હાથાવાડામાં ગૌચર પરના ગેરકાયદે દબાણો પર તંત્રનું જેસીબી ત્રાટક્યું
થરાદ । (સં.ન્યૂ.સ)થરાદ તાલુકાના હાથાવાડા ગામે ગૌચરની કિંમતી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની મહત્ત્વપૂર્ણ કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી ગૌચર જમીન પર ચાલી રહેલા દબાણો મામલે અરજદાર દ્વારા જિલ્લા કક્ષાએ કરવામાં આવેલી સઘન રજૂઆતો બાદ તાલુકા પંચાયત અને વહીવટી તંત્ર આક્રમક મૂડમાં આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હાથાવાડા ગામે પશુઓના ચરાણ માટેની મહત્વની ગૌચર જમીન પર કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ બાબતે જાગૃત અરજદાર દ્વારા જિલ્લા કક્ષાએ લેખિત રજૂઆતો કરી ગૌચર ખુલ્લું કરાવવા માટે ન્યાયની માંગણી કરવામાં આવી હતી. રજૂઆતોને પગલે સક્ષમ અધિકારીઓના આદેશાનુસાર તાલુકા પંચાયત દ્વારા ઘટનાસ્થળે જેસીબી મશીનો કામે લગાડીને ગૌચર જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તંત્ર દ્વારા અચાનક અને કડક રૂપે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ગામમાં ગેરકાયદેસર દબાણ કરીને બેઠેલા દબાણદારોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાઈ ગયો છે. સરકારી અને ગૌચરની જમીનો ખુલ્લી થવાથી સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં રાહતની સાથે ખુશીની લાગણી જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ દબાણકર્તાઓ સામે આ પ્રકારની લાલ આંખ જારી રાખવામાં આવશે તેવા સંકેતો મળ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward