Bharuch: મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજી મંદિરે નશા મુક્તિનો કાર્યક્રમ યોજાયો
મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજીના મંદિરે કબીર સંપ્રદાયના સતિ સેવકો રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા પહોંચ્યા હતા ત્યારે અહી બ્રહ્માકુમારીઝ સંસ્થાના અમિતાદીદીએ આવેલા તમામ ભાઈ બહેનોને રાખડી બાંધી તેઓ પાસેથી ભેટ સ્વરૂપે વ્યસન મુક્તિની ભેટો લીધી હતી.ભરૂ તાલુકાના જુના તવરા ગામે પાવન સલીલા માં નર્મદા નદીના તટ પર આવેલ મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજીના મંદિરે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા નશામુકત કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા સંયુકત પણે સમગ્ર ભારતમાં નશા મુકત ભારતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા પણ 10 કરોડથી પણ વધુ લોકોને નશા મુક્તિ માટેની પ્રતિજ્ઞાઓ કરાવી રહ્યા છે, ત્યારે હાલ ભરૂચ ઝાડેશ્વર અનુભુતિ ધામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના સમર્પિત ભાઈ-બહેનો અને સંસ્થાના અનુયાયીઓ દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં શાળા, કોલેજો, સામાજીક સંસ્થાઓ અને અનેક જાહેર કાર્યક્રમો કરી નશામુક્તિ માટેની પ્રતિજ્ઞાઓ કરાવી રહ્યા છે, ત્યારે ગત શ્રાવણ સુદ ચૌદસને રક્ષાબંધનના દિવસે જુના તવરા ખાતે આવેલ મંગલમઠ કબીર આશ્રમ વેરાઈ માતાજીના મંદિર ખાતે મંગલમઠના સતિ સેવકો પૂજમની ઉજવણી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા પહોંચ્યા હતા. સતી સેવકોને બ્રહ્માકુમારી સંસ્થાના અમિતાબેન અને સતિષભાઈ દ્વારા ગુરૂપુનમ ભરવા આવેલા સતી સેવકોને નશામાંથી મુકત કેવી રીતે રહેવુ, નશો કરવાથી શું શું નુકશાન થાય છે અને નશાથી દુર રહેવા માટે પ્રતિજ્ઞાઓ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 500 થી પણ વધુ મંગલમઠના સતિ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward