android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : RMC કોલ સેન્ટર ગુંજી ઉઠ્યું, 2.65 લાખ ફરિયાદો સાથે ડ્રેનેજ વિભાગ મોખરે, રોજના સરેરાશ 1280 કોલ...
calendar_today January 2, 2026

Rajkot News : RMC કોલ સેન્ટર ગુંજી ઉઠ્યું, 2.65 લાખ ફરિયાદો સાથે ડ્રેનેજ વિભાગ મોખરે, રોજના સરેરાશ 1280 કોલ...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ 2025 માં મનપાના કોલ સેન્ટર પર કુલ 4.67 લાખ ફરિયાદો નોંધાઈ છે. આ આંકડાઓમાં સૌથી વધુ ચોંકાવનારી વિગત ડ્રેનેજ વિભાગની છે, જેમાં ગટર ચોકઅપ અને મેઈન લાઈન ઓવરફ્લો જેવી સમસ્યાઓને લઈને 2.65 લાખ ફરિયાદો મળી છે. એટલે કે, સરેરાશ દરરોજ 1280 ફરિયાદો માત્ર ડ્રેનેજ વિભાગને મળી રહી છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ, સફાઈ અને પાણી વિતરણને લઈને પણ મોટી સંખ્યામાં લોકોએ પોતાની હાલાકી નોંધાવી છે. જોકે, મનપા તંત્રએ દાવો કર્યો છે કે તેમાંથી 4.62 લાખ જેટલી ફરિયાદોનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે.સ્માર્ટ સિટીમાં ગંદકીનો ભરડો બીજી તરફ, વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ આ આંકડાઓને લઈને સત્તાધારી પક્ષ અને તંત્ર સામે આકરા સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે જો શહેરમાં કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવે તો 50% ફરિયાદો આપોઆપ ઘટી શકે તેમ છે, પરંતુ તંત્ર માત્ર થીંગડા મારવાનું કામ કરી રહ્યું છે. અહેવાલમાં એ પણ સામે આવ્યું છે કે ફાયર વિભાગની 139 ફરિયાદો હજુ પણ 'ઓપન સ્ટેટસ' માં છે, જે ગંભીર બેદરકારી સૂચવે છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પાયાની જરૂરિયાતો માટે જનતાએ આટલી મોટી સંખ્યામાં ફરિયાદો કરવી પડે તે વહીવટી નિષ્ફળતા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : Ahmedabad News : ફ્લાઈટના ધાંધિયાને લીધે મુસાફરો મુશ્કેલીમાં, દિલ્હી જતી 2 ફ્લાઈટ રદ થતા ગુસ્સે ભરાયા અને પછી...

Read Full Story arrow_forward
હિમાચલમાં પહાડો પર છવાઇ બરફની ચાદર, પ્રવાસીઓને આનંદો
calendar_today January 2, 2026

હિમાચલમાં પહાડો પર છવાઇ બરફની ચાદર, પ્રવાસીઓને આનંદો

નવા વર્ષની ઉજવણી માટે લોકો અત્યારે ફરી રહ્યા છે. કોઇ કકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યું છે તો કોઇ બરફવર્ષાનો. ત્યારે નવા વર્ષની શરૂઆત સ્નોફોલ સાથે કરવા માટે હિમાચલ પહોંચેલા પર્યટકોને તો મજા જ પડી ગઇ હતી.

Read Full Story arrow_forward
Gir Somnath News : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ
calendar_today January 2, 2026

Gir Somnath News : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ

ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં નૃત્ય મંડપ પાસે યાત્રિક બેભાન થતા હડકંપ મચ્યો હતો, મંદિરની સુરક્ષા પોલીસે સમય સૂચકતા દાખવી CPR આપી યાત્રિકનો જીવ બચાવ્યો હતો, ગોલ્ફ કાર અને 108 એમ્બ્યુલન્સથી યાત્રિક દવાખાને ખસેડાયા હતો અને ત્વરિત સારવારથી યાત્રિકનો જીવ બચ્યો છે, ગુજરાત પોલીસનું “મેં આઈ હેલ્પ યુ” સૂત્ર બન્યું સાર્થક. હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ. શું છે હાર્ટ એટેક જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો. હાર્ટ એટેકનાં લક્ષણો ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે. આ પણ વાંચો : Surat News : સુરતના ઉત્રાણમાં વાલીની ઓળખ આપી કિશોરીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

Read Full Story arrow_forward