android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: દસ્ક્રોઈના અસલાલી નજીક ખારીકટ કેનાલમાં રાત્રિના સમયે જોખમી ખેલ
calendar_today September 2, 2026

Ahmedabad: દસ્ક્રોઈના અસલાલી નજીક ખારીકટ કેનાલમાં રાત્રિના સમયે જોખમી ખેલ

અમદાવાદ જિલ્લામાં દસ્ક્રોઈ તાલુકાના અસલાલી પાસેથી પસાર થતી ખારીકટ કેનાલમાં રાત્રિના સમયે કેમિકલયુક્ત ગંદુ પાણી છોડાતું હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. સ્થાનિક આગેવાનો તથા જાગૃત નાગરિકોએ પ્રદૂષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી આવા કૃત્યને તાત્કાલિક અટકાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.કેટલાક લોકો દ્વારા રાત્રિના આશરે બે વાગ્યાથી વહેલી સવાર સુધી ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ કેનાલ આગળ જતાં અનેક ગામોના વિસ્તારોમાંથી પસાર થાય છે, જ્યાં ખેડૂતો સિંચાઈ માટે કેનાલના પાણીનો ઉપયોગ કરે છે. આવા પાણીથી ખેતી કરવામાં આવતા પાકમાં પ્રદૂષિત તત્વો ભળવાની શક્યતા અંગે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાદમાં આ શાકભાજી, અનાજ સહિતના કૃષિ ઉત્પાદનો બજારમાં પહોંચતા લોકોના આરોગ્યને પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર રાત્રિના સમયે કેનાલમાં ગંદુ પાણી છોડાતું હોવાનો વીડિયો વાયરલ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જાગૃત નાગરિકોએ પ્રદૂષણ વિભાગને તપાસ કરી જવાબદાર ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: સુરેન્દ્રનગર - વઢવાણના જન્માષ્ટમી લોકમેળાનો આરંભ
calendar_today September 2, 2026

