android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ, માંડલમાં સમાજે યોજી જનક્રાંતિ મહારેલી
calendar_today January 5, 2026

Ahmedabad : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ, માંડલમાં સમાજે યોજી જનક્રાંતિ મહારેલી

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આજે પાટીદાર સમાજ દ્વારા એક વિશાળ 'જન ક્રાંતિ મહારેલી' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કોઈ રાજકીય વિરોધ માટે નહીં, પરંતુ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ ના સમર્થનમાં અને તેમની સામે થયેલી કાર્યવાહીના વિરોધમાં કાઢવામાં આવી હતી.જેમાં અનેક મહિલાઓ જોડાઇ હતી. શું છે સમગ્ર મામલો? સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર જમીન કૌભાંડના ગંભીર આરોપો લાગ્યા હતા, જેના પગલે સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, પાટીદાર સમાજ અને તેમના સમર્થકોનો દાવો છે કે રાજેન્દ્ર પટેલ એક નિષ્ઠાવાન અધિકારી છે અને તેમને ઉચ્ચ સ્તરીય ષડયંત્રના ભાગરૂપી ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આ સમગ્ર જનક્રાંતિ મહારેલીમાં મહિલાઓ પોસ્ટર લઇને ખાસ જોડાઇ હતી. નિષ્પક્ષ તપાસ કરવાની કરી માગ માંડલના માર્ગો પર નીકળેલી આ મહારેલીમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. રેલીમાં ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું, સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે રાજેન્દ્ર પટેલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. રેલીના અંતે સ્થાનિક વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માગ પણ કરવામાં આવી હતી. આંદોલન ઉગ્ર બનાવવાની આપી ચીમકી પાટીદાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જો આવનારા દિવસોમાં રાજેન્દ્ર પટેલને ન્યાય નહીં મળે અને તેમની સામેના ખોટા કેસો પરત ખેંચવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ રેલીએ માત્ર માંડલ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના વહીવટી તંત્રનું ધ્યાન ખેંચ્યું છે. આ પણ વાંચોઃ Bagdana: કોળી યુવકને માર મારવાની ઘટનાને લઇ સમાજના આગેવાનો CMને રજૂઆત માટે પહોંચ્યા

Read Full Story arrow_forward
Botad: યુવક પર હુમલાના કેસમાં CCTVના આધારે 4 શખ્સો ઝડપાયા, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
calendar_today January 5, 2026

Botad: યુવક પર હુમલાના કેસમાં CCTVના આધારે 4 શખ્સો ઝડપાયા, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે લાલ આંખ કરી છે. ગત 16 ડિસેમ્બરના રોજ પાળીયાદ રોડ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી, પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે તપાસનું રિ-કન્સ્ટ્રક્શન પણ હાથ ધર્યું હતું.પાળીયાદ રોડ પર જીવલેણ હુમલામાં કાર્યવાહીઘટનાની વિગત મુજબ, બોટાદના પાળીયાદ રોડ પર આવેલી 'હજામની શીંડી' વિસ્તારમાં ઈમરાન ગાંજા નામનો વ્યક્તિ એક હોટલમાંથી જમીને બહાર નીકળી રહ્યો હતો. આ સમયે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ચાર શખ્સોએ અચાનક લાકડીઓ વડે તેના પર તૂટી પડ્યા હતા. ઈમરાન પર થયેલો આ હુમલો એટલો ગંભીર હતો કે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.CCTV વાયરલ થતા પોલીસ એક્શનમાંઆ સમગ્ર હિંસક ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેમાં હુમલાખોરો ક્રૂરતાપૂર્વક માર મારતા દેખાતા હતા. આ ફૂટેજના આધારે બોટાદ પોલીસે તપાસ તેજ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ ચારેય શક્તિરાજ બસીયા, જયદીપભાઈ ખાચર, મયદીપભાઈ ખાચર, દીપરાજભાઈ જોરૂભાઈ.હુમલાખોરોને દબોચી લીધા હતા.પોલીસ દ્વારા ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શનધરપકડ બાદ પોલીસે આરોપીઓને પાળીયાદ રોડ પર જ્યાં હુમલો થયો હતો ત્યાં લઈ જવામાં આવ્યા હતા. ગુનો કઈ રીતે આચરવામાં આવ્યો, કયા સાધનોનો ઉપયોગ થયો અને હુમલા પાછળનો હેતુ શું હતો તે જાણવા માટે રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને જોવા માટે સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા.આ પણ વાંચો:ઈડરની લાલોડા દૂધ મંડળીમાં 53.53 લાખની ઉચાપત, સેક્રેટરી અને ટેસ્ટર જેલહવાલે

Read Full Story arrow_forward
Banaskantha News: દિયોદર પોલીસ સ્ટેશન બહાર મહિલાએ ઝેરી દવા પીધી
calendar_today January 5, 2026

Banaskantha News: દિયોદર પોલીસ સ્ટેશન બહાર મહિલાએ ઝેરી દવા પીધી

બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશનમાં પોલીસની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ન્યાયની આશાએ દિયોદર પોલીસ મથકે આવેલી એક પીડિત મહિલાએ જ્યારે પોલીસ સ્ટેશનના પગથિયાં પાસે જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.દિયોદર પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ ઘટનાની મળતી માહિતી અનુસાર, રેખાબેન વાલ્મીકિ નામની મહિલા પોતાની કોઈ રજૂઆત અથવા ફરિયાદ માટે દિયોદર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે, ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તેની ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હોવાનો તેના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવારની રજૂઆત છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે લાચાર બનેલી રેખાબેને પોલીસ સ્ટેશનના દરવાજા બહાર જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ મહિલાએ ઝેરી દવા પીતા જ દિયોદર પોલીસ સ્ટેશન પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ અને ત્યાં હાજર લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર હાલતમાં મહિલાને દિયોદરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.https://x.com/sandeshnews/status/2008114164305162388 પોલીસ સામે ઉઠ્યા સવાલો દિયોદર પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ આવી ઘટના બનતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. શું સામાન્ય નાગરિકની ફરિયાદ સાંભળવામાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે? પીડિતાને આપઘાત કરવા સુધીનું આત્યંતિક પગલું કેમ ભરવું પડ્યું? આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ અપાયા છે, પરંતુ પરિવારજનોમાં પોલીસની બેદરકારીને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Banaskantha News : વીજળીના ઝટકાથી પગ કપાયા, હવે વીજળી વેગે દોડતો થયો છે બનાસકાંઠાનો આ ગગદાસ, વાંચો Inside Story

Read Full Story arrow_forward