android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: કોડીનાર રેલવે સ્ટેશન બન્યું હવે દીપડાઓનું કાયમી સરનામું!
calendar_today January 2, 2026

Gir Somnath: કોડીનાર રેલવે સ્ટેશન બન્યું હવે દીપડાઓનું કાયમી સરનામું!

ગાયકવાડ શાસન વખતનું ઐતિહાસિક વિરાસત સમાન કોડીનારનું રેલવે સ્ટેશન આજે સ્થાનિકો માટે 'મૃત્યુના સ્ટેશન' સમાન બની ગયું છે. છેલ્લા 10 વર્ષથી મીટરગેજ ટ્રેન બંધ થતા જ રેલવે તંત્રએ આ મિલકતને રામભરોસે છોડી દીધી છે. આજે આ સ્ટેશન પરિસરમાં માણસ ડૂબી જાય તેટલા ગીચ બાવળો ઊગી નીકળ્યા છે, જેના કારણે શહેરની મધ્યમાં એક અઘોચર જંગલ ઉભું થયું છે. કોડિનાર રેલવે સ્ટેશન બન્યુ દીપડાઓનું કાયમી રહેઠાણ ભયના ઓથાર હેઠળ જીવતા રહીશો આ પરિસર હવે માત્ર અસામાજિક તત્વોનો અડ્ડો નથી, પણ હિંસક દીપડાઓનું કાયમી રહેઠાણ બની ગયું છે. થોડા સમય પહેલા જ એક માસૂમ બાળકીને હિંસક પશુએ ફાડી ખાધી હતી, છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. 20 થી 25 સોસાયટીઓ વચ્ચે આવેલા આ 'કૃત્રિમ જંગલ'માં દીપડાઓની અવરજવર એટલી વધી ગઈ છે કે લોકો દિવસે પણ ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. હજુ ગત અઠવાડિયે જ અહીંથી એક દીપડો પાંજરે પુરાયો છે. સ્થાનિકોનો તંત્ર સામે આક્રોશ તંત્રની વિચિત્ર કાર્યપદ્ધતિ સ્થાનિકોનો આક્રોશ તંત્રની જડતા સામે છે. એક તરફ રેલવે પોતે આ ગંદકી અને ઝાડી-ઝાંખરાની સફાઈ કરતું નથી, અને બીજી તરફ જો કોઈ સફાઈ કરવા તૈયાર થાય તો RPF કાયદાની આટીઘૂંટી બતાવીને રોકે છે. નગરપાલિકા રેલવેની હદ હોવાથી લાચાર છે. આમ, "મરો તો કોના વાંકે?" જેવી સ્થિતિમાં જનતા ફસાઈ છે. તંત્રના પાપે કોડીનારની જનતા મુશ્કેલીમાં સવાલ સુરક્ષાનો છે વિકાસના બણગા ફૂંકતું રેલવે મંત્રાલય શું નાગરિકોના જીવની કિંમત નથી સમજતું? નવા સ્ટેશનના નિર્માણમાં વિલંબ અને જૂની મિલકતની જાળવણીમાં બેદરકારી આ બંને વચ્ચે કોડીનારની જનતા પિસાઈ રહી છે. શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? હવે સમય આવી ગયો છે કે રેલવે તંત્ર પોતાની કુંભકર્ણ નિંદ્રા ત્યાગીને આ જંગલ સાફ કરે અને જનતાને ભયમુક્ત કરે.આ પણ વાંચોઃ Ambaji:માં અંબાના ધામે ભક્તિનો શણગાર, અંબાજી મંદિરમાં અર્પણ કરાયો 43.51 લાખનો રત્નજડિત સુવર્ણ મુગટ

Read Full Story arrow_forward
Gandhinagar: સરકારે સારી બસોની વ્યવસ્થા કરી, હવે ચલાવવાની જવાબદારી તમારી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
calendar_today January 2, 2026

