android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: નેપાળ પૂરમાં મૃત્ત્યુઆંક 955 એ પહોંચ્યો, હજુ પણ અનેક લોકો લાપતા, સેના દ્વારા બચાવ કામગીરી સતત ચાલુ
calendar_today September 1, 2026

Gujarat Latest News Live: નેપાળ પૂરમાં મૃત્ત્યુઆંક 955 એ પહોંચ્યો, હજુ પણ અનેક લોકો લાપતા, સેના દ્વારા બચાવ કામગીરી સતત ચાલુ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી
calendar_today September 1, 2026

Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

વહીવટી નિષ્ક્રિયતા, અસંવેદનશીલતા અને તંત્રની પોતાની ભૂલનો ભોગ સામાન્ય નાગરિકોને બનાવવાની માનસિકતા સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે. જમીન સુધારણા સચિવ અને ચીફ કન્ટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી તરીકે ફરજ બજાવતા સિનિયર આઈએએસ અધિકારી બીજલ શાહ દ્વારા વિલંબના આધારે અરજદારની રિવિઝન અરજી યાંત્રિક રીતે રદ કરી દેવાતાં જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઈએ તેમની ભારે ઝાટકણી કાઢી હતી. ગઈકાલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અધિકારીના વલણ પ્રત્યે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. સરકારી તંત્રની પોતાની ટપાલ મોકલવાની ઢીલને કારણે નાગરિક દંડાયા હોવાનું સ્પષ્ટ થતાં કોર્ટે અધિકારી સામે પૂર્વ-સૂચિત રૂ. 1 લાખનો અંગત દંડ વધારીને રૂ.2 લાખ કેમ ન વસૂલવો તે અંગે સખ્ત શબ્દોમાં સવાલ કર્યા હતા. IAS બીજલ શાહનો HCએ લીધો ઉધડોહાઈકોર્ટે તેમને એક અઠવાડિયાની મુદત આપતા કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ મુકરર કરી હતી.આ વિવાદની શરૂઆત સુતરીયા સ્વાતિ મિતેશ અને અન્ય એક અરજદાર દ્વારા દાખલ કરાયેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનથી થઈ હતી.અરજદારોએ વડોદરાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા સ્ટેમ્પ ડયુટી ભરવા બાબતે 1 ઓક્ટોબર 2025ના રોજ પસાર કરવામાં આવેલા હુકમને ગુજરાત સ્ટેમ્પ એક્ટની કલમ 53 હેઠળ રિવિઝન અરજી કરીને 4 એપ્રિલ 2026ના રોજ પડકાર્યો હતો.પરંતુ ચીફ કન્ટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી દ્વારા 180દિવસની સમયમર્યાદા 30 માર્ચ 2026ના રોજ પૂરી થઈ ગઈ હોવાનું કહીને આ અરજી ફગાવી દેવામાં આવી હતી. સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે નારાજગીઅગાઉની સુનાવણી વખતે આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર દ્વારા રજૂ કરાયેલા રેકોર્ડ પરથી ખુલાસો થયો હતો કે, ડેપ્યુટી કલેક્ટરની કચેરીએ પોતે જ આ ઓર્ડર 18 ઓક્ટોબર 2025ના રોજ પોસ્ટ ઓફિસમાં ડિસ્પેચ કર્યો હતો. જે અરજદારોને 21 ઓક્ટોબર 2025ના રોજ મળ્યો હતો.અરજદારોએ પોતાને ઓર્ડર મોડો મળ્યો હોવાની રજૂઆત કરી હોવા છતાં મહેસૂલ ઓથોરિટીએ ડિસ્પેચની વાસ્તવિક તારીખ ચકાસવાની વ્યવહારુ તસ્દી લીધી નહોતી. અધિકારીઓના આવા યાંત્રિક વલણને કારણે નાગરિકોએ અદાલતોના બિનજરૂરી ધક્કા ખાવા પડે છે તે નોંધતાં જસ્ટિસ દેસાઈએ અગાઉ મૂળ ઓર્ડર આપનાર અધિકારી બીજલ શાહને તેમની વ્યક્તિગત સમતામાં પક્ષકાર તરીકે જોડવાની મંજૂરી આપી હતી.કોર્ટે આ મામલે 31 ઓગસ્ટ 2026ની મુદત આપતાં સરકારી વકીલોની સેવાનો ઉપયોગ કરવા કે તારીખ પે તારીખ માંગવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકી દીધો હતો.આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં માત્ર હળવા વરસાદની આગાહી, ભેજનું પ્રમાણ વધવાથી ગરમીનો અહેસાસ થશે

Read Full Story arrow_forward
Gujarat News: સુરત ઉદયપુર વચ્ચે સપ્તાહમાં 6 દિવસ વંદેભારત ટ્રેન દોડશે
calendar_today September 1, 2026

Gujarat News: સુરત ઉદયપુર વચ્ચે સપ્તાહમાં 6 દિવસ વંદેભારત ટ્રેન દોડશે

આખરે સુરતને તેની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ મળી ગઈ છે.રેલવે બોર્ડે સુરત ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત ટ્રેન દોડાવવા લીલીઝંડી આપી દીધું છે.31 ઓગસ્ટ 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર આદેશમાં ટુનના નંબર, સમયપત્રક, સ્ટોપેજ, સંચાલનના દિવસો કોચના મંજૂરી આપવામાં આવી છે.રેલવેનાં સૂત્રોના જણાવ્યા મુજબ નવી વંદે ભારતને નવરાત્રિ પૂર્વે શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.આ ટ્રેન શરૂ થતાં સુરત અને દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન તરફ જતાં મુસાફરો અને ખાસ કરીને ઉદયપુર સહિતના વિસ્તારો માટે ઝડપી રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે.વડોદરા અને અસારવા ખાતે વોટરિંગની વ્યવસ્થાસુરતને મળેલી વંદે ભારત ટ્રેન સંદર્ભે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.આ સાથે જ સુરતને પ્રથમ વંદે ભારત ટ્રેન ફાળવાતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને આભાર વ્યક્ત કર્યો હતો.સુરત ઉદયપુર વંદે ભારત સપ્તાહમાં છ દિવસ દોડાવાશે.અઠવાડિયામાં એક દિવસ એટલે કે મંગળવારે ટ્રેનનું સંચાલન બંધ રહેશે.આ ઉપરાંત નવી વંદે ભારત માટે 8 કોચના રેકને મંજૂરી આપવામાં આવી છે.નવી ટ્રેનની પ્રાથમિક મેન્ટેનન્સ સુવિધા સુરતમાં રાખવામાં આવશે.જ્યારે વડોદરા અને અસારવા ખાતે વોટરિંગની વ્યવસ્થા રહેશે.સ્થાનિક રેલવે મુસાફરોમાં પણ ઉત્સુકતા વધીસુરતને પ્રથમ વંદે ભારત મળતાં સ્થાનિક રેલવે મુસાફરોમાં પણ ઉત્સુકતા વધી છે.સુરતથી ઉદયપુર વચ્ચે સીધી અને આધુનિક વંદે ભારત સેવા શરૂ થવાથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના પ્રવાસન તથા વ્યાવસાયિક સંપર્કને પણ વેગ મળવાની શક્યતા છે. નવી વંદે ભારતને સુરતથી ઉદયપુર વચ્ચે અનેક મહત્ત્વનાં સ્ટેશનો પર વ્યાવસાયિક ઠેરાવ આપવામાં આવ્યા છે.બંને દિશામાં ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસર્વા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને જાવર ખાતે ટ્રેન ઊભી રહેશે.રેલવે બોર્ડની મંજૂરી મુજબ નવી વંદે ભારતના ટ્રેન નંબર 26903/26904 રહેશે.ટ્રેન નંબર 26903 સુરતથી વહેલી સવારે 6.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 1.40 કલાકે ઉદયપુર સિટી પહોંચશે.પરત ફરતી વખતે ટ્રેન નંબર 26904 ઉદયપુર સિટીથી સાંજે બપોરે 3.35 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે રાત્રે 11.00 વાગ્યે સુરત પહોંચશે.ઉદેપુરસિટી બપોરે 1.40 કલાકે ટ્રેન પહોંચશેઉદયપુર, ડુંગરપુર અને હિંમતનગર જેવા પ્રવાસન તથા ઔદ્યોગિક દૃષ્ટિએ મહત્ત્વના વિસ્તારોને આ નવી સેવા સાથે વધુ સારી કનેક્ટિવિટી મળશે.આ ઉપરાંત સુરતથી સવારે 6.10 કલાકે ઉપડ્યા બાદ ભરૂચ ખાતે સવારે 6.51 વાગ્યે,વડોદરા ખાતે 7.40 વાગ્યે, આણંદ ખાતે સવારે 8.11 વાગ્યે આગમન થશે.ત્યારબાદ મણિનગર સવારે 8.41 વાગ્યે, અસારવા ખાતે સવારે 9.25 વાગ્યે, હિંમતનગર 10.38 વાગ્યે શામળાજી રોડ સવારે 11.08, ડુંગરપુર બપોરે 11.42 વાગ્યે જ્યારે જાવર ખાતે બપોરે 12.45 વાગ્યે તેમજ ઉદેપુરસિટી બપોરે 1.40 કલાકે ટ્રેન પહોંચશે.આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

Read Full Story arrow_forward