android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: ભાનપુરા - ગોધરા ઇન્ટરચેન્જ માર્ગ પર અકસ્માતો વધતા ચિંતાની સ્થિતિ
calendar_today September 2, 2026

Godhra: ભાનપુરા - ગોધરા ઇન્ટરચેન્જ માર્ગ પર અકસ્માતો વધતા ચિંતાની સ્થિતિ

દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ-વેના પેકેજ નંબર 27 અને 28 હેઠળ લીમખેડાના ભાનપુરાથી ગોધરા ઇન્ટરચેન્જ વચ્ચે બનાવવામાં આવેલા માર્ગનો અનધિકૃત રીતે વાહનવ્યવહાર માટે ઉપયોગ શરૂ થયા બાદ હવે માર્ગની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.ગોધરા ઇન્ટરચેન્જ તરફ્ના માર્ગ પર માર્ગની વચ્ચે આડાશરૂપે મૂકાયેલા સ્લીપરને કારણે વાહનો અથડાતા અકસ્માત સર્જાય છે. હાઇવેનું કામ હજી પૂર્ણ થયું નથી અને માર્ગ સત્તાવાર રીતે શરૂ થયો નથી તેવા સંજોગોમાં રસ્તા પર વિવિધ સ્થળોએ બાંધકામ, રિપેરિંગ અથવા ડાયવર્ઝન સંબંધિત આડશો હોવાની શક્યતા રહે છે. આવા સ્થળોએ વાહનચાલકોને અગાઉથી સાવચેત કરવા માટે યોગ્ય બેરિકેડિંગ, રિફ્લેક્ટર અને દિશાસૂચક સૂચનાઓ જરૂરી બની જાય છે. જેથી સંબંધિત તંત્ર અને માર્ગ નિર્માણ કરતી એજન્સી દ્વારા પણ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં માર્ગ પર જરૂરી સુરક્ષા પગલાં લેવા માંગ ઉઠી રહી છે. તેમજ જ્યાં સુધી કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી માર્ગ સંપૂર્ણપણે બંધ રાખવા અથવા જોખમી સ્થળોએ મૂકાયેલી આડશો દૂર કરી યોગ્ય બેરિકેડિંગ, રિફ્લેક્ટર અને ચેતવણીના બોર્ડ લગાવવા જરૂરી છે. સાથે જ વાહનચાલકોએ પણ આ માર્ગ સત્તાવાર રીતે શરૂ ન થયો હોવાની હકીકત ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી ઝડપે વાહન ચલાવવા અનુરોધ કરાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: શ્રાવણ માસના અંતિમ સોમવારે 11મી કાવડયાત્રાનું આયોજન
calendar_today September 2, 2026

Dahod: શ્રાવણ માસના અંતિમ સોમવારે 11મી કાવડયાત્રાનું આયોજન

દેવગઢબારીઆનાં પીપલોદ ગામે સ્થિત પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિર પીપલોદ સહિત આસપાસના ગામોના લોકોની આસ્થાનું કેન્દ્ર છે, આ મંદિરેથી કાવડયાત્રા યોજાય છે, આ વર્ષે તા.7મીએ શ્રાવણ માસના અંતિમ સોમવારે 11મી કાવડયાત્રા યોજાશેદેવગઢબારીઆ તાલુકાના પીપલોદ ગામ ખાતે બજારમાં બસ્ટેન્ડ સામે ભગવાન રામેશ્વર મહાદેવનું જૂનું પૌરાણિક મંદિર આવેલુ છે. જે મંદિરની સ્થાપના રજવાડી શાસન સમયે મહારાજા જયદિપસિંહજીના સમયે સંવત 1968માં શ્રાવણ વદ અગિયારસે કરાઈ હતી. મંદિરમાં સ્વયંભુ શિવલિંગ છે. નજીકમાં નાગેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. આ બન્ને મંદિરનું સંચાલન મહારાજા જયદીપસિંહે 18 ગામના આગેવાનો અને ભક્તોને સોંપ્યું હતું. વર્ષ 1994માં પીપલોદ તેમજ આજુબાજુના ગામના લોકોના લોકફાળાથી મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો હતો. આ મંદિરે સંતાનપ્રાપ્તિની બાધા માનવા મોટી સંખ્યામાં લોકો આવે છે. મંદિર નજીક પીપળાનું આશરે 600 વર્ષ જૂનું વૃક્ષ આવેલું છે. મંદિર પૂજારી પાંચ પેઢીથી અહીં ભગવાનની પૂજા આરતી કરી રહ્યા છે. મંદિરમાં બહારગામના યાત્રીઓ રહી શકે તે માટે મંદિર આગળ તે સમયના રાજાએ ધર્મશાળા બનાવી હતી, જે આજે જર્જરીત અવસ્થામાં છે. મંદિર નજીકમાં અંબે મા અને શનિદેવનું પણ મંદિર છે. નવરાત્રીમાં અહીં ગરબાનું પણ આયોજન થતું હોય છે. આ મંદિરે આ વર્ષે તા.7 ને શ્રાવણ માસના અંતિમ સોમવારે 11મી કાવડયાત્રા યોજાનાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: ધારાસભ્ય જેઠા ભરવાડના પુત્ર સહિત 10 ઉમેદવારો બિનહરીફ
calendar_today September 2, 2026

Mahisagar: ધારાસભ્ય જેઠા ભરવાડના પુત્ર સહિત 10 ઉમેદવારો બિનહરીફ

શહેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં ભજપ સમર્થિત પેનલનો વિજય થયો હતો. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો બિનહરીફ્ જાહેર થતાં માર્કેટિંગ યાર્ડ પર પુનઃ ભગવો લહેરાયો હતો. જેમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડ પણ ખેડૂત વિભાગમાંથી બિનહરીફ્ થયા હતાં.શહેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ખેડૂત વિભાગની 10 બેઠકની ચૂંટણીમાં 14 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન 2 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આજે તા.2 સપ્ટેમ્બરે બાકી રહેલા 12 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારોએ સ્વેચ્છાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો સામે માત્ર 10 જ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાને રાખી ચૂંટણી અધિકારી સચિન ચરપોટ દ્વારા ચૂંટણી યોજવાની જરૂરિયાત ન રહેતા તમામ 10 ઉમેદવારોને બિનહરીફ્ વિજેતા જાહેર કરાયા હતા.જેમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડે પણ ઉમેદવારી નોંધાવી હતી. જે પણ બિનહરીફ્ વિજેતા થયા હતા. જેને લઈને તાલુકા ભાજપમાં હર્ષોલ્લાસ છવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward