android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: આસિસ્ટન્ટ લાઇબ્રેરી અને ક્લાર્કની પરીક્ષા અંગ્રેજીમાં લેવા સામે વિરોધ
calendar_today January 2, 2026

Gandhinagar: આસિસ્ટન્ટ લાઇબ્રેરી અને ક્લાર્કની પરીક્ષા અંગ્રેજીમાં લેવા સામે વિરોધ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ આસીસ્ટન્ટ લાયબ્રેરી અને લાયબ્રેરી ક્લાર્કની જગ્યા માટેની ભરતીમાં પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં લેવા સામે ગુજરાતી ઉમેદવારોમાં રોષ ફાટી નિકળ્યો છે.ઉમેદવારોનો આક્રોશ છેકે, આ પ્રકારના નિયમથી ગુજરાતી ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો છે જ્યારે તેનો લાભ બહારના રાજ્યના ઉમેદવારોને વધુ મળવાનો છે. જ્યારે બહારના કેટલાક રાજ્યોમાં માત્ર જે તે રાજ્યની માતૃભાષામાં જ સરકારી ભરતીની પરીક્ષા લેવામાં આવે છે. જેના કારણે ગુજરાતી ઉમેદવાર એપ્લાય થઇ શકતો નથી. ઉમેદવારી નોંધાવનાર ગુજરાતી ઉમેદવારોએ આ મુદ્દાને સરકારી ભરતીમાંથી પણ ગુજરાતીઓનો એકડો કાઢી નાખવાની ચાલ ગણાવી રહ્યા છે. એક ઉમેદવારે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, આ બંને ભરતી વર્ગ-3ની છે. જે ઉમેદવાર સિલેક્ટ થશે તે તાલુકા લેવલે કામ કરશે. જેઓેને ગુજરાતી ભાષા આવડતી હોવી જરૂરી છે. તેઓએ દાવો કર્યો છેકે, 180 જગ્યા માટે મોટી સંખ્યામાં બહારના રાજ્યોના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે. જેઓ ગુજરાતી ઉમેદવારો સામે સ્પર્ધા કરશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: એરપોર્ટથી મંજૂરી વગર ફ્યૂઅલ બ્રાઉઝર બહાર લાવીને ડીઝલની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
calendar_today January 2, 2026

Ahmedabad: એરપોર્ટથી મંજૂરી વગર ફ્યૂઅલ બ્રાઉઝર બહાર લાવીને ડીઝલની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

એરપોર્ટ ઓથોરીટીની સિક્યોરિટીમાં ચેડા કરીને ફ્યુઅલ બ્રાઉઝરની ગાડી બારોબાર એરપોર્ટમાંથી બહાર લઈને શખ્સ આવી ગયો અને એરપોર્ટ ઓથોરીટીને ગંદ સુદ્ધા આવી નહી.આ ઉપરાંત ફ્યુઅલ બ્રાઉઝરની સ્પેશિયલ ગાડીને હાંસોલ નજીક રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે ઉભી રાખીને તેમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતું હતું. ઝોન-4 એલસીબીએ ડીઝલની ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ અંગે એરપોર્ટ પોલીસે બંને શખ્સો સામે ગુનો નોધ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટના પર પ્લેન સિવાયના અન્ય વાહનોમાં ભરવામાં આવતા ડીઝલ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. એરપોર્ટ ઓથોરીટી વિભાગ દ્વારા ફ્યુઅલ બ્રાઉઝર થકી જ ડીઝલ પુરવાનો નિયમ રહેલો છે. આ ઉપરાંત આ ફ્યુઅલ બ્રાઉઝરને એરપોર્ટની હદમાંથી બહાર લઇ જવા માટે પણ ચોક્કસ નિયમો અને તેની જોગવાઈ છે જેમાં સિક્યોરીટી ઓફ્સિર સાથે રહેતો હોય છે. અત્રે નોંધનીય છે કે ઝોન-4 એલસીબી સ્કવોડને ટીમે બાતમીના આધારે હાંસોલ નજીક રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે ઉભેલ ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા ભરત પટણી અને કલ્પેશકુમાર પટણીને ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ભરત પટણી ફ્યુઅલ બ્રાઉઝરને એરપોર્ટની બહાર લઈને આવ્યો હતો. પોલીસે ડીઝલ બ્રાઉઝર ગાડી સહિત કુલ રૂ. 8.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gir Somnath: સોમનાથના સાનિધ્યમાં અંબાણી પરિવાર, નૂતન વર્ષે મહાદેવને 'શિવાર્પણ', 5 કરોડનું માતબર દાન
calendar_today January 2, 2026

Gir Somnath: સોમનાથના સાનિધ્યમાં અંબાણી પરિવાર, નૂતન વર્ષે મહાદેવને 'શિવાર્પણ', 5 કરોડનું માતબર દાન

વર્ષ 2026ના પ્રારંભિક દિવસોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતાબેન અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીએ સહપરિવાર સોમનાથ દાદાના આશીર્વાદ લીધા હતા.વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચનાનૂતન વર્ષના મંગલ પ્રારંભે અંબાણી પરિવારે પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં તેઓએ મહાદેવનો ગંગાજલ અભિષેક કર્યો હતો. આ અવસરે તેઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'કુલસોમેશ્વર મહા પૂજા' કરી હતી. આ ઉપરાંત, ભક્તોમાં અત્યંત મહત્વ ધરાવતી 'ધ્વજા પૂજા' અને 'પાઘ પૂજા' કરીને સમગ્ર રાષ્ટ્રની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પ્રાચીન વિજ્ઞાનને વંદનદર્શન બાદ અંબાણી પરિવારે સોમનાથ મંદિરના પટાંગણમાં આવેલા ઐતિહાસિક બાણ સ્તંભ’ની મુલાકાત લીધી હતી. પૃથ્વીના દક્ષિણ ધ્રુવ સુધીના અબાધિત સમુદ્રમાર્ગને દર્શાવતા આ વૈજ્ઞાનિક વારસાને નિહાળી અંબાણી પરિવારે ભારતની ભવ્ય વિરાસત પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.લોકકલ્યાણ અર્થે ₹5 કરોડનું દાનસેવા અને સમર્પણની ભાવના સાથે મુકેશભાઈ અંબાણીએ શ્રી સોમનાથ ટ્રસ્ટને રૂ. 5 કરોડનું દાન (શિવાર્પણ) કર્યું હતું. આ રકમનો ઉપયોગ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતા લોક કલ્યાણના કાર્યો અને દેશ-વિદેશથી આવતા કરોડો શ્રદ્ધાળુઓની સુવિધાઓના વિકાસ માટે કરવામાં આવશે.આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશભાઈ ચાવડાએ અંબાણી પરિવારનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.આ પણ વાંચો: ઉત્તરાયણ પર્વ પૂર્વે પોલીસ એક્શન મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં 'ફ્લેગ માર્ચ' યોજી સુરક્ષાનો ભરોસો અપાયો

Read Full Story arrow_forward