android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજી મંદિરે નશા મુક્તિનો કાર્યક્રમ યોજાયો
calendar_today August 29, 2026

Bharuch: મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજી મંદિરે નશા મુક્તિનો કાર્યક્રમ યોજાયો

મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજીના મંદિરે કબીર સંપ્રદાયના સતિ સેવકો રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા પહોંચ્યા હતા ત્યારે અહી બ્રહ્માકુમારીઝ સંસ્થાના અમિતાદીદીએ આવેલા તમામ ભાઈ બહેનોને રાખડી બાંધી તેઓ પાસેથી ભેટ સ્વરૂપે વ્યસન મુક્તિની ભેટો લીધી હતી.ભરૂ તાલુકાના જુના તવરા ગામે પાવન સલીલા માં નર્મદા નદીના તટ પર આવેલ મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજીના મંદિરે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા નશામુકત કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા સંયુકત પણે સમગ્ર ભારતમાં નશા મુકત ભારતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા પણ 10 કરોડથી પણ વધુ લોકોને નશા મુક્તિ માટેની પ્રતિજ્ઞાઓ કરાવી રહ્યા છે, ત્યારે હાલ ભરૂચ ઝાડેશ્વર અનુભુતિ ધામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના સમર્પિત ભાઈ-બહેનો અને સંસ્થાના અનુયાયીઓ દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં શાળા, કોલેજો, સામાજીક સંસ્થાઓ અને અનેક જાહેર કાર્યક્રમો કરી નશામુક્તિ માટેની પ્રતિજ્ઞાઓ કરાવી રહ્યા છે, ત્યારે ગત શ્રાવણ સુદ ચૌદસને રક્ષાબંધનના દિવસે જુના તવરા ખાતે આવેલ મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજીના મંદિર ખાતે મંગલમઠના સતિ સેવકો પૂજમની ઉજવણી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા પહોંચ્યા હતા. સતી સેવકોને બ્રહ્માકુમારી સંસ્થાના અમિતાબેન અને સતિષભાઈ દ્વારા ગુરૂપુનમ ભરવા આવેલા સતી સેવકોને નશામાંથી મુકત કેવી રીતે રહેવુ, નશો કરવાથી શું શું નુકશાન થાય છે અને નશાથી દુર રહેવા માટે પ્રતિજ્ઞાઓ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 500 થી પણ વધુ મંગલમઠના સતિ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: તલાટી કમ મંત્રીએ ગળે ફંસો ખાઈ આપઘાત કર્યો
calendar_today August 29, 2026

Godhra: તલાટી કમ મંત્રીએ ગળે ફંસો ખાઈ આપઘાત કર્યો

પંચમહાલ જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે.જેમાં તલાટી કમ મંત્રીએ કાકાના દિકરાને લાઈવ વિડીયો કોલ કરી ગળે ફંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી છે.કાલોલ તાલુકાના ભાદ્રોલી ગ્રામ પંચાયતમાં પાછલા 10 વર્ષથી ફરજ બજાવતા અંદાજિત 40 વર્ષીય તલાટી કમ મંત્રી સુરસિંગ મસૂરભાઈ રાઠોડે અગમ્ય કારણોસર પોતાના ઘરે આ અંતિમ પગલું ભર્યું હતું. મૂળ મોરવા હડફ્ તાલુકાના દેલોચ ગામના વતની સુરસિંગ રાઠોડ ગોધરાની સુદર્શન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.આપઘાત કરતા પહેલાં સુરસિંગભાઈએ તેમના કાકાના દીકરા રાજેશભાઈ રાઠોડને વિડીયો કોલ કર્યો હતો અને હું સુસાઈડ કરું છું તેમ કહ્યું હતું. રાજેશભાઈએ વિડીયો કોલ પર જ તેમને આવું પગલું ન ભરવા માટે કાલાવાલા અને આજીજી કરી હતી. પરંતુ સુરસિંગભાઈએ તેમની વાત ન માની અને ચાલુ વિડીયો કોલે જ જોતજોતામાં ગળે ફંસો ખાઈ લીધો હતો. આ કરુણ ઘટનાની જાણ થતાં જ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડીને તલાટીના આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: 2047નું ભારત માત્ર સરકારી નીતિથી નહીં, યુવા શક્તિની કલ્પનાથી રચાશે
calendar_today August 29, 2026

