android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે અનિરુદ્ધ દવેની નિમણૂક, ભૂજ કમલમ ખાતે યોજાયો અભિવાદન સમારોહ
calendar_today January 1, 2026

Kutch News: સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે અનિરુદ્ધ દવેની નિમણૂક, ભૂજ કમલમ ખાતે યોજાયો અભિવાદન સમારોહ

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં કચ્છના કદાવર નેતા અને નવનિયુક્ત મહામંત્રી અનિરુદ્ધ દવેને મહત્વનું સ્થાન મળતા જ સમગ્ર જિલ્લાના કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. તાજેતરમાં ભુજ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેમનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી કચ્છનું વધતું કદ અને નવી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા અનિરુદ્ધ દવેને સંગઠનના મહામંત્રી બનાવવા સાથે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે. કચ્છના પ્રતિનિધિને પ્રદેશ સ્તરે આટલું મહત્વનું સ્થાન મળતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આતશબાજી અને ફૂલહાર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકકલ્યાણકારી યોજનાઓ મારી પ્રાથમિકતાઃઅનિરુદ્ધ દવે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા અનિરુદ્ધ દવેએ કહ્યુ કે હું પક્ષના નેતૃત્વનો આભાર માનું છું, ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું આભારી છું. આગામી દિવસોમાં સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત બનાવવું અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવી એ મારી પ્રાથમિકતા રહેશે. કચ્છ ભાજપમાં નવી ઉર્જાનો સંચાર કર્યો સંગઠન મજબૂતી પર ભાર તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે તેઓ સંગઠનના માળખાને વધુ ચુસ્ત બનાવશે અને કાર્યકરો સાથે સીધો સંવાદ સ્થાપિત કરશે. અભિવાદન સમારોહમાં હાજર રહેલા આગેવાનોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અનિરુદ્ધ દવેના બહોળા અનુભવનો લાભ ગુજરાત ભાજપને ચોક્કસપણે મળશે. આ કાર્યક્રમે કચ્છ ભાજપમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે.આ પણ વાંચોઃ Junagadh News : જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ઉજવાશે

Read Full Story arrow_forward
Bharuch News : ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને કર્યો હુમલો, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
calendar_today January 1, 2026

Bharuch News : ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને કર્યો હુમલો, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના જંબુસરમાં રખડતા શ્વાને બાળકો પર હુમલો કર્યો છે અને હુમલામાં બાળકોને પગ તેમજ ગાલ પર ગંભીર ઇજા પહોંચી છે, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે અને રખડતા શ્વાનને પાલિકા ઝડપથી પકડે તેને લઈ રજૂઆત પણ કરવામાં આવી છે, પણ તંત્રના કાને હજી સુધી આ રજૂઆત પહોંચી નથી. જંબુસરમાં રખડતા શ્વાનનો આંતક ભરૂચના જંબુસરના કસ્બા અને કુંભારવાડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેના કારણે બાળકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, રખડતા શ્વાનના કારણે બહાર નીકળતા બીક લાગે છે, શ્વાન ગમે ત્યારે આવીને બચકું ભરી દે છે, તો બાળકોને ઘરની બહાર પણ નીકળવામાં બીક લાગે છે, ત્યારે જંબુસર પાલિકા જરા આ સ્થિતિ જુઓ અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવો તે જરૂરી બન્યું છે. જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ? સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો. ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો. તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો. પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ? તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો. તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો. તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો.. જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ. જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો. આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ઉજવાશે

Read Full Story arrow_forward
8 major expressways by 2026: અમદાવાદ, જામનગર, દિલ્હી અને...2026માં દેશને મળશે મોટા 8 એક્સપ્રેસ વે
calendar_today January 1, 2026

8 major expressways by 2026: અમદાવાદ, જામનગર, દિલ્હી અને...2026માં દેશને મળશે મોટા 8 એક્સપ્રેસ વે

