android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: આંબાવાડીમાં મોટી દુર્ઘટના, બે શ્રમિકોના મોત
calendar_today January 1, 2026

Ahmedabad News: આંબાવાડીમાં મોટી દુર્ઘટના, બે શ્રમિકોના મોત

અમદાવાદમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં બે મજૂરોના મોત થવાના કારણે શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાતા બે મજૂરોના મોત નીપજ્યા છે. જ્યારે એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. નંદીની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા 3 શ્રમિકો સેન્ટિંગ પાર્ટ પરથી નીચે પટકાયા હતા. જે કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.અમદાવાદ શહેરના પોશ ગણાતા આંબાવાડી વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી 'નંદીની' નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા ત્રણ શ્રમિકો સેન્ટિંગના પાટ પરથી અચાનક નીચે પટકાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ 'નંદીની' કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું છે. જ્યાં મજૂરો ઊંચાઈ પર સેન્ટિંગ પર ઉભા રહીને કામ કરી રહ્યા હતા. અચાનક કોઈ કારણોસર સંતુલન બગડતા અથવા પાટ તૂટી પડતા ત્રણેય શ્રમિકો સીધા જમીન પર પટકાયા હતા. ઊંચાઈ પરથી નીચે પડવાને કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસ કાર્યવાહી અને તપાસ દુર્ઘટના બાદ સાઇટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને સાથી શ્રમિકોએ તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ કમનસીબે બે શ્રમિકોના જીવ બચાવી શકાયા નથી. ઘટનાની જાણ થતા જ એલીસબ્રીજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનોનો અભાવ હતો કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જો બિલ્ડર કે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં નિર્માણ પામતી બહુમાળી ઈમારતોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને મોટા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. આ પણ વાંચો - Ahmedabad News: વર્ષ 2025માં 1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા, 258 સામે તડિપાર કરવાની કાર્યવાહી

Read Full Story arrow_forward
Ambaji: અંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવારને પૂજાનો અધિકાર પુનઃ આપવા માગ, કડાણામાં સનાતન હિન્દુ સમાજનું આવેદન
calendar_today January 1, 2026

Ambaji: અંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવારને પૂજાનો અધિકાર પુનઃ આપવા માગ, કડાણામાં સનાતન હિન્દુ સમાજનું આવેદન

 વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રી દરમિયાન પૂજા કરવાના દાંતા રાજવી પરિવારના સદીઓ જૂના અધિકાર પર કોર્ટે રોક લગાવતા સનાતન હિન્દુ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ પરંપરાને જીવંત રાખવા માટે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.રાજવી પરંપરાને સમર્થનદાંતા રાજવી પરિવારનો હિન્દુ સમાજમાં ભવ્ય ઇતિહાસ રહ્યો છે. તેઓ ઉજ્જૈનના મહારાજા વીર વિક્રમાદિત્યના વંશજો હોવાનું માનવામાં આવે છે. અંબાજી મંદિરમાં આસો સુદ ૮ (હવન) ના દિવસે પૂજા કરવાનો તેમનો પરંપરાગત અધિકાર રહ્યો છે. આ લડતમાં હવે કડાણાના રાજવી પરિવારની સાથે સંતરામપુર રાજવી પરિવારે પણ ટેકો જાહેર કર્યો છે અને આ પ્રાચીન પરંપરા અવિરત ચાલુ રાખવા માંગ કરી છે.મામલતદારને આવેદનપત્રકડાણા તાલુકાના સનાતન હિન્દુ સમાજના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, ધાર્મિક આસ્થાઓ અને વર્ષો જૂની પરંપરાઓને જાળવી રાખવી અનિવાર્ય છે. કોર્ટના નિર્ણય બાદ રાજવી પરિવારને પૂજા કરતા અટકાવવામાં આવતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે. હિન્દુ સમાજની આસ્થાને ધ્યાને લઈને આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવા વિનંતી કરવામાં આવી છે.પરંપરા અને ઇતિહાસનું મહત્વઆવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, દાંતા સ્ટેટ અને અંબાજી મંદિર વચ્ચેનો સંબંધ અતૂટ છે. રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતી વિશેષ પૂજા-અર્ચના એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ આદિશક્તિની આરાધનાનો એક ઐતિહાસિક વારસો છે. આ વારસાને જાળવી રાખવા માટે સમગ્ર ગુજરાતના હિન્દુ સમાજમાં એકસૂરે માંગ ઉઠી રહી છે.આ પણ વાંચો: પ્રેમ સંબંધમાં બ્લેકમેલિંગનો કરુણ અંજામ, મહિલાની ક્રૂર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ

Read Full Story arrow_forward
Mehsana: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ
calendar_today January 1, 2026

Mehsana: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ

ઉત્તર ગુજરાતના હાર્દ સમાન મહેસાણા શહેર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'વિકસિત મહેસાણા' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહેસાણા શહેર અને જિલ્લા માટે કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.'વિકસિત મહેસાણા' કાર્યક્રમ અને લોકાર્પણમહેસાણાના પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 140 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત, સમગ્ર મહેસાણા જિલ્લા માટે રૂ. 696 કરોડના માતબર રકમના વિકાસ પ્રકલ્પોની જાહેરાત અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આમ, એક જ દિવસમાં જિલ્લાને કુલ રૂ. 836 કરોડના વિકાસકામોની સોગાદ મળી છે.મહાનુભાવોની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી અને મહેસાણાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ મહેસાણાના આંતરમાળખાકીય વિકાસમાં જે તેજી આવી છે, તેની મહાનુભાવોએ સરાહના કરી હતી.મહેસાણાનો બદલાતો ચહેરોમુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગઠનથી સ્થાનિક પ્રશ્નોના નિકાલમાં ઝડપ આવી છે અને લોકોની સુખાકારીમાં વધારો થયો છે. આગામી સમયમાં મહેસાણાને સ્માર્ટ સિટીની સુવિધાઓથી સજ્જ કરવા સરકાર કટિબદ્ધ છે.આ પણ વાંચો: અંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવારને પૂજાનો અધિકાર પુનઃ આપવા માગ, કડાણામાં સનાતન હિન્દુ સમાજનું આવેદન

Read Full Story arrow_forward