android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viramgam News : 31 ડિસેમ્બર 2025ની રાત્રીએ વિરમગામમાં 30થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
calendar_today January 1, 2026

Viramgam News : 31 ડિસેમ્બર 2025ની રાત્રીએ વિરમગામમાં 30થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં 30થી વધુ દારૂ પીધેલા ઝડપાયા હતા અને 31 ડિસેમ્બરને લઈ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી, વિરમગામ શહેર અને નળસરોવર પોલીસે પીધેલાઓને ઝડપી પાડયા હતા, તો મોડી રાત સુધી સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વિરમગામ પોલીસે ઠગ ટોળકીના એક સાગરીતને દબોચી લીધો અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં મ્યુલ બેન્ક એકાઉન્ટના ઉપયોગ કરી સાયબાર ફોડ આચરનાર ટોળકી વિરૂદ્ધ વિરમગામ શહેર પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં મ્યુલ બેન્ક એકાઉન્ટના ઉપયોગ કરી સાયબાર ફોડ આચરનાર ટોળકી વિરૂદ્ધ વિરમગામ શહેર પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપીની શોધ ચલાવાઈ રહી છે. પોલીસના નવા આધુનિક યંત્ર જૂના યંત્ર કરતાં વેગળા ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પોલીસ તંત્રને નવા બ્રેથ એનલાઈઝર ફાળવ્યા છે. આ આધુનિક યંત્ર જૂના યંત્ર કરતા વેગળા છે. જૂના બ્રેથ એનલાઈઝરમાં એક પાઈપ હતી જેમાં વ્યકિત દ્વારા ફૂંક મારવામાં આવતી હતી. જો વ્યક્તિએ દારૂનો નશો કર્યો હોય તો આલ્કોહોલ લીધો છે તેવું યંત્રમાં દર્શાવાતું હતું. નવું યંત્ર આધુનિક છે જે યંત્ર લાઈટ બેટન વિથ બ્રેથ એનલાઈઝર તરીકે ઓળખાય છે. જેમાં પાઈપ નથી, વ્યક્તિએ યંત્રના પાસે ફૂંક મારવાની હોય છે સેન્સરથી આ ફૂંકનું એનાલિસીસ થાય છે અને જો આલ્કોહોલ લીધો હોય તો તુરંત સિગ્નલ મળે છે. શહેરભરની પોલીસે ૩૧મી ડિસેમ્બરની રાતે ૫૦૦થી વધુ બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ કર્યુ હતું. આ પણ વાંચો : Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ

Read Full Story arrow_forward
Surat Crime News: સચિનમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા
calendar_today January 1, 2026

Surat Crime News: સચિનમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા

સુરત જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધવાને કારણે એવું લાગી રહ્યું છે કે, ડાયમંડ સિટી હવે ક્રાઈમ સિટી બની રહ્યું છે. આવામાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના સચિન વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઝા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.યુવકની અજાણ્યા લોકોએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરના સચિન વિસ્તારમાં એક યુવકની હત્યા અજાણ્યા લોકો દ્વારા કરી દેવામાં આવી છે. સચિન વિસ્તારમાં સુરજ નામના યુવકની અજાણ્યા લોકો દ્વારા ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં સુરજનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સુરજની હત્યા કેમ થઈ એ અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ મામલે સચિન પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યારાઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા સચિન પોલીસને હત્યાની ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. સચિન પોલીસે હત્યારાઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં નવા વર્ષની શરૂઆતમાં જ હત્યાનો બનાવ સામે આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમજ અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા છે. આ પણ વાંચો - Surat News : લો બોલો, સુરતમાં બિલ્ડરના ઘરેથી નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી ગયો

Read Full Story arrow_forward
Ahmedabad News : નવા વર્ષની ભેટ, ગુજરાતમાં CNG ના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવા રેટ
calendar_today January 1, 2026

Ahmedabad News : નવા વર્ષની ભેટ, ગુજરાતમાં CNG ના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવા રેટ

નવા વર્ષ 2026 ના પ્રથમ દિવસથી જ રાજ્યના લાખો વાહનચાલકો માટે ખુશખબર સામે આવ્યા છે. મોંઘવારીના સમયમાં રાહત આપતા ગેસ કંપનીઓએ CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 1.20 નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ 'પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ' (PNGRB) દ્વારા લાગુ કરાયેલી નવી ટેરિફ સિસ્ટમ માનવામાં આવે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘટાડો થયો છે અને તેનો સીધો લાભ હવે ગ્રાહકોને મળી રહ્યો છે.મોંઘવારીના મોરચે રાહત ભાવમાં સુધારા બાદ હવે CNGનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલો થયો છે, જે અગાઉ રૂ. 82.37 હતો. આ ઘટાડાથી ખાસ કરીને ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી ઓપરેટરો અને મધ્યમ વર્ગના કાર માલિકોને આર્થિક રીતે મોટી રાહત મળશે. નવા વર્ષની શરૂઆતમાં જ ઈંધણના ભાવ ઘટતા બજારમાં અન્ય ચીજવસ્તુઓના પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. આ નવા દરો આજથી એટલે કે 1 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યના પંપો પર અમલી બની ગયા છે. આ પણ વાંચો : Happy New Year 2026 : શક્તિ, શિવ અને કૃષ્ણના શરણોમાં નૂતન વર્ષનો પ્રારંભ, પાવાગઢ, સોમનાથ અને દ્વારકામાં માનવ મહેરામણ

Read Full Story arrow_forward