android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jitendra Mishra: કારગિલથી લઈ ઓપરેશન સિંદૂર... કોણ છે માર્શલ જિતેન્દ્ર મિશ્રા? જેમની ચારેકોર થઇ રહી છે ચર્ચા
calendar_today September 2, 2026

Jitendra Mishra: કારગિલથી લઈ ઓપરેશન સિંદૂર... કોણ છે માર્શલ જિતેન્દ્ર મિશ્રા? જેમની ચારેકોર થઇ રહી છે ચર્ચા

Jitendra Mishra: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિશ્રા આ વર્ષે 30 એપ્રિલે સેવામાંથી નિવૃત્ત થયા. તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ટાઇગર હિલ કબજે કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પશ્ચિમી વાયુસેના કમાન્ડનું નેતૃત્વ કર્યું હતું. ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના બંકાતાના વતની, જીતેન્દ્ર મિશ્રા 1986 માં વાયુસેનામાં જોડાયા હતા.અયોધ્યામાં રામ મંદિરના CEO તરીકે જીતેન્દ્ર મિશ્રાની નિમણૂકને લઈને નોંધપાત્ર ચર્ચા છે. તેઓ ભારતીય વાયુસેનાના ખૂબ જ અનુભવી અધિકારી છે; તેઓ એર માર્શલના પદ સાથે નિવૃત્ત થયા હતા અને અગાઉ પશ્ચિમી વાયુસેના કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી. 1986 માં ફાઇટર સ્ટ્રીમમાં કમિશન લીધુ હતું અને તેમણે લગભગ ચાર દાયકા સુધી ચાલેલી લશ્કરી કારકિર્દી પૂર્ણ કરી. તેમણે પશ્ચિમી વાયુસેના કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી.39 વર્ષ સુધી સેવા આપીડિસેમ્બર 1986માં તેમને ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 39 વર્ષની સેવા દરમિયાન એર માર્શલે મુખ્ય કમાન્ડ અને સ્ટાફ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે ફાઇટર પાઇલટ અને ટેસ્ટ પાઇલટ ભૂમિકાઓથી લઈને તાલીમ અને વ્યૂહાત્મક આયોજન સુધીની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. તેમની પાસે 3 હજાર કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે અને તેમણે 18 થી વધુ પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ઉડાવ્યા છે.બહુવિધ પુરસ્કારો મેળવ્યા જિતેન્દ્ર મિશ્રાને તેમના કાર્યકાળ દરમિયાન અનેક પુરસ્કારો મળ્યા છે. તેમણે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના માટે તેમને સ્વતંત્રતા દિવસે 'સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ' એનાયત કરવામાં આવ્યો હતો. વધુમાં, તેમને 2024માં 'અતિ વિશિષ્ટ સેવા મેડલ' અને 2013માં 'વિશિષ્ટ સેવા મેડલ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.જિતેન્દ્ર મિશ્રાએ કેટલો અભ્યાસ કર્યોતેમના શિક્ષણ અંગે, એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાએ ખડકવાસલામાં રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA) ખાતે તાલીમ લીધી હતી. ત્યારબાદ, તેમણે ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડેમી; બેંગલુરુ સ્થિત એરફોર્સ ટેસ્ટ પાયલટ સ્કૂલ; અલાબામા (યુએસએ) સ્થિત મોન્ટગોમરી સ્થિત એર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ; અને યુકે સ્થિત રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝમાં શિક્ષણ અને તાલીમ મેળવી.આ પણ વાંચો: 4 સપ્ટેમ્બરે નહીં કામ કરે UPI, જાણો ક્યારે ફરીથી થશે શરૂ?

Read Full Story arrow_forward
PM Kisan Yojana : કેટલાક ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયા, જાણો ક્યારે જમા થશે 24મો હપ્તો
calendar_today September 2, 2026

PM Kisan Yojana : કેટલાક ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયા, જાણો ક્યારે જમા થશે 24મો હપ્તો

દેશભરના ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)ના 24મા હપ્તા પર છે. ખેડૂતોમાં ચર્ચા છે કે ₹2,000નો આગામી હપ્તો તેમના બેન્ક ખાતામાં ક્યારે જમા થશે. યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તા, ચાર-ચાર મહિનાના અંતરે આર્થિક સહાય આપવામાં આવે છે. આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા અગાઉ 23મો હપ્તો જૂનમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ ગણતરી મુજબ ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થતાં 24મો હપ્તો ઓક્ટોબરમાં આવવાની શક્યતા છે. ઓક્ટોબરમાં દુર્ગાપૂજા સહિતના તહેવારો હોવાથી તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં રકમ જમા થવાની આશા છે. આ દરમિયાન કેટલાક પાત્ર ખેડૂતોને આ વખતે ₹2,000ના બદલે ₹4,000 મળી શકે છે. જોકે, આ લાભ તમામ ખેડૂતોને મળશે નહીં. જે ખેડૂતોને અગાઉનો એટલે કે 23મો હપ્તો કોઈ કારણસર અટકી ગયો હતો, ખાસ કરીને e-KYC અથવા જમીન ચકાસણી પૂર્ણ ન થવાને કારણે જેમને રકમ મળી નહોતી, તેમને બાકી રકમ અને નવા હપ્તાનો લાભ એકસાથે મળી શકે છે.આ ખામીઓ દૂર કરવી જરૂરીજો આવા ખેડૂતોએ હવે જરૂરી e-KYC, જમીન ચકાસણી અથવા દસ્તાવેજ સંબંધિત ખામીઓ દૂર કરી દીધી હોય અને રાજ્ય સરકાર દ્વારા તેમની વિગતોની ચકાસણી બાદ નામ મંજૂર કરવામાં આવે, તો તેમને 23મા હપ્તાના બાકી ₹2,000 અને 24મા હપ્તાના ₹2,000 મળીને કુલ ₹4,000 મળી શકે છે. જે ખેડૂતોને 23મો હપ્તો સમયસર મળી ગયો હતો, તેમને નિયમ મુજબ માત્ર 24મા હપ્તાના ₹2,000 જ મળશે.આ પણ વાંચો : Jitendra Mishra: કારગિલથી લઈ ઓપરેશન સિંદૂર... કોણ છે માર્શલ જિતેન્દ્ર મિશ્રા? જેમની ચારેકોર થઇ રહી છે ચર્ચા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:   પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદીર ટ્રસ્ટના CEO બનાવાયા
calendar_today September 2, 2026

Gujarat Latest News Live: પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદીર ટ્રસ્ટના CEO બનાવાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward