android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : ક્લાસ-1 અધિકારીનું એકાએક રાજીનામું, ભરતીના થોડા વર્ષોમાં જ છોડી સરકારી સેવા
calendar_today September 1, 2026

Gandhinagar : ક્લાસ-1 અધિકારીનું એકાએક રાજીનામું, ભરતીના થોડા વર્ષોમાં જ છોડી સરકારી સેવા

ગુજરાત સરકારના પુરવઠા વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારી ડૉ. અભેસંગ ચૌહાણે એકાએક રાજીનામું આપતાં સચિવાલયના વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. અધિસૂચના મુજબ ડૉ. અભેસંગ ચૌહાણે અંગત કારણોસર સરકારી સેવા છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત મુલ્કી સેવા નિયમો, 2002 અનુસાર તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.પુરવઠા વિભાગના ઉપ સચિવનું રાજીનામુંડૉ. અભેસંગ ચૌહાણ પુરવઠા વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા હતા. ક્લાસ-1 કક્ષાના અધિકારીનું અચાનક રાજીનામું સામે આવતાં સરકારી તંત્રમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય વહીવટ વિભાગની સત્તાવાર અધિસૂચના જાહેર થતાં રાજીનામાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.અંગત કારણોસર સેવા છોડ્યાનો ઉલ્લેખસત્તાવાર અધિસૂચના અનુસાર ડૉ. ચૌહાણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. જોકે ભરતીના થોડા વર્ષોમાં જ એક ક્લાસ-1 અધિકારી દ્વારા સરકારી સેવા છોડવાનો નિર્ણય લેવાતા વહીવટી વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. રાજીનામા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. અધિસૂચનામાં અંગત કારણોસર રાજીનામું આપ્યાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ભરતીના થોડા વર્ષોમાં સેવા છોડતાં ચર્ચાસામાન્ય રીતે ઉચ્ચ કક્ષાની સરકારી સેવામાં ભરતી થયા બાદ અધિકારીઓ લાંબા સમય સુધી સેવા આપતા હોય છે. ત્યારે ભરતીના થોડા વર્ષોમાં જ ક્લાસ-1 અધિકારી દ્વારા રાજીનામું આપવાનો નિર્ણય લેવાતા સચિવાલયમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.નવી વહીવટી વ્યવસ્થા અંગે આગામી સમયમાં નિર્ણય પુરવઠા વિભાગના ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા અધિકારીનું રાજીનામું મંજૂર થયા બાદ હવે તેમની જગ્યાએ નવી વહીવટી વ્યવસ્થા અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
September 2, 2026: : આવતીકાલે બુધવારે દેશભરમાં શું શું મહત્વનું બનવાનું છે ? 7 મોટી ઘટનાઓ પર એક નજર
calendar_today September 1, 2026

September 2, 2026: : આવતીકાલે બુધવારે દેશભરમાં શું શું મહત્વનું બનવાનું છે ? 7 મોટી ઘટનાઓ પર એક નજર

2 સપ્ટેમ્બર, 2026ના રોજ દેશભરમાં રાજકારણ, જળ સુરક્ષા, માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ સુરક્ષા શિખર સંમેલન સુધી, આવતીકાલનો દિવસ અનેક મહત્વના નિર્ણયો અને બેઠકોનો સાક્ષી બનશે.1. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠકઆવતીકાલે બપોરે 2 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં ટ્રસ્ટને પ્રથમ CEO મળવાની શક્યતા છે. ઉપરાંત પ્રવક્તાની નિમણૂક સહિત અનેક મહત્વના વહીવટી મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે.2. જળ સુરક્ષા મુદ્દે મોટી બેઠક, PM મોદી જોડાશેદિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં જળ સુરક્ષા મુદ્દે મહત્વપૂર્ણ શિખર સંમેલન યોજાશે. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જળશક્તિ મંત્રીઓ તેમાં ભાગ લેશે. ગુજરાતના જળશક્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અંદાજે 4:30 વાગ્યે બેઠકમાં જોડાઈ શિખર સંમેલનને સંબોધશે.3. NHRCનો બે દિવસનો ગુજરાત પ્રવાસરાષ્ટ્રીય માનવાધિકાર આયોગ કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 2 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ઓપન હિયરિંગ યોજાશે, જેમાં રાજ્યમાં માનવાધિકાર ઉલ્લંઘનના કેસોની સુનાવણી કરવામાં આવશે. આયોગના અધ્યક્ષના નેતૃત્વમાં સુનાવણી યોજાશે. જ્યારે 3 સપ્ટેમ્બરે બંધુઆ મજૂરીના મુદ્દે પણ સુનાવણી કરવામાં આવશે.4. રાહુલ ગાંધીનો નાસિક પ્રવાસકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે નાસિકના પ્રવાસે જશે. તેઓ ‘સંગઠન સર્જન અભિયાન’ના સમાપન સમારોહમાં હાજરી આપશે અને પાર્ટીના પદાધિકારીઓ સાથે સંવાદ કરશે.5. બેલ્જિયમના વડાપ્રધાન ભારત આવશેબેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર 3 દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. 3 સપ્ટેમ્બરે બંને નેતાઓ વચ્ચે યોજાનારી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.6. જમ્મુ-કાશ્મીરમાં સરકાર સામે ભાજપનો વિરોધજમ્મુ-કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાના નેતૃત્વવાળી સરકાર સામે ભાજપ આક્રમક વિરોધ કાર્યક્રમો કરશે. વિધાનસભાના ઘેરાવ ઉપરાંત પાર્ટી કાર્યાલયોના ઘેરાવ અને દેખાવો યોજાવાની જાહેરાત કરવામાં આવી છે.7. ઉપરાષ્ટ્રપતિનો છત્તીસગઢ પ્રવાસઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આવતીકાલે રાયપુર અને છત્તીસગઢના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ AIIMS રાયપુરના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.આમ, 2 સપ્ટેમ્બરનો દિવસ રાજકીય બેઠકો, વિરોધ કાર્યક્રમો, માનવાધિકાર મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ બની રહેશે.

