Viramgam: સુરેન્દ્રનગર હાઇવેનું કામ સાવ ગોકળગતિએ ચાલતા પંથકની પ્રજા પરેશાન
વિરમગામ શહેરના રૈયાપુર ત્રણ રસ્તાથી વિઠ્ઠલગઢ સુધી સુરેન્દ્રનગર તરફ્નો હાઇવે માર્ગ રૂ. 70 કરોડ જેટલી રકમના ખર્ચે ફોર લેન બનાવવા માટેનું કામ વર્ષ 2024થી મંજૂરી મળતા આશિષ ઇન્ફરા એજન્સી અમદાવાદ દ્વારા કામગીરી હાલમાં પણ ચાલુ છે.આ હાઇવે માર્ગની કામગીરી ઓગષ્ટ - 2026 સુધીમાં પૂર્ણ કરવાની માહિતી માર્ગ અને મકાન વિભાગ તરફ્થી જાણવા મળી છે. ત્યારે ચાલી રહેલી કામગીરી ખુબ જ ગોકળ ગતિએ ચાલતી હોવાની લોક રાવ ઉઠવા પામી છે.સુરેન્દ્રનગર,રાજકોટ કે આગળ અન્ય સૌરાષ્ટ્રના ગામ તરફ્થી વિરમગામ તરફ્ તેમજ ઉત્તર ગુજરાત,અમદાવાદ તરફ્ આવવા અને નળકાંઠા વિસ્તારના ગ્રામ્ય જનોને તાલુકા વડા મથક વિરમગામ આવવા જવા, નળસરોવર અભયારણ્યના પ્રવાસીઓને પણ જવા આવવા માટે આ માર્ગ મુખ્ય હોવાથી સતત મુસાફરોથી ધમધમે છે. જેથી ઉબળ ખાબળ બનેલા માર્ગ પર કામમાં વિલંબ થતો હોવાથી લોકો પરેશાન છે.રસ્તો પોહડો બનાવવા ખોદાણ સાથે માટી,કપચી પુરાણની ભુકી થી વાહનો ચાલતા ધૂળની ડમરી હવામાં ઉડવાથી વાહન ચાલકો,મુસાફરો ત્રસ્ત છે.અકસ્માતનો અને રોજે રોજ આ માર્ગે આવજા કરતા લોકોને ખાડાઓથી વાહનને નુકશાનીનો ભય સતાવે છે.ઇમરજન્સી માં હાલાકી ભોગવવી પડે છે.જેથી આ માર્ગનું કામ ઝડપી કરવા લોક માંગ ઉઠવા પામી છે.ત્યારે આ ફોર લેન માર્ગની કામગીરી રસ્તાને પહોળો બનાવવા ખોદકામ દરમિયાન રસ્તાની બાજુમાં ખેતરોમાંથી તેમજ અન્ય રીતે પાણી આવવાથી અને ગટરો પરના નાળામાં પણ પાણી આવવાથી કામમાં અવરોધો ઊભા થાય છે. જેથી વિલંબ થતો હોવાનું માર્ગ અને મકાન વિભાગના જવાબદાર ઈજનેરે જણાવ્યુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward