android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: સાંતલપુર મામલતદાર આત્મહત્યા પ્રયાસ મામલો, પિતાને 4 વર્ષથી ટોર્ચર કરી પૈસા મંગાતા હતા – પુત્રનો ગંભીર આક્ષેપ
calendar_today January 5, 2026

Palanpur: સાંતલપુર મામલતદાર આત્મહત્યા પ્રયાસ મામલો, પિતાને 4 વર્ષથી ટોર્ચર કરી પૈસા મંગાતા હતા – પુત્રનો ગંભીર આક્ષેપ

બનાસકાંઠાના પાલનપુર ખાતે સારવાર હેઠળ રહેલા સાંતલપુરના મામલતદાર ડી.ડી. પંડ્યાની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન તેમના પુત્ર રોહિત પંડ્યાએ મીડિયા સમક્ષ પિતા પર થયેલા માનસિક ત્રાસની વિગતો આપતા ખળભળાટ મચી ગયો છે.સાંતલપુર મામલતદાર આત્મહત્યા પ્રયાસ મામલોરોહિત પંડ્યાના જણાવ્યા અનુસાર, તેમના પિતાને છેલ્લા 4 વર્ષથી કોઈ અજ્ઞાત શખ્સો અથવા ટોળકી દ્વારા સતત પરેશાન કરવામાં આવી રહ્યા હતા.  મામલતદારને કોઈ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને બ્લેકમેલ કરવામાં આવતા હતા. છેલ્લા ચાર વર્ષથી આ શખ્સો સતત પૈસાની માંગણી કરીને પિતાને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા હતા. રોહિતે જણાવ્યું કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પરંતુ આખી ગેંગ આમાં સંડોવાયેલી છે. જો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે તો ઘણા મોટા નામો બહાર આવી શકે છે.પોલીસ કાર્યવાહી અને નિવેદનઘટનાની જાણ થતા જ પોલીસે હોસ્પિટલ પહોંચી મામલતદાર ડી.ડી. પંડ્યા તેમજ તેમના પુત્ર રોહિતનું પ્રાથમિક નિવેદન નોંધ્યું છે. મામલતદારે આત્મહત્યાના પ્રયાસ પહેલા એક વીડિયો પણ બનાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં તેમણે પોતાની વ્યથા અને ટોર્ચર કરનારાઓનો ઉલ્લેખ કર્યો હોવાની શક્યતા છે. મૂળ સુઈગામના બેણપ ગામના અને થરાદના વજેગઢ ગામના વતની એવા મામલતદાર પંડ્યાને સૌ પ્રથમ થરાદમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, તબિયત વધુ લથડતા તેમને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.આ પણ વાંચો: આંકલાવના અંબાવમાં હાઈવોલ્ટેજ ડ્રામા, આધેડે જાતે જ આગ ચાંપી હોવાનો વીડિયો આવ્યો સામે, તપાસમાં નવો વળાંક

Read Full Story arrow_forward
Surat News: સુરત રેલવે પોલીસે 14,268 દારૂની બોટલનો નાશ કર્યો
calendar_today January 5, 2026

Surat News: સુરત રેલવે પોલીસે 14,268 દારૂની બોટલનો નાશ કર્યો

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ વચ્ચે સુરત રેલવે પોલીસ (GRP) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી અલગ-અલગ રેડ દરમિયાન જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર દારૂના જથ્થાનો આજે જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસે અંદાજે 18.54 લાખ રૂપિયાની કિંમતની હજારો બોટલો પર બુલડોઝર ફેરવી તેને નષ્ટ કરી દીધી હતી.14,268 બોટલોનો કરાયો નાશ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 765 જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં દેશી અને વિદેશી દારૂની નાની-મોટી કુલ 14,268 બોટલોનો સમાવેશ થાય છે. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ બજાર કિંમત અંદાજે રૂપિયા 18,54,315 જેટલી આંકવામાં આવી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ તમામ બોટલોને ખુલ્લા મેદાનમાં પાથરી તેના પર રોલર અથવા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દારૂના વેપારીઓમાં ફફડાટ રેલવે પોલીસ દ્વારા ટ્રેનો અને રેલવે સ્ટેશન પરિસરમાં કરવામાં આવતી ચેકિંગ દરમિયાન આ જથ્થો પકડાયો હતો. સુરત GRPની આ કામગીરીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ રેલવે માર્ગે થતી નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચેકિંગ સઘન બનાવવામાં આવશે. પારદર્શક પ્રક્રિયા મુદ્દામાલના નાશની આ સમગ્ર પ્રક્રિયા વીડિયોગ્રાફી અને પંચોની હાજરીમાં કરવામાં આવી હતી, જેથી કોઈ ગેરરીતિ ન થાય. ગુજરાતમાં દારૂબંધી હોવાથી પોલીસ જ્યારે પણ મોટો જથ્થો પકડે છે, ત્યારે કોર્ટની મંજૂરી બાદ સમયાંતરે આ રીતે મુદ્દામાલનો નાશ કરવામાં આવતો હોય છે. આ પણ વાંચો - Surat: સુરતમાં 17 વર્ષીય દીકરીને ફસાવનાર નરાધમ ઝડપાયો, લોકોમાં ભારે રોષ

Read Full Story arrow_forward
ICGS Samudra Pratap : કોસ્ટ ગાર્ડને મળ્યું પ્રદૂષણ કંટ્રોલ કરનારૂ 'સમુદ્ર પ્રતાપ'
calendar_today January 5, 2026

ICGS Samudra Pratap : કોસ્ટ ગાર્ડને મળ્યું પ્રદૂષણ કંટ્રોલ કરનારૂ 'સમુદ્ર પ્રતાપ'

સ્વદેશી રીતે વિકસિત પ્રદૂષણ નિયંત્રણ જહાજ ICGS સમુદ્ર પ્રતાપને સત્તાવાર રીતે સેવામાં સામેલ કરવામાં આવ્યું છે, જેના કારણે ભારતીય કોસ્ટ ગાર્ડને આજે એક મોટી મજબૂતી મળી છે. આ જહાજને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા કમિશનિંગ કરવામાં આવ્યું. સમુદ્ર પ્રતાપ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ છે.60 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો આ ભારતના આત્મનિર્ભર ભારત અભિયાન અને સ્વદેશી જહાજ નિર્માણ ક્ષમતાઓ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સમુદ્ર પ્રતાપનો અર્થ "સમુદ્રની ગરિમા" થાય છે. આ જહાજ દરિયામાં પ્રદૂષણનો સામનો કરવા, દરિયાઈ સલામતીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણીય સ્વચ્છતા જાળવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજને સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઈન કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં 60 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જ વખત ઈંધણ ભરવા પર 6,000 નોટિકલ માઈલની મુસાફરી કરી શકાય આ 114 મીટર લાંબા જહાજની ગતિ 22 નોટથી વધુ છે. તે એક જ રિફ્યુઅલિંગ પર 6,000 નોટિકલ માઈલ સુધીની મુસાફરી કરી શકે છે. તે આધુનિક મશીનરી, કમ્પ્યુટર સિસ્ટમ્સ અને અત્યાધુનિક પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણોથી સજ્જ છે. પ્રદૂષણ નિયંત્રણ માટે જહાજ આધુનિક સ્કિમર્સ, ફ્લોટિંગ બૂમ, સાઈડ સ્વીપિંગ સિસ્ટમ અને વિશિષ્ટ પ્રદૂષણ પરીક્ષણ પ્રયોગશાળાથી સજ્જ છે. તેમાં આધુનિક આગ પર કાબૂ મેળવવાની સિસ્ટમ અને અદ્યતન સર્વેલન્સ ટેકનોલોજી પણ છે. સુરક્ષા હેતુઓ માટે જહાજ આધુનિક શસ્ત્રોથી પણ સજ્જ છે. પહેલીવાર બે મહિલા અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા નોંધપાત્ર રીતે આ જહાજ પર પહેલીવાર બે મહિલા અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જે પુરુષ અધિકારીઓ સાથે ખભેખભા મિલાવીને કામ કરશે. સમુદ્ર પ્રતાપને કોચીમાં તૈનાત કરવામાં આવશે અને પશ્ચિમી દરિયાઈ ક્ષેત્રમાં પ્રદૂષણ નિયંત્રણ, દેખરેખ અને સુરક્ષા જેવા મહત્વપૂર્ણ કાર્યો સંભાળશે. કોસ્ટ ગાર્ડનું કહેવું છે કે આ જહાજના આગમનથી દરિયાઈ સુરક્ષા, પર્યાવરણીય સંરક્ષણ અને ઈમરજન્સીની સ્થિતિને નિપટવાની તાકાતમાં વધુ વધારો થશે.આ પણ વાંચો: CM Yogi Meet PM Modi: કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે CM યોગી મળ્યા PM Modiને, જાણો શું થઇ ચર્ચા

Read Full Story arrow_forward