android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli : એલસીબીનું સફળ ઓપરેશન: બાઈક ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓ ઝડપી પડાયા
calendar_today January 2, 2026

Aravalli : એલસીબીનું સફળ ઓપરેશન: બાઈક ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓ ઝડપી પડાયા

અરવલ્લી જિલ્લાના એલસીબી દ્વારા બાઈક ચોરી કરતી એક સક્રિય ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આ ગેંગ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાંથી બાઈકની ચોરી કરતી હતી. ગુપ્ત માહિતી મળી મળતાં એલસીબીએ કાર્યકારી કાર્યવાહી કરી રાજસ્થાનના ચાર યુવકોને ઝડપી પાડ્યા છે.તક મળતાં જ બાઈક ચોરી કરીને ફરાર થઈ જતા પ્રાપ્ત માહિતી મુજબ, પકડાયેલા આરોપીઓ જી.આઇ.ડીઆઈસી વિસ્તારમાં અને હોટલોમાં નોકરી કરતા હતા. તેઓ નોકરીના બહાને શહેરોમાં આવ-જાવ કરતા અને તક મળતાં જ બાઈક ચોરી કરીને ફરાર થઈ જતા. મોડાસા તાલુકાના ગાજણ વિસ્તાર નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા આ આરોપીઓને એલસીબી પોલીસે અટકાવી પૂછપરછ કરી હતી.  અમદાવાદ અને ગાંધીનગરમાંથી અનેક બાઈક ચોરીના બનાવમાં સંડોવાયેલા છે પોચપરછ દરમિયાન, તેઓ બાઈક ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું જાહેર થયું. પોલીસે વધુ તપાસ કરી જોઈને જાણવા મળ્યું કે તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાંથી અનેક બાઈક ચોરીના બનાવમાં સંડોવાયેલા છે. આરોપીઓ પાસેથી વિવિધ કંપનીઓના ચોરાયેલા બાઈક સહિત કુલ 4.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પણ વાંચો---   Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો
calendar_today January 2, 2026

Gandhinagar: રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો

ગુજરાત સરકારે થર્ટી ફર્સ્ટની મોડી રાત્રે જ 27 IAS અને 49 IPSને પ્રમોશન આપતા આદેશો પ્રસિદ્ધ કર્યા હતાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કેટલાક IAS અધિકારીઓની બદલી કરવાની તૈયારીઓ શરૂ કરી છે. તેવામાં રાજયમાં ત્રણ IAS અધિકારીઓને વધારાનો સાર્જ સોંપવામાં આવ્યો છે. વધુ આદેશ ના થાય ત્યાં સુધી આ ત્રણ અધિકારીઓએ વધારાનો હવાલો સંભાળવો પડશે. 3 IAS અધિકારીને વધારાનો ચાર્જ સોંપાયો રાજ્ય સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર ડો. રાજેન્દ્ર કુમારને GPSCનો વધારાનો હવાલો સોંપી GPSCના ઈન્ચાર્જ MD બનાવ્યા છે. આ ઉપરાંત GNVFCના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલને શહેરી વિકાસ વિભાગના ઈન્ચાર્જ સચિવનો વધારાનો ભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે કમિશનર ઓફ ઈન્ફર્મેશન ગાંધીનગર કે.એલ. બચાણીને સિવિલ એવિએશનના ઈન્ચાર્જ કમિશનર તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Read Full Story arrow_forward
Gandhinagar : રાજ્યમાં ગ્રીન કવર વધારવા મહત્વનો નિર્ણય
calendar_today January 2, 2026

Gandhinagar : રાજ્યમાં ગ્રીન કવર વધારવા મહત્વનો નિર્ણય

કેન્દ્ર સરકારના વર્ષ 2023ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. આ ગ્રીન કવરમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં ગુજરાતની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત વૃક્ષ ઉછેર ઉપયોગ માટે અગાઉથી જમીનનું સિમાંકન અને GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર ચોક્કસ કરીને જરૂરિયાતવાળી જમીનની ઓળખ કરવામાં આવશે. જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર માટે કરાશે વન મંત્રી અર્જુનભાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,રાજ્યમાં ગ્રીન કવર વધારવા રાજ્યની તમામ 185 નદીઓના બન્ને કાંઠાના વન સંરક્ષણ તેમજ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે. જમીનની સ્થિતિ ખાસ કરીને સરકારી જમીન અને વણવપરાયેલી સરકારી જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરી વિકાસલક્ષી પ્રાથમિકતાઓ જળવાઈ રહે તે માટે આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે.મંત્રીએ કહ્યું હતું કે,આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનો ઉપર કોઇ પણ રીતે વાણિજ્યિક પ્રવૃત્તિ-નફાકારક પ્રવૃત્તિ કરવાની રહેશે નહી.આવી સવાલવાળી જમીન ગ્રીન કવર-વૃક્ષ ઉછેરનો વિકાસ કરવા પુરતી જ જમીનના વપરાશની પરવાનગી આપવામાં આવે છે.

Read Full Story arrow_forward