Vadodara: 2047નું ભારત માત્ર સરકારી નીતિથી નહીં, યુવા શક્તિની કલ્પનાથી રચાશે

શહેર નજીકની GSFC યુનિ.ના 8મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં DRDOના પૂર્વ DG અને નીતિ આયોગના પૂર્વ સભ્ય પદ્મ ભૂષણ ડૉ. વી. કે. સારસ્વતે હતું કે, જ્યારે ભારત પોતાની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે આજની યુવા પેઢી પોતાની કારકિર્દીના સર્વોચ્ચ શિખર પર હશે. વિકસિત ભારત @ 2047 માત્ર સરકારની નીતિઓથી નિર્માણ નહીંપામે, પરંતુ દેશના યુવાનોની સામૂહિક કલ્પનાશક્તિ, નેતૃત્વ અને પુરુષાર્થથી બનશે.શહેર નજીક ફ્ર્ટિલાઇઝર નગર ખાતે આજે GSFC યુનિ.નો 8મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સ્કૂલ ઑફ્ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ્ સાયન્સ અને સ્કૂલ ઑફ્ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપના 488 વિદ્યાર્થીઓ અને 327 વિદ્યાર્થિનીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. આ ઉપરાંત 17 પૈકી 12 ગોલ્ડ મેડલ વિદ્યાર્થિનીઓને મળ્યાં હતાં. આ સાથે 15 સિલ્વર મેડલ એનાયત કરાયા હતાં. આ સમારોહના ચીફ ગેસ્ટ પદ્મ ભૂષણ ડૉ. વી. કે. સારસ્વતે જણાવ્યું હતું કે, ભવિષ્ય માત્ર ડિગ્રી મેળવનારાઓનું નથી, પરંતુ જેમનામાં સતત શીખવાની , બદલાવ સ્વીકારવાની અને નવું સર્જન કરવાની ક્ષમતા છે તેમનું છે.મશીનો અને AI ગમે તેટલી ઝડપથી કામ કરે, પણ તે માનવીય કલ્પનાશક્તિ, નૈતિક વિવેકબુદ્ધિ અને સંવેદનાની જગ્યા ન લઈ શકે. તેમણે UPI, આધાર અનેડિઝિલૉકર જેવા ભારતીય ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ આપી તેમને જણાવ્યું હતું કે, ટેક્નોલોજી જ્યારે સામાજિક કલ્યાણ સાથે જોડાય છે ત્યારે વૈશ્વિક મિસાલ બને છે. તેમણે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના સપના જોવા અને તેને પરિણામમાં બદલવાના સંદેશ તેમજ સ્વામી વિવેકાનંદના એક વિચારને પકડીને તેને જીવન બનાવી લોના વિચારને યાદ કર્યો હતો.બીજી તરફ તેમને વિદ્યાર્થીઓને સફળતા માટે આઠ સૂત્ર આપ્યા હતા. જેમાં વૈજ્ઞાનિક અભિગમ, સતત નવું શિખવાની તૈયારી, ડિજીટલ સશક્તિકરણ, ક્રિટીકલ થિન્કીંગ તથા ક્રિએટીવીટી, સહયોગ ભાવનાત્મક બુદ્ધિમતા, કમ્યુનિકેશન સ્કીલ અને નિષ્ફળતાથી ડર્યા વગર વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતુ કે, તમારી પદવી એક માત્ર શૈક્ષણિક લાયકાત નથી પરંતુ જ્ઞાન, નવીનતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજમાં સાર્થક પરિવર્તન લાવવાની એક મોટી જવાબદારી છે.તૈત્તિરીય ઉપનિષદના દીક્ષાંત મંત્ર સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદઃ નો ઉલ્લેખ કરતાં તેમણે પદવીધારકોને ઉમેર્યું હતું કે, જીવનમાં ક્યારેય નૈતિકતા અને ચારિર્ત્ય સાથે સમજૂતી ન કરવી. જ્યારે વ્યક્તિગત લાભ અને જાહેરહિત વચ્ચે દ્વંદ્વ સર્જાય ત્યારે હંમેશાં સત્ય અને રાષ્ટ્રહિતને જ પ્રાથમિકતા આપવી જોઈએ. આ સમારોહમાં યુનિ.ના VC પો. જી. આર. સિંહા, રજિસ્ટ્રાર મનીષ પ્રધાન, ગવર્નિંગ બોડીના સભ્યો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ફેકલ્ટી સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward