android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: સોનામાં રોકાણના બહાને 69.76 લાખની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ધરાવતી ભાઈ-બહેનની જોડી ઝડપાઈ
calendar_today January 6, 2026

Surat: સોનામાં રોકાણના બહાને 69.76 લાખની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ધરાવતી ભાઈ-બહેનની જોડી ઝડપાઈ

શહેરમાં સાયબર ક્રાઈમનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે સુરત સાયબર ક્રાઈમ સેલે એક મોટી સફળતા મેળવતા રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર ભાઈ-બહેનની ધરપકડ કરી છે. સોનામાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી સુરતના એક જાગૃત નાગરિક સાથે રૂપિયા 69,76,800 ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે પોલીસે હૈદરાબાદ અને નાગપુરથી બે આરોપીઓની ધરપકડ કરી છે.છેતરપિંડી કરનાર ભાઈ-બહેનની ધરપકડસુરતના એક ફરિયાદીને સોનામાં ઇન્વેસ્ટમેન્ટ (Gold Investment) કરવાના બહાને ઓનલાઇન સંપર્ક કરવામાં આવ્યો હતો. ઠગબાજોએ સુરતની વ્યક્તિને વિશ્વાસમાં લઈ જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ 69.76 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. જ્યારે ફરિયાદીને વળતર ન મળ્યું અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.તપાસમાં ખુલ્યું 'કંબોડિયા કનેક્શન'પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગુનામાં સંડોવાયેલી મુખ્ય આરોપી શ્રદ્ધા કચરૂજી ગઝભીયે ને હૈદરાબાદથી ઝડપી લેવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શ્રદ્ધા અગાઉ કંબોડિયા ખાતે બે મહિના રોકાઈને આવી હતી.ત્યાં તે સાયબર ફ્રોડ આચરતી એક ચાઈનીઝ ગેંગના સીધા સંપર્કમાં હતી અને તેમની કંપનીમાં કામ કરતી હતી. આ ગેંગ પાસેથી જ તેણે સાયબર ઠગાઈની તમામ ટેકનિકલ જાણકારી મેળવી હતી.સોનામાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપીબીજી તરફ, તેના ભાઈ નિલકાંત કચરૂજી ગઝભીયેની ધરપકડ મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી કરવામાં આવી છે. નિલકાંતના બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમના રૂપિયા 1,72,000 જમા થયા હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. સુરત સાયબર ક્રાઈમ સેલે બંને ભાઈ-બહેન વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શ્રદ્ધાએ કંબોડિયામાં રહીને અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને આ આંતરરાષ્ટ્રીય ગેંગના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: એન્જિનિયરને લાફો મારનાર કોન્ટ્રાક્ટર સામે લાલઆંખ, 48 કલાકમાં એજન્સી થશે બ્લેક લિસ્ટ

Read Full Story arrow_forward
Gandhinagar News: કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી હાલમાં તેને બચાવવા આંદોલન ચાલે છે: જગદીશ વિશ્વકર્મા
calendar_today January 6, 2026

Gandhinagar News: કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી હાલમાં તેને બચાવવા આંદોલન ચાલે છે: જગદીશ વિશ્વકર્મા

