android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad: નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ !!!
calendar_today January 2, 2026

Nadiad: નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ !!!

નડિયાદ પીજ રોડ કેનાલ પાસે આવેલ સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે સવાલ ઉભો કરતી ઘટના બની છે.છેલ્લા પાંચ, છ દિવસથી રાત્રે અંધકારમાં અજાણ્યા શખ્સો દ્વારા હોસ્ટેલની રૂમની બાકીઓ ખખડાવી અને બેટરીઓનો ફોકસ મારવામા આવે છે. જેને લઇને છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓમાં ભારે ભયનો માહોલ છવાઇ ગયો છે. રાત્રે પોણાએક વાગ્યાના અરસામાં આ ઘટના બને છે. જેથી વિદ્યાર્થીનીઓ ડર સાથે આખી રાત જાગતી રહે છે. આ ઘટનાને પગલે વાલીઓમાં પણ ચિંતા પ્રસરી છે. નડિયાદમાં શિક્ષણ અર્થે બહારગામથી આવીને સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે આ છાત્રાલયના પાછના ભાગે આવેલ અવાવરૂ વિસ્તાર માંથી રાત્રિના સુમારે અજાણ્યા ઇસમો દ્વારા છાત્રાલયની પાછળના ભાગે દિવાલ કૂદીને રૂમની બારીઓ ખખડવામાં આવે છે અને બારી ખખડાવવાનો અવાજ આવે છે. ઉપરા છાપરી બારીઓ ખખડવાનો અવાજથી રૂમમાં સૂતેલી વિદ્યાર્થીનીઓ ડરના માર્યા જાગી જાય છે. સમગ્ર હોસ્ટેલમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાથી ગભરાયેલી વિદ્યાર્થીનીઓએ તાત્કાલિક હોસ્ટલના ગૃહમાતા અને સુરક્ષા કર્મચારીઓને જાણ કરી હતી.જો કે અંધારાનો લાભ લઇને અજાણ્યા તત્વો ત્યાંથી પલાયન થઇ જતા હોય છે. ગુરૂવાર રાત્રે આ પ્રવૃતિ વધતા તેઓ સુરક્ષિત નથી તેવી લાગણીઓ અનુભવી રહી છે . કન્યા છાત્રાલયની આસપાસના વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામા આવે અને કમ્પાઉન્ડ વોલની સુરક્ષા વધારવામા આવે તેવી માગ છે. અને પાછળની સાઇડે પણ સીસીટીવી કેમેરો લગાવવામા આવેલી તેવી પણ માગ ઉઠી છે. આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓ રાત્રે ઉંઘતા પણ ડરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: અમૂલ ડેરીની 79મી સાધારણ સભા 17 જાન્યુઆરીએ મળશે
calendar_today January 2, 2026

Anand: અમૂલ ડેરીની 79મી સાધારણ સભા 17 જાન્યુઆરીએ મળશે

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-અમૂલ ડેરીની 79 મી વાર્ષિક સાધારણ સભા 17 જાન્યુઆરીને શનિવારે ડેરી સંઘના સરદાર પટેલ હોલ ખાતે ચેરમેન સાભેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન વિજય પટેલની ઉપસ્થિતિમાં મળશે.અત્રે ઉલ્લેખનિય છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં સભા બોલાવી અનિવાર્ય હતી પરંતુ ડેરી સંઘની ચૂંટણીને લઇને ગત માસમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાયા બાદ તાજેતરમાં મળેવી બોર્ડ બેઠકમાં વાર્ષિક સાધારણ સભા મુદ્દે નિર્ણય લેવાયો છે. વાર્ષિક સાધારણ સભાની કાર્યસુચી ગત 27 સપ્ટેમ્બર 2024 ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભાના પ્રોસેડીંગને બહાલી આપવી, વર્ષ 2024-25 દરમ્યાન થયેલ ખર્ચ તેમજ અંદાજ કરતા વધુ થયેલ મુડી - મહેસુલી ખર્ચને મંજુરી આપવી, 31 માર્ચના રોજ પુરા થતા વર્ષનું સરવૈયુ મંજુર કરવું, વર્ષ 2024-25 માં સંઘે કરેલા નફાની વહેંચણી મંજુર કરવી, વર્ષ 2025-26 માટે ખર્ચનું અંદાજપત્રક મંજુર કરવું, સંઘના હિસાબોના ઓડીટ મેમા અને તેના સુધારણા રિપોર્ટ, સંઘે વર્ષ 2024-25 દરમ્યાન ડેરીના વિસ્તરણ માટે કરેલા રોકાણો, સંઘના સુચિત રોકાણો, યોજનાઓ તથા ગુજરાત સહકારી કાયદાની કલમ 71 સાથે નિયમ 29 (સી) અને કલમ 163 (1) હેઠળ મંજુરીઓને બહાલી આપવી તેમજ નણાકીય વર્ષ માટે અમેરીકા અને સ્પેન ખાતે ઓડીટરની નિર્મણુંક કરવી, ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ફાળા બાબતે નિર્ણય લેવો, દૂધ સંઘ દ્વારા અરડા ઉપકરણ હેડે પ્રતિલીટરે 0.30 પૈસા કપાત કરી અરડાને ચૂકવી આપેલ રકમને બહાલી આપવી, સંઘના કર્મચારીઓ અરડામાં પણ જરૂરિયાત સમયે ફરજ બજાવતા હોય તેઓના પગાર ભથ્થાને પણ બહાલી આપવી તદ્ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવનાર કામોને એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યા છે. બેઠકમાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ઉપસ્થિત દૂધ ઉત્પાદકો, ડેરીસંઘના એજન્ડાના કામોને બહાલી આપશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: બેફામ ડમ્પરની ટક્કર વાગતા ટ્રેક્ટર પરથી પટકાતાં યુવકનું મોત
calendar_today January 2, 2026

Nadiad: બેફામ ડમ્પરની ટક્કર વાગતા ટ્રેક્ટર પરથી પટકાતાં યુવકનું મોત

મહિસાગરના લાકડાના વેપારીએ લાકડાની હેરાફેરી માટે એક ટ્રેકટર ખરીદ્યું હતું, તેનો નંબર પણ આવેલ ન હતો.દરમિયાન બે યુવાનો ટ્રેકટરમાં લાકડા ભરીને કોઠંબાથી કઠલાલ આવી રહ્યા હતા. દરમિયાન લસુન્દ્રા પાસે એક ડમ્પરે ટકકર મારતાં એક યુવાન ટ્રેકટર પરથી નીચે પટકાતા ટ્રેકટરનું ટાયર તેના પર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓના કારણે યુવાનનું મોત નિપજતા નંબર વગરના ડમ્પર ચાલક વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. મહિસાગરના લુણાવાડા ચારણ ગામે રહેતા પર્વતસિંહ બારૈયાના કાકાએ ખરીદેલ ટ્રેકટર લઈને ગત તા.31 ડિસેમ્બર 2025ના રોજ કોઠંબા લાકડા ભરવા માટે ગયા હતા. તેમની સાથે વાલીનાથનો હિતેશકુમાર જવાનસિંહ પરમાર (ઉ.વ.22) પણ મજૂરી કામ માટે સાથે ગયો હતો. બંને લાકડા ભરીને ગત તા.1લી જાન્યુઆરી 2026ના રોજ સવારના ત્રણેક વાગ્યાના સુમારે કઠલાલ આવી રહ્યા હતા. દરમિયાન ઈન્દોર - અમદાવાદ હાઈવે લસુન્દ્રા જય દ્વારકાધીશ હોટલ સામેથી પસાર થતા હતા. દરમિયાન એક નંબર વગરના ડમ્પરે ટ્રેકટરને ટકકર મારતાં ટ્રેકટરમાંથી લાકડા છુટા પડીને રોડ પર પડવા લાગ્યા હતા. હિતેશ પરમાર પણ ટ્રેકટરમાંથી છટકીને રોડ પર પડતા ટ્રેકટરનું ટાયર તેના કમરના ભાગે ફરી વળ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward