android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari: મંત્રી મનીષા વકીલનો સંવેદનશીલ અભિગમ, દિવ્યાંગ બાળકોને તિલક કરી ભાવભીનું વાતાવરણ સર્જ્યું
calendar_today January 2, 2026

Navsari: મંત્રી મનીષા વકીલનો સંવેદનશીલ અભિગમ, દિવ્યાંગ બાળકોને તિલક કરી ભાવભીનું વાતાવરણ સર્જ્યું

સામાન્ય રીતે જ્યારે કોઈ મંત્રી કાર્યક્રમમાં આવે ત્યારે તેમનું સ્વાગત ફૂલહાર કે તિલક કરીને કરવામાં આવતું હોય છે, પરંતુ નવસારીમાં આનાથી વિપરીત અને અત્યંત હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ જ્યારે દિવ્યાંગ બાળકોની મુલાકાતે પહોંચ્યા, ત્યારે પ્રોટોકોલને બાજુ પર મૂકી તેમનો માતૃત્વસભર અને ભાવનાત્મક અભિગમ સામે આવ્યો હતો.સ્વાગત લેવાને બદલે બાળકોનું સ્વાગત કર્યુંનવસારીમાં મંત્રીના સ્વાગત માટે દિવ્યાંગ બાળકો તિલક લઈને ઉભા હતા. આ બાળકો મંત્રીનું સ્વાગત કરે તે પહેલા જ મનીષા વકીલે જાતે આગળ વધીને બાળકોને તિલક કરી તેમને વધાવ્યા હતા. એક મંત્રી તરીકે સ્વાગત સ્વીકારવાને બદલે દિવ્યાંગ બાળકોને માન આપી તેમનું સન્માન કરવાની આ ચેષ્ટાએ વાતાવરણને ભાવનાત્મક બનાવી દીધું હતું.સાંકેતિક ભાષામાં સાધ્યો સંવાદમાત્ર તિલક જ નહીં, પરંતુ મંત્રીએ આ બાળકોની મર્યાદાઓને સમજીને તેમની સાથે તેમની જ શૈલીમાં વાતચીત કરી હતી. મનીષા વકીલે દિવ્યાંગ બાળકો સાથે સાંકેતિક ભાષા (Sign Language) માં સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. બાળકો સાથે આત્મીયતા કેળવી તેમણે બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.આ પણ વાંચો:વનસ્પતિ તેલમાંથી પનીર બનાવતા કૌભાંડનો પર્દાફાશ, બે ડેરીમાંથી 2.72 લાખનો જથ્થો જપ્ત

Read Full Story arrow_forward
Ahmedabad News: 2015માં પકડાયેલા ડ્રગ્સના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
calendar_today January 2, 2026

Ahmedabad News: 2015માં પકડાયેલા ડ્રગ્સના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

અમદાવાદમાં ડ્રગ્સ અને દારૂના કેસમાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે 2015માં ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી સામે કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે ડ્રગ્સના કેસમાં પકડાયેલા આરોપીને 10 વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે. ડ્રગ્સના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી અમદાવાદમાં ડ્રગ્સના કેસમાં પકડાયેલા આરોપી શૈલેષ પ્રજાપતિ સામે 2015માં ક્રાઈમ બ્રાંચે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ અંગે સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે સજા ફટકારતા અવલોકન કર્યું હતું કે, ડ્રગ્સનું દૂષણ દૂર કરવા સજા જરૂરી છે. કોર્ટે 21 સાક્ષી અને પુરાવાના આધારે સજા ફટકારી હતી.  આ પણ વાંચોઃ Gandhinagar: 2027 સુધીમાં એસટી બસોમાં મુસાફરોની સંખ્યા 30 લાખ સુધી પહોંચાડાશે

Read Full Story arrow_forward
Una: ખાપટ ગામની વાડીમાં ભરબપોરે સિંહોની એન્ટ્રી, ખેતરોમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ
calendar_today January 2, 2026

Una: ખાપટ ગામની વાડીમાં ભરબપોરે સિંહોની એન્ટ્રી, ખેતરોમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ

ગીરની સરહદે આવેલા ઉના તાલુકામાં વન્ય પ્રાણીઓ અને માનવ વસાહત વચ્ચેનો સંપર્ક વધી રહ્યો છે. ઉના શહેરથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા ખાપટ ગામમાં દિવસ દરમિયાન બે સિંહ વાડી વિસ્તારમાં ચઢી આવતા શ્રમિકો અને ખેડૂતોમાં ભારે ફયનો માહોલ જોવા મળ્યો હતો.માનવ વસાહત બન્યું સિંહોનું નવું સરનામુંછેલ્લા કેટલાક સમયથી એશિયાટિક સિંહો જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા હોય તેવું જણાય છે. ખાપટ ગામની વાડીઓમાં દિવસના સમયે જ સિંહો દેખા દેતા ખેતમજૂરોમાં ડર વ્યાપી ગયો છે. ખેતરોમાં કામ કરવાની સીઝન ચાલી રહી છે, ત્યારે સિંહોની હાજરીને કારણે ખેડૂતો અને શ્રમિકો ખેતરમાં જતાં પણ ગભરાઈ રહ્યા છે.શિકારની શોધમાં ગામ તરફ આવવાની ભીતિસ્થાનિકોના જણાવ્યા મુજબ, દિવસ દરમિયાન વાડીમાં દેખાયેલા આ સિંહો રાત્રિના સમયે શિકારની શોધમાં ગામની અંદર પણ આવી શકે છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા એક તરફ ભયનો માહોલ છે, તો બીજી તરફ સિંહ પ્રેમીઓ સિંહના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.વન વિભાગ પાસે પેટ્રોલિંગની માંગસિંહો અને માનવ વચ્ચે કોઈ સંઘર્ષ ન સર્જાય તે માટે વન વિભાગ સક્રિય થાય તેવી લોક માંગ ઉઠી છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને સિંહોને માનવ વસાહતથી દૂર રાખવામાં આવે તે જરૂરી બન્યું છે. સિંહોના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા આંટાફેરાએ વન વિભાગ માટે પણ ચિંતાનો વિષય બનાવ્યો છે.આ પણ વાંચો:મંત્રી મનીષા વકીલનો સંવેદનશીલ અભિગમ, દિવ્યાંગ બાળકોને તિલક કરી ભાવભીનું વાતાવરણ સર્જ્યું

Read Full Story arrow_forward