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ મનરેગાનું નામ બદલીને વિકસીત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામિણ (VB G RAMJI) કરવામાં આવ્યું છે. આ યોજનાને લઈને થયેલા વિવાદ મુદ્દે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, એનડીએ સરકાર દેશની 140 કરોડ જનતાની સુખાકારી માટે કામ કરે છે. મુગલો પછી અંગ્રેજો અને બાદમાં કોંગ્રેસે આ દેશને લૂંટ્યો જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, VB G RAMJI એ ગાંધી વિચાર સાથેની યોજના છે. તેમાં 100 દિવસ રોજગારની ગેરંટી હતી. હવે મોદી સરકાર 125 દિવસની ગેરંટી આપી રહી છે. નવી યોજનામાં શ્રમિકોને સાપ્તાહિક વેતન મળશે. આ ઉપરાંત રિયલ ટાઈમ કામનું અપડેટ પણ મળશે. મહાત્મા ગાંધીના મુખે ભગવાન રામનું નામ હતું. કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે. પહેલા મુગલો પછી અંગ્રેજો અને બાદમાં કોંગ્રેસે આ દેશને લૂંટ્યો છે. એનડીએ સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. જવાહરલાલ નહેરુનું નામ બદલીને મનરેગા રાખી દીધું તેમણે કહ્યું હતું કે, 1980માં બધી રોજગાર યોજના ભેગી કરીને ઈન્દિરા ગાંધીએ ચાલુ કરી હતી. ત્યાર બાદ રાજીવ ગાંધીએ જવાહર રોજગાર યોજના નામ રાખ્યું હતું. ડો. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીએ જવાહરલાલ નહેરુનું નામ બદલીને મનરેગા રાખી દીધું હતું. ભગવાન રામ ભારતમાં જન્મ્યા હતાં છતાં કોંગ્રેસને કેમ વાંધો છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી હાલમા તેને બચાવવાનું આંદોલન ચાલે છે. આ યોજના બાબતે સંસદમાં ચર્ચા થઈ ત્યારે રાહુલ ગાંધી ગેરહાજર હતાં. VB G RAMJI યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ યોજનાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના દરેક નિર્ણયમાં નાનો માણસ કેન્દ્ર સ્થાને છે. વડાપ્રધાને સામાન્ય માણસોના વિકાસ માટે કામ કર્યું છે. દેશમા 25 કરોડ ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ગ્રામીણ ગરીબો માટે VB G RAMJI યોજના લાવવામાં આવી છે. ગ્રામ પંચાયત સુધી આખી ઈકો સિસ્ટમ ડેવલપ કરાશે. VB G RAMJI યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ થશે. આ પણ વાંચોઃ Rajkot: મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને મિલકત જાહેર કરવા આદેશ, પગાર અટકાવવાની ચીમકી

Read Full Story arrow_forward
Gir Somnath: સોમનાથના આંગણે સ્વાભિમાનનો શંખનાદ,  ઉજવણીની તૈયારીઓને લઇ DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
calendar_today January 6, 2026

Gir Somnath: સોમનાથના આંગણે સ્વાભિમાનનો શંખનાદ, ઉજવણીની તૈયારીઓને લઇ DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા

પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ સોમનાથ ખાતે આગામી 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સ્વાભિમાન પર્વની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવા માટે ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ જાતે જ સદભાવના ગ્રાઉન્ડ અને અન્ય સ્થળોની મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી છે. 11 જાન્યુઆરીએ વહેલી સવારે પીએમ મોદી કરશે દર્શન ઐતિહાસિક રોડ-શો અને સ્વાભિમાન યાત્રા આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ હશે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત વડાપ્રધાન 108 અશ્વોના શાહી કાફલા સાથે 'સ્વાભિમાન યાત્રા' યોજશે, જે સોમનાથ મંદિરથી સદભાવના ગ્રાઉન્ડ સુધી નીકળશે. 10 જાન્યુઆરીની સાંજે વડાપ્રધાન સોમનાથ પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.11 જાન્યુઆરીએ વહેલી સવારે સોમનાથ દાદાને જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા કરશે અનેક વિકાસકાર્યોની કરશે સમીક્ષા સોમનાથ કોરિડોર વડાપ્રધાનની આ મુલાકાત માત્ર ધાર્મિક જ નહીં પણ વિકાસની દ્રષ્ટિએ પણ મહત્વની છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં 'સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ' પર મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટની ફાઈનલ ડિઝાઈન પર મંજૂરીની મહોર વાગી શકે છે, જે સોમનાથના કાયાકલ્પમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. સોમનાથમાં જનમેદનનીને સંબોધશે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને ધાર્મિક વિધિ આ કાર્યક્રમને પગલે સમગ્ર સોમનાથમાં 3500 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 11 જાન્યુઆરીની વહેલી સવારે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણે શીશ નમાવશે. તેઓ પરંપરાગત રીતે જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા કરી રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના કરશે. ત્યારબાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતેથી તેઓ જંગી જનમેદનીને સંબોધશે. આ પણ વાંચોઃ Ahmdedabad: અવાજ ઓછો કરવાનું કહેવું પડ્યું ભારે, લગ્ન પ્રસંગમાં દંપતી પર હુમલો કરનારાં 5 આરોપી ઝડપાયા

Read Full Story arrow_forward