android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદમાં ફ્લાવર શોનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શોનું આયોજન
calendar_today January 1, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં ફ્લાવર શોનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શોનું આયોજન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar: 2010 બેચના 7 IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી, કચ્છ અને અમદાવાદના કલેક્ટરને બઢતી
calendar_today January 1, 2026

Gandhinagar: 2010 બેચના 7 IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી, કચ્છ અને અમદાવાદના કલેક્ટરને બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 2010 બેચના કુલ 7 વરિષ્ઠ IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. બઢતી મળતા વહીવટી તંત્રમાં વધુ પ્રતિષ્ઠા અને જવાબદારી ઉમેરાશે એવી આશા છે.બઢતી પામેલા અધિકારીઓમાં નીચેના નામો સામેલ છે બઢતી પામેલા અધિકારીઓમાં કચ્છ-ભુજના કલેક્ટર આનંદ બબુલાલ પટેલ, અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્ર કુમાર મીણા, ટેકનિકલ એજ્યુકેશનના કમિશનર બી.એચ. તલાટી, માહિતી વિભાગના કમિશનર કે.એલ. બચાણી, પાટણના કલેક્ટર તુષારકુમાર વાય. ભટ્ટ અને વડાપ્રધાન કાર્યાલયમાં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડૉ. હાર્દિક સતીશચંદ્ર શાહ જેમને IAS (પે) રૂલ્સ-2016 હેઠળ પ્રોફોર્મા બઢતી આપવામાં આવી છે. તેમની સેવાઓ ભારત સરકાર પાસે જ યથાવત રાખવામાં આવશે.  તમામ અધિકારીઓને હાલના પદ પર જ ફરજ ચાલુ રાખવા માટે નિયુક્ત સરકારી આદેશ અનુસાર બઢતી બાદ તમામ અધિકારીઓને હાલના પદ પર જ ફરજ ચાલુ રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Junagadh News : ગિરનારના ગઢ જીતવા યુવાશક્તિ સજ્જ, 4 જાન્યુઆરીએ યોજાશે રાજ્યકક્ષાની સ્પર્ધા
calendar_today January 1, 2026

Junagadh News : ગિરનારના ગઢ જીતવા યુવાશક્તિ સજ્જ, 4 જાન્યુઆરીએ યોજાશે રાજ્યકક્ષાની સ્પર્ધા

આગામી 4 જાન્યુઆરીના રોજ જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં રાજ્યના ખૂણેખૂણેથી યુવા રમતવીરો પોતાની શક્તિ અને સ્ફૂર્તિનું પ્રદર્શન કરવા ઉમટી પડશે. આ વર્ષે સ્પર્ધા માટે કુલ 1377 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ચકાસણી દરમિયાન ડોક્યુમેન્ટ કે અન્ય ખામીઓને કારણે 262 સ્પર્ધકોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે કુલ 1115 રમતવીરો આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લઈ ગિરનારના ગઢ સર કરવા માટે મેદાનમાં ઉતરશે.ગિરનાર આરોહણ-અવરોહણ આ સ્પર્ધામાં ગુજરાતના 24 જેટલા વિવિધ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ જોવા મળશે. સમગ્ર આયોજનને સિનિયર અને જૂનિયર એમ બે મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ અને બહેનો બંને ઉત્સાહભેર ભાગ લેશે. વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકોની સુરક્ષા અને સુવિધા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગિરનારના હજારો પગથિયાં પર રમતવીરોની ગતિ અને સહનશક્તિની કસોટી થશે, જે જોવા માટે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આ પણ વાંચો : Ahmedabad માં થર્ટી ફર્સ્ટનો થનગનાટ, નવા વર્ષને આવકારવા DJ પાર્ટીઓના આયોજનને અપાયો આખરી ઓપ

Read Full Story arrow_forward