આ વર્ષે દેશ આઠ નવા અત્યાધુનિક એક્સપ્રેસવે મેળવવા માટે તૈયાર છે જેનાથી ભારતમાં રોડ મુસાફરીનો મેપ બદલાઇ જશે. એક્સપ્રેસવે ફક્ત શહેરોને જ નહીં પરંતુ ઝડપી વિકાસ, મજબૂત અર્થતંત્ર અને સારી જીવનશૈલીના નવા માર્ગો તરીકે પણ ઉભરી આવશે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલું આ નવું રોડ નેટવર્ક દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો, ધાર્મિક સ્થળો, બંદરો અને પ્રવાસન કેન્દ્રોને ટૂંકા સમયમાં જોડવામાં સક્ષમ બનશે. ત્યારે આવો જાણીએ આ 8 એક્સપ્રેસ વે ક્યાં ક્યાં બનવાના છે અને તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. દિલ્હી અમૃસર કટરા એક્સપ્રેસ વે દિલ્હીની બહાદુરગઢ સરહદ નજીક જાસોર ખીરીથી શરૂ કરીને, આ એક્સપ્રેસવે પંજાબથી કટરા (જમ્મુ અને કાશ્મીર) સુધી વિસ્તરશે. એક્સપ્રેસવેની કુલ લંબાઈ આશરે 670 કિમી છે અને હાલમાં ચાર લેન સાથે બનાવવામાં આવી રહી છે. ભવિષ્યમાં તેને આઠ લેન સુધી વિસ્તૃત કરવામાં આવશે. ભારતમાલા પરિયોજના હેઠળ NHAI દ્વારા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી દિલ્હી-અમૃતસર મુસાફરીનો સમય આશરે આઠ કલાકથી ઘટાડીને ચાર કલાક અને દિલ્હી-કટરા મુસાફરી 14 કલાકથી ઘટાડીને છ કલાક થવાની ધારણા છે. પ્રોજેક્ટ ખર્ચ આશરે ₹38,905 કરોડ હોવાનો અંદાજ છે. આ માર્ગ ધાર્મિક પર્યટન (વૈષ્ણોદેવી), વેપાર અને લોજિસ્ટિક્સ માટે ઝડપી, સલામત અને સીધો રોડ લિંક પ્રદાન કરશે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ગુજરાતમાં આ એક્સપ્રેસવે અમદાવાદને ધોલેરા SIR અને વધુ પ્રાદેશિક જોડાણને જોડતો એક મુખ્ય પ્રોજેક્ટ છે.  તેની કુલ લંબાઈ આશરે 109 કિમી છે. હાલમાં તે ચાર લેન સાથે બનાવવામાં આવી રહ્યું છે, જેને જરૂર પડ્યે આઠ લેન સુધી વિસ્તૃત કરી શકાય છે. આ કોરિડોર ભારતમાલા યોજના હેઠળ NHAI દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે અને તે ધોલેરા જેવા રોકાણ ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.  અમદાવાદથી ધોલેરા સુધીનો મુસાફરીનો સમય ઓછો થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ₹4,500 કરોડ થવાનો અંદાજ છે અને તે 2026 ની શરૂઆતમાં કાર્યરત થવાની અપેક્ષા છે. રાયપુર-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસવે આ એક્સપ્રેસ વે 464 કિમી લાંબો અને 6 લેન પહોળો છે. આ એક્સપ્રેસવે ત્રણ રાજ્યોને જોડે છે: છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ.  તેને ભારતમાલા ફેઝ-૧ હેઠળ આર્થિક કોરિડોર તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ રૂટ છત્તીસગઢમાં આશરે 124 કિમી, ઓડિશામાં 240 કિમી અને આંધ્રપ્રદેશમાં 100 કિમીનો વિસ્તાર આવરી લેશે.  તે કુરુડ/રાયપુર પ્રદેશમાંથી શરૂ થઈને વિશાખાપટ્ટનમ બંદર પર સમાપ્ત થવાનો પ્રસ્તાવ છે. આ કોરિડોરનો મુખ્ય ફાયદો મધ્ય ભારતથી પૂર્વ કિનારા સુધી લોજિસ્ટિક્સ, વેપાર અને બંદર કનેક્ટિવિટીને સરળ બનાવવાનો રહેશે. આ એક્સપ્રેસવેનો અંદાજિત ખર્ચ આશરે ₹16482 કરોડ છે. એક્સપ્રેસવે ડિસેમ્બર 2026માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. ચેન્નાઇ બેંગ્લુરુ એક્સપ્રેસ વે આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે દક્ષિણ ભારતના બે મુખ્ય આર્થિક કેન્દ્રો - ચેન્નાઈ અને બેંગલુરુ - ને હાઇ-સ્પીડ કોરિડોર સાથે જોડશે.  તેની કુલ લંબાઈ આશરે 258 કિમી છે અને તેને 4 લેન સાથે વિકસાવવામાં આવી રહી છે જેને જરૂર પડ્યે 8 લેન સુધી વિસ્તૃત કરી શકાય છે.  તે ભારતમાલા પરિયોજના હેઠળ NHAI દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને જાન્યુઆરી 2021 માં તેનું રાષ્ટ્રીય એક્સપ્રેસવે-7 (NE-7) તરીકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એક્સપ્રેસવે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી પસાર થશે. તે ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચે મુસાફરીનો સમય અને ટ્રાફિક ભીડ ઘટાડશે, અને ઔદ્યોગિક પુરવઠા શૃંખલાઓ, IT કોરિડોર અને બંદર-સંકળાયેલ લોજિસ્ટિક્સને વેગ આપશે.  તે જુલાઈ 2026 માં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે અને તેનો ખર્ચ આશરે ₹18,000 કરોડ થવાનો અંદાજ છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસવે અમૃતસર-જામનગર એક્સપ્રેસવે ઉત્તરપશ્ચિમ ભારતમાં એક મુખ્ય આર્થિક કોરિડોર છે જેનો અંદાજે 1,257 કિમી લાંબો છે. 4 થી 6 લેન સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. તેનું નિર્માણ NHAI દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ માર્ગને વ્યૂહાત્મક માનવામાં આવે છે કારણ કે તે ભટિંડા, બાડમેર અને જામનગર જેવા મુખ્ય ઊર્જા/ઔદ્યોગિક પટ્ટાઓને જોડે છે. આ એક્સપ્રેસવે (જમીન સંપાદન સહિત) નો કુલ ખર્ચ આશરે ₹80,000 કરોડ છે. એવો દાવો કરવામાં આવે છે કે આનાથી અમૃતસરથી જામનગર સુધીનો મુસાફરીનો સમય 26 કલાકથી ઘટાડીને 13 કલાક થઈ જશે. એપ્રિલ 2026 સુધીમાં તે જાહેર જનતા માટે ખુલ્લો મુકાઈ શકે છે. ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશનો ગંગા એક્સપ્રેસવે મેરઠથી પ્રયાગરાજ સુધીનો આશરે 594 કિમી લાંબો, 12 જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેને આધુનિક, છ-લેન એક્સપ્રેસવે તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. એક્સપ્રેસવેનું બાંધકામ લગભગ 99% પૂર્ણ થયું છે, અને તેનું ઉદ્ઘાટન 15 જાન્યુઆરી, 2026 ની આસપાસ થવાની અપેક્ષા છે. પ્રોજેક્ટ ખર્ચ અંદાજે ₹37,350 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં જમીન સંપાદન પર ખર્ચનો નોંધપાત્ર હિસ્સો છે. એક્સપ્રેસવેમાં ટોલ પ્લાઝા, 15 રેમ્પ, નવ સુવિધા કેન્દ્રો, મુખ્ય પુલ (ગંગા/રામગંગા), ફ્લાયઓવર અને ROB શામેલ છે.  આનાથી પશ્ચિમ ઉત્તર પ્રદેશથી પૂર્વ ઉત્તર પ્રદેશ સુધીની મુસાફરી ઝડપી બનશે અને વેપાર અને પર્યટનને વેગ મળશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેને દેશના સૌથી મોટા રોડ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. તેની કુલ લંબાઈ આશરે 1355 કિમી છે અને અંદાજિત ખર્ચ આશરે ₹1 લાખ કરોડ છે.  તે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે. તેને 6 થી 8 લેન સાથે વિકસાવવામાં આવી રહ્યું છે ભવિષ્યમાં તેને 12 લેન સુધી વિસ્તૃત કરવાની શક્યતા છે.  નોંધનીય છે કે તેનો 771 કિમી પહેલેથી જ ખોલવામાં આવ્યો છે અને બાકીનો માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણપણે ખુલ્લો થવાની અપેક્ષા છે.  આ માર્ગ દિલ્હીના ડીએનડી ફ્લાયઓવર/સોહના વિસ્તારથી શરૂ થશે અને વિરાર/જેએનપીટી બંદર પર સમાપ્ત થશે.

Read Full Story arrow_forward