Read Full Story arrow_forward
Maharashtra : FDAની મોટી કાર્યવાહી, મુંબઈની 2 હોટલ અને અકોલામાં Blinkit સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરાયું
calendar_today September 1, 2026

Maharashtra : FDAની મોટી કાર્યવાહી, મુંબઈની 2 હોટલ અને અકોલામાં Blinkit સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરાયું

મહારાષ્ટ્રમાં ખાદ્ય અને પીણાની વસ્તુઓની સુરક્ષાને લઈને FDA (Food and Drug Administration)એ કડક કાર્યવાહી કરી છે. વિભાગે મુંબઈની બે હોટલ અને અકોલામાં Blinkitના એક સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું છે. તપાસ દરમિયાન સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ, કર્મચારીઓની હાઈજીન અને અન્ય ખાદ્ય સુરક્ષા નિયમોમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. આ ઉપરાંત સાંગલીમાં યોગ્ય રીતે સંગ્રહ ન કરાયેલું 165 લીટર દૂધ જપ્ત કરીને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું હતું.અકોલામાં Blinkit સેન્ટરની સ્થિતિ ખરાબઅકોલામાં Blink Commerce Private Limited (Blinkit)ના સ્ટોર પર તપાસ દરમિયાન અનેક ખામીઓ મળી આવી હતી. તપાસ ટીમને ફ્રીઝરના પ્લાસ્ટિક પડદા ફાટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ખાદ્ય અને પીણાની વસ્તુઓને નોન-ફૂડ સામગ્રી સાથે એક જ રેકમાં રાખવામાં આવી હતી. કેટલીક ખાદ્ય વસ્તુઓ તો સીધી જ જમીન પર ધૂળ અને કચરા વચ્ચે પડેલી મળી હતી. વિભાગે અગાઉ 12 ઓગસ્ટે સુધારા માટે ચેતવણી આપી હતી. જોકે, ત્યારબાદ પણ સ્થિતિમાં સુધારો ન થતાં 31 ઓગસ્ટે સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું.મુંબઈની બે હોટલ સામે કાર્યવાહીમુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં આવેલી 'દિલ્હી સ્વીટ એન્ડ ભેલપુરી હાઉસ'માં તપાસ દરમિયાન ફ્રીઝરમાં ખાદ્ય સામગ્રી સાથે કાચા ઈંડા રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. ઉપરાંત રસોઈ માટે દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાની માહિતી પણ મળી હતી. રસોડાની દિવાલો પર ભેજ અને ગંદકી જોવા મળી હતી.કુર્લા વેસ્ટની 'ગુલઝાર મોહમ્મદી હોટલ'માં પણ સ્વચ્છતાની સ્થિતિ સંતોષકારક ન હતી. હાઇજીન તપાસમાં હોટલને 100માંથી માત્ર 24 માર્ક્સ મળ્યા હતા. રસોડાની દિવાલો પર તેલનું જાડું પડ જમેલું હતું અને નાળીઓ પણ ગંદી હતી. કર્મચારીઓએ ગ્લવ્સ અને હેડગિયર પહેર્યા નહોતા. આ ખામીઓના પગલે બંને હોટલના લાઈસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા.સાંગલીમાં 165 લીટર દૂધ નષ્ટસાંગલીના મિરજમાં આવેલા 'મયક્કા મિલ્ક કલેક્શન સેન્ટર'માં પણ ગંભીર બેદરકારી સામે આવી હતી. અહીં 120 લીટર ગાયનું અને 43 લીટર ભેંસનું દૂધ કોઈ કૂલિંગ વ્યવસ્થા વિના ચાર કલાકથી વધુ સમય સુધી સામાન્ય રૂમમાં રાખવામાં આવ્યું હતું. દૂધનો રેકોર્ડ પણ રજિસ્ટરમાં નોંધાયેલો નહોતો. ઉપરાંત અગાઉ સીલ કરાયેલી ક્રીમ કાઢવાની મશીનની સરકારી સીલ તૂટેલી મળી હતી. લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે તેવા આ 165 લીટર દૂધને FDAની ટીમે સ્થળ પર જ નષ્ટ કરાવ્યું. FDAએ સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવું તમામ ફૂડ બિઝનેસ માટે ફરજિયાત છે. તપાસમાં ગંભીર ખામીઓ મળતા ત્રણ સ્થળોના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ પણ વાંચો : Air Vice Marshal Shakti Sharmaએ રચ્યો નવો ઈતિહાસ, ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા

Read Full Story arrow_forward