Gandhinagar: સરકારે સારી બસોની વ્યવસ્થા કરી, હવે ચલાવવાની જવાબદારી તમારી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત એસટીના નવા કર્મચારીઓને ડિજિટલ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી નિમણૂક પત્રો એનાયત કરાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેજ પરથી ઉમેદવારોને જાણ કરી હતી. આજે ગાંધીનગરમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા 3084 ડ્રાઈવર અને કંડક્ટર સહિતના કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. મુશ્કેલીઓ આવે પણ મગજને શાંત રાખવું ગુજરાત એસટીના ડ્રાઈવર અને કંડક્ટરના નિમણૂક પત્રોના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આંગળી ચિંધ્યાનું પુણ્ય મળે તો આ ખૂબ મોટો અવસર છે. વડાપ્રધાન મોદીએ લોકો સુધી પહોંચવા હંમેશા પ્રયત્નો કર્યા છે. તેમાં સારી રીતે સહભાગી થવાનો પ્રયત્ન થવો જોઈએ. સરકારી સારી બસોની વ્યવસ્થા કરી છે. હવે આ બસો ચલાવવાની જવાબદારી તમારા સૌની છે. અમે ક્યાંય પહોંચીએ તે પહેલા રીલ પહોંચી જાય છે. કોઈ વસ્તુને નકારાત્મક લેવાની જરૂર નથી. બસના તમામ મુસાફરોને તમારા પર ભરોસો છે. મુશ્કેલીઓ આવે પણ મગજને શાંત રાખવું. એસટીના ડ્રાઈવર અને કંડક્ટર બીજાના પરિવાર માટે કામ કરે છે ગુજરાતમાં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરના નિમણૂક પત્રોના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, એસટી વિભાગ 24 કલાક કામ કરે છે. મુખ્યમંત્રીના હસ્તે આજે નિમણૂક પત્રો એનાયત કરાયા છે. એસટીના ડ્રાઈવર અને કંડક્ટર બીજાના પરિવાર માટે કામ કરે છે. 27 લાખ પેસેન્જરનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. 30 લાખ લોકોને સેવા આપવાનો એસટી વિભાગનો ટાર્ગેટ છે. નવી બસો ઉમેરાતા આ ટાર્ગેટ પણ પૂર્ણ થશે. હાઈવે અને શહેરમા ટ્રાફિકનું પ્રમાણ ઘટી જશે. 2025માં રાજ્યમાં એસટીની 1714 નવી બસ મુકાઈ છે. 962 સુપર એક્સપ્રેસ અને 30 વોલ્વો અને 100 AC બસ મુકાઇ છે. આ પણ વાંચોઃ Surendranagar જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટની શક્યતા

Read Full Story arrow_forward
ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા
calendar_today January 2, 2026

ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

રાજ્યમાં 2025 દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની કામગીરીના આંકડા સામે આવ્યા છે, જે મુજબ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના અનેક મામલાઓ સામે આવ્યા છે. કુલ 310 અધિકારી અને ખાનગી વ્યક્તિ સામે કેસ નોંધાયા છે, જેમાં કુલ રકમ 1 કરોડ 72 લાખ 91 હજાર 598 રૂપિયા છે.171 ટ્રેપ કેસ, 19 ડિકોય અને 16 ડીએ કેસ  એસીબીએ વીતેલા વર્ષમાં 171 ટ્રેપ કેસ, 19 ડિકોય અને 16 ડીએ કેસ થયા છે. સરકારી અધિકારીઓમાં ક્લાસ 1 અધિકારી વિરુદ્ધ 13, ક્લાસ 2 અધિકારી વિરુદ્ધ 35, ક્લાસ 3 કર્મચારી વિરુદ્ધ 134 અને ક્લાસ 4 કર્મચારી વિરુદ્ધ 5 કેસ નોંધાયા છે. ખાનગી વ્યક્તિઓ પર કુલ 123 કેસ નોંધાયા છે. સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયત વિભાગમાં 27 કેસ વિભાગવાર વિશ્લેષણ પ્રમાણે સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયત વિભાગમાં 27 અને મહેસૂલ વિભાગમાં 24 કેસ નોંધાયા છે. સત્તાનો દુરુપયોગ કરવાના 4 કેસ પણ નોંધાયા છે.  ભ્રષ્ટાચાર સામે કડક કામગીરી ચાલુ રહેશે ACBના અધિકારીઓએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર સામે કડક કામગીરી ચાલુ રહેશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો----   Surendranagar જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટની શક્યતા

Read Full Story arrow_forward