બર 2025ના સૂચકાંક પર છે, જે હજુ સુધી જાહેર થયો નથી. પરંતુ નિષ્ણાતો કહે છે કે ચિત્ર બદલાવાની શક્યતા ઓછી છે. ગણિત સરળ છે, જો ડિસેમ્બરમાં ઇન્ડેક્સ સ્થિર રહેશે, તો પણ સરેરાશ DA 60.34 ટકા રહેશે. જો ઇન્ડેક્સમાં થોડો ઘટાડો થાય તો પણ તે 60 ટકાનું સ્તર જાળવી રાખશે. સરકારની નીતિ દશાંશમાં નહીં પણ પૂર્ણ સંખ્યામાં મોંઘવારી ભથ્થું જાહેર કરવાની છે. તેથી, 60 ટકા અને 60.99 ટકા વચ્ચેનો કોઈપણ આંકડો આખરે 60 ટકા ગણવામાં આવશે. આનો અર્થ એ થયો કે વર્તમાન 58%માં લગભગ 2%ના વધારા સાથે 60% થવાનું નિશ્ચિત છે. ક્યારે થશે જાહેરાત? જો કે આ વધેલા દરો 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે, પરંતુ સરકારી પ્રક્રિયાઓને કારણે, તેની સત્તાવાર જાહેરાત અને સૂચના સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં કરવામાં આવશે. કર્મચારીઓને જાન્યુઆરીથી જાહેરાત થાય ત્યાં સુધી પૈસા એરિયરના રૂપમાં આપવામાં આવશે. આ વધારો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે 8મા પગાર પંચનું નવું ચક્ર 1 જાન્યુઆરી, 2026થી શરૂ થવાનું માનવામાં આવે છે. જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે, ત્યારે હાલના DAને મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે, અને DAની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થાય છે. આ 60% આંકડો ભવિષ્યમાં કર્મચારીઓ માટે નવા પગાર માળખા અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પણ વાંચો: Gold Silver Price Today: 7 જાન્યુઆરીએ ચાંદીની ચમક વધી, જાણો સોનાના ભાવ ઘટ્યા કે વધ્યા?

Read Full Story arrow_forward
Sabarkantha મધ્યસ્થ સહકારી બેંકના કેલેન્ડરથી વિવાદ, વાઇસ ચેરમેન ભીખાજી ઠાકોર કે ડામોરનો સવાલ, નવુ કેલેન્ડર ચર્ચામાં
calendar_today January 7, 2026

Sabarkantha મધ્યસ્થ સહકારી બેંકના કેલેન્ડરથી વિવાદ, વાઇસ ચેરમેન ભીખાજી ઠાકોર કે ડામોરનો સવાલ, નવુ કેલેન્ડર ચર્ચામાં

સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના નવા કેલેન્ડરને લઇને એકવાર ફરી વિવાદ ઊભો થયો છે. નવા કેલેન્ડરમાં વાઇસ ચેરમેન તરીકે ભીખાજી ઠાકોર કે ડામોર તે વિશેની ઓળખ દર્શાવવાને લઈને ચર્ચા જાગી છે.ચૂંટણી દરમિયાન ભીખાજી એ ઠાકોર અટક દર્શાવી હતીસૂત્રો જણાવે છે કે, વર્ષ 2024માં બેંકની ચૂંટણી દરમિયાન ભીખાજી એ ઠાકોર અટક દર્શાવી હતી. એ પહેલા તેઓ ભીખાજી ડામોર તરીકે ઓળખાતા હતા, ડામોર અટક સાથેની ઓળખ દર્શાવવામાં આવી પરંતુ નવું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યા બાદ ફરી તેમની ડામોર અટક સાથેની ઓળખ દર્શાવવામાં આવી છે. ડામોર અટક સાથેના કેલેન્ડરે ચર્ચા જગાવી ફરીથી ડામોર અટક સાથેના કેલેન્ડરે ચર્ચા જગાવી છે. કેલેન્ડરમાં દર્શાવેલી અટક સાચી કે પછી ચૂંટણી લડતી વખતે જે અટક દર્શાવી હતી તે અટક સાચી તે વિશે ચર્ચા થઇ રહી છે. આ પણ વાંચો----   Vadodara: ડોક્ટરની બેદરકારીથી કિશોરીના મોતનો આક્ષેપ, તબીબે બેદરકારી દાખવતા ઓપરેશનમાં કિશોરીના પેટમાં કોટન રહી ગયું હતું

Read Full Story arrow_forward
Kutch News: ભચાઉમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ
calendar_today January 7, 2026

Kutch News: ભચાઉમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ

ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યો છે. આજે કચ્છના ભચાઉ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે. વારંવાર આવતા આ આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.ભચાઉથી 9 કિમી દૂર કેન્દ્રબિંદુ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 9 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, શાંત વાતાવરણમાં લોકોએ સ્પષ્ટ ધ્રૂજારી અનુભવી હતી. આંચકો આવતાની સાથે જ કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર નીકળી આવ્યા હતા. જાન-માલનું નુકસાન નહીં રાહતની વાત એ છે કે, આ ભૂકંપની તીવ્રતા 2.8 જેટલી મધ્યમ હોવાથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલસામાનના નુકસાનના સમાચાર મળ્યા નથી. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કચ્છમાં કેમ આવે છે વારંવાર ભૂકંપ? કચ્છ જિલ્લો સિસ્મિક ઝોન-5 માં આવે છે, જે ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય અને સંવેદનશીલ ગણાય છે. ભચાઉ, રાપર અને અંજાર જેવા વિસ્તારો ફોલ્ટ લાઈન પર આવેલા હોવાથી અહીં સમયાંતરે નાના-મોટા આંચકાઓ નોંધાતા રહે છે. નિષ્ણાતોના મતે, જમીનની અંદર પ્લેટોની હલચલને કારણે આ પ્રકારે એનર્જી રીલીઝ થતી હોય છે, જેના પરિણામે આંચકા અનુભવાય છે. ભચાઉમાં અગાઉ પણ અનેકવાર આ પ્રકારના આંચકા નોંધાઈ ચૂક્યા છે, પરંતુ સતત આવતા કંપનને લીધે સ્થાનિક રહેવાસીઓમાં 2001ના વિનાશક ભૂકંપની યાદો તાજી થઈ જાય છે અને ભયનું લખલખું પસાર થઈ જાય છે. આ પણ વાંચો - Opinion:કચ્છમાં 1819નો વિનાશક ભૂકંપ અને સુનામી

Read Full Story arrow_forward