android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat Crime news: લઘુશંકા કરવાની ના પાડતા હત્યા
calendar_today January 3, 2026

Surat Crime news: લઘુશંકા કરવાની ના પાડતા હત્યા

ડાયમંડ સિટી સુરત હવે ક્રાઇમ સિટી બની રહ્યું છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર પાણીની ટાંકીમાં લઘુશંકા કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. આ હિંસક હુમલામાં ચાર કિશોરો અને એક યુવકે મળીને દંપતી અને તેના દિયર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે દિયરનું મોત નીપજ્યું છે.શું હતી સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતની અગાસી પર પાણીની ટાંકીમાં લઘુશંકા કરવા બાબતે વિવાદ થયો હતો. જ્યારે મહિલા અને તેના પરિવારે આ ગંદકી કરવા બદલ કિશોરોને ઠપકો આપ્યો, ત્યારે મામલો બિચક્યો હતો. ઠપકાથી ઉશ્કેરાયેલા ચાર કિશોરો અને સોહેબ ખાન નામના યુવકે એકસંપ થઈને હુમલો કરી દીધો હતો. પરિવાર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો આરોપીઓએ ઉશ્કેરાટમાં આવીને તીક્ષ્ણ હથિયાર વડે મહિલા, તેના પતિ અને દિયર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દિયરને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાનો પતિ હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેની હાલત ગંભીર છે.https://x.com/sandeshnews/status/2007386140333187186 પોલીસની ત્વરિત કાર્યવાહી ઘટનાની જાણ થતા જ ભેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સોહેબ ખાનની ધરપકડ કરી છે. આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને પણ ડિટેઈન કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Surat Crime News: ઉનમાં બે સગા ભાઈ પર હુમલો, એકનું મોત

Read Full Story arrow_forward
Gandhinagar News : મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના DDOઓને કહ્યું, ગામડામાં ટુકડે-ટુકડે ગટર બનાવવાને બદલે એક સંકલિત ગટર વ્યવસ્થા ઊભી કરવી
calendar_today January 3, 2026

Gandhinagar News : મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના DDOઓને કહ્યું, ગામડામાં ટુકડે-ટુકડે ગટર બનાવવાને બદલે એક સંકલિત ગટર વ્યવસ્થા ઊભી કરવી

આ બેઠકમાં પંચાયત મંત્રી તેમજ પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ગ્રામીણ સ્તરે ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી તેને વેગ આપવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક દરમિયાન પંચાયત મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, જિલ્લાના આયોજનની ગ્રાન્ટમાંથી સવા ગણું એટલે કે, ૧૨૫ ટકા આયોજન કરવું, જેથી કોઈ કામ રદ થાય તો અન્ય કામો તુરંત હાથ ધરી શકાય. સોલર રૂફટોપ લગાવવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો વધુમાં મંત્રીએ જિલ્લાના સરકારી મકાનો પર સ્માર્ટ મીટર અને સોલર રૂફટોપ લગાવવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં રોડ, પાણી અને ગટરના કામોની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું હતું કે, ટુકડે-ટુકડે ગટર બનાવવાને બદલે એક સંકલિત ગટર વ્યવસ્થા ઊભી કરવી. વહીવટી તંત્રને વધુ પારદર્શી બનાવવા માટે મંત્રીએ 'ઈ-સરકાર' એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણ અને પડતર ફાઈલોના ત્વરિત નિકાલ માટે બેઠકમાં આદેશો આપ્યા હતા. વધુમાં, સીડીપી-૫ યોજના અંતર્ગત બાકી રહેલા ગ્રામ પંચાયત ભવનો અને રાજીવ ગાંધી ભવનની દરખાસ્તો વહેલી તકે પૂર્ણ કરવા પણ મંત્રીએ જણાવ્યું હતું. જૂથ ગ્રામ પંચાયતોના વિભાજનને લઈ ચર્ચા કરાઈ આ ઉપરાંત, જનતાને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે જન્મ-મરણની ઓનલાઈન નોંધણીમાં આવતી ટેકનિકલ ખામીઓને સત્વરે દૂર કરવા પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જૂથ ગ્રામ પંચાયતોનું વિભાજન, નવા પંચાયત ઘરનું નિર્માણ અને પાણી પુરવઠા યોજનાઓ જેવી ધારાસભ્યો અને પદાધિકારીઓ તરફથી મળેલી વિવિધ રજૂઆતોની સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને અફોર્ડેબલ હાઉસિંગ સુવિધા પૂરી પાડવા બાબતે પણ સમીક્ષા કરવામાં આવી ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી ગ્રામ પંચાયતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના વિસ્તારોમાં પાયાની માળખાગત સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં મંત્રીએ રાજ્યની અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજના માટે ગામતળ અને પ્લોટની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી. સાથે જ, તેમણે ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની જિલ્લામાં આવેલી ખુલ્લી જમીનો પર દબાણ ન થાય અને નાગરિકોને અફોર્ડેબલ હાઉસિંગ સુવિધા પૂરી પાડવા બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ પણ વાંચો : Surat News : સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026’ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

Read Full Story arrow_forward
Weather News : ઠંડીથી મળશે છુટકારો! ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે
calendar_today January 3, 2026

Weather News : ઠંડીથી મળશે છુટકારો! ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે

નલિયા અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો પ્રકોપ ગુજરાતમાં હાલ શિયાળાએ બરાબરનો મિજાજ દેખાડ્યો છે, જેમાં કચ્છનું નલિયા 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગત વર્ષની સરખામણીએ (જ્યારે તાપમાન 3 ડિગ્રી હતું) આ વખતે ઠંડી થોડી ઓછી છે, પરંતુ હજુ પણ જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, જ્યાં રાજકોટમાં પારો 9.4 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ હોવાને કારણે રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે.ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ફેરફારની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીનું જોર હવે ધીમે-ધીમે ઘટવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાથી લોકોને કાતિલ ઠંડીમાંથી થોડી રાહ મળશે. સૌથી રાહતની વાત એ છે કે હાલમાં રાજ્યમાં માવઠાની કોઈ જ શક્યતા નથી, જેનાથી ખેડૂતોમાં પણ નિરાંત જોવા મળી રહી છે. પવનની બદલાતી ગતિ અને તાપમાનમાં થતો વધારો આગામી દિવસોમાં શિયાળાની તીવ્રતામાં ઘટાડો લાવશે. આ પણ વાંચો : Ahmedabad News : પોલીસ કમિશનરની લાલ આંખ, નિયમ તોડનારા 1330 સરકારી કર્મચારીઓ દંડાયા, પોલીસકર્મીઓ પણ ન બચ્યા!

Read Full Story arrow_forward