Surendranagar: સુરેન્દ્રનગર - વઢવાણના જન્માષ્ટમી લોકમેળાનો આરંભ

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બન્યા બાદ સતત બીજા વર્ષે મનપા દ્વારા મેળાનું આયોજન કરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં અને વઢવાણના રેલવે સ્ટેશન પાસે આવેલ મેદાનમાં બુધવારથી મેળો ખૂલ્લો મુકવામાં આવ્યો છે. તા. 02થી 7મી સપ્ટેમ્બર એમ 6 દિવસ ચાલનાર આ મેળાને બુધવારે સંતો, અધિકારીઓ, પદાધિકારીઓના હસ્તે ખૂલ્લો મુકયો હતો. છ દિવસ દરમિયાન ઝાલાવાડ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી અંદાજે 10 લાખથી વધુ મેળાના માણીગરો ઉમટી પડશે.મેળો..શબ્દ માત્ર કાન 5ર પડે ને મન સમયની રોજિંદી ભીડમાંથી છટકીને એક અનોખી દુનીયામાં સરે પડે છે. આંખ સામે ઝગમગતા, આકાશને આંબતા ચકડોળ, રંગબેરંગી માનવમહેરામ આંખો સામે તરવરવા લાગે છે. કયાંક બાળકના હાથમાં રણકતા રમકડાનો કિલકિલાટ હોય તો કયાંક નાસ્તાની જયાફત મણાતી હોય. ઝાલાવાડ એ મેળાઓનો પ્રદેશ કહેવાય છે. તેમાં વઢવાણનો મેળો જગ પ્રખ્યાત છે. અગાઉ .સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલીકા પહેલા અલગ-અલગ હતી. ત્યારે બન્ને નગરપાલીકાઓ પોતાના મેળાનું અલગ-અલગ આયોજન કરતી હતી. બાદમાં બન્ને નગરપાલીકાને સંયુકત કરી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકા કરાઈ હતી. ત્યારથી બન્ને મેળાનું આયોજન સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકા દ્વારા કરાતુ હતુ. જયારે તા. 1-1-રપના રોજ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલીકા બનતા સતત બીજીવાર મનનપા દ્વારા સુરેન્દ્રનગર અને વઢવાણ બન્ને લોકમેળાનું આયોજન કરાયુ છે. જેમાં સુરેન્દ્રનગરનો લોકમેળો પરંપરાગત રીતે મેળાના મેદાનમાં જ આ વર્ષે યોજાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા વર્ષ 2025માં સૌ પ્રથમ વખત લોકમેળાનુંનામકરણ કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર મેળાને વીરાસત અને વઢવાણના મેળાને ધરોહર નામ અપાયુ છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા સતત બીજા વર્ષે સુરેન્દ્રનગર અને વઢવાણ રેલવે સ્ટેશન પાસે આવેલ મેળાના મેદાન ખાતે તા. 2જીથી તા. 7મી સપ્ટેમ્બર એમ 6 દિવસ મેળાનું આયોજન કરાયુ છે. જેમાં વઢવાણના મેળાનું બુધવારે સવારે પરંપરાગત રીતે વઢવાણ સ્વામીનારાયણ મંદિરના મહંત માધવેન્દ્રપ્રસાદજી, ભવાનીસિંહજી મોરી સહિતનાઓના હસ્તે ઉદ્દઘાટન કરાયુ હતુ. આ તકે મહાનનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નીખીલભાઈ ચાંપાનેરી, ડેપ્યુટી મેયર સ્મીતાબેન રાવલ, સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. જયારે સાંજે સુરેન્દ્રનગર સ્થીત મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. બન્ને મેળામાં કોઈ અનીચ્છનીય ઘટના ન બને તે માટે એસપી પ્રેમસુખ ડેલુ સહિતની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સમગ્ર સૌરાષ્ટ્રના જન્માષ્ટમી મેળાની વાત કરીએ તો રાજકોટ બાદ વઢવાણનો મેળો આવે છે. વઢવાણના મેળાને મહાલવા દુર દુરથી માણીગરો ઉમટી પડે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: થાનગઢ વાસુકી દાદાના મંદિરે નાગપાંચમના પાવન પર્વે ભાવિકો દર્શનાર્થે ઉમટયા
calendar_today September 2, 2026

Surendranagar: થાનગઢ વાસુકી દાદાના મંદિરે નાગપાંચમના પાવન પર્વે ભાવિકો દર્શનાર્થે ઉમટયા

થાનગઢમાં તળાવના કાંઠે આવેલા પૌરાણિક વાસુકી દાદાના મંદિરે નાગ પંચમીના પાવન અવસરે મહાપૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ શ્રાવણ માસમાં નાગ પંચમીના પાવન પર્વે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડયા હતા. અને વાસુકી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અત્રે પૌરાણિક રાયણના વૃક્ષથી મંદિરની આગવી ઓળખ વાસુકી દાદા મંદિરની વિશેષતા માત્ર તેની ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી. મંદિર પરિસરમાં વર્ષો જૂનું રાયણનું વિશાળ વૃક્ષ આવેલું છે, જે સમગ્ર મંદિર પરિસરમાં ફેલાયેલું જોવા મળે છે. આ વૃક્ષ મંદિરની આગવી ઓળખ બની ગયું છે. સ્થાનિક લોકોની માંગ છે કે પુરાતત્વ વિભાગ દ્વારા આ પ્રાચીન વૃક્ષની યોગ્ય તપાસ અને ઉંમર અંગેનો અભ્યાસ કરવામાં આવે તથા તેની નોંધ લઈ તેને હેરિટેજ વારસા તરીકે જાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. મંદિરના મહંત પ્રશાંતગીરી તથા નીરજગીરી દ્વારા નાગ પંચમીના પાવન દિવસે ભક્તોને પૂજા-અર્ચના કરાવવામાં આવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward