android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Heavy Rain Uttarakhand: ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર અત્યાર સુધીમાં 7નાં મોત
calendar_today September 2, 2026

Heavy Rain Uttarakhand: ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર અત્યાર સુધીમાં 7નાં મોત

મેદાની વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. બીજી તરફ, ઉત્તરાખંડ સહિતના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓએ મુશ્કેલીઓ વધારી દીધી છે.ઉત્તરાખંડમાં અલ્મોડા, બાગેશ્વર, ટેહરી, નૈનીતાલ, ઉધમસિંહ નગર અને પૌડી સહિતના જિલ્લાઓમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે. અલગ-અલગ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 7 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ એટલે કે SDRF, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.172થી વધુ રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર પ્રભાવિતભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં 172થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પિથોરાગઢ, નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લામાં કેટલાક મહત્વપૂર્ણ હાઇવે પણ અસરગ્રસ્ત થયા છે. અનેક સ્થળોએ પહાડ પરથી ભારે માત્રામાં કાટમાળ અને પથ્થરો રસ્તા પર આવી ગયા હોવાથી વાહનવ્યવહાર અટકી ગયો છે.બંધ રસ્તાઓને ફરી શરૂ કરવા માટે જેસીબી અને અન્ય ભારે મશીનરીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ છે. જોકે સતત વરસાદને કારણે રાહત કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.ગૌલા અને ખકરા નદીઓમાં વધ્યું જળસ્તરસતત વરસાદ બાદ હલ્દ્વાની વિસ્તારમાં ગૌલા નદીમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધી રહ્યો છે. નદીમાં અંદાજે 27 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉધમસિંહ નગરના કિચ્છા, પુલભટ્ટા, શાંતિપુરી અને સૂર્યનગર જેવા વિસ્તારોમાં લોકોને નદીથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા લાઉડસ્પીકર મારફતે લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિને કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક બજારોના કામકાજ પર પણ અસર પડી છે.ખટીમામાં પરિવારોને ખસેડવામાં આવ્યાખટીમાના વનગાંવ વિસ્તારમાં ખકરા નદીનું જળસ્તર વધતાં બે ડઝનથી વધુ પરિવારો પાણી ભરાવાની સમસ્યાથી પ્રભાવિત થયા છે. પ્રશાસન, SDRF અને પોલીસની ટીમોએ કેટલાક લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં પહોંચાડ્યા છે.રઘુલિયા પ્રાથમિક શાળાને અસ્થાયી રાહત કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવી છે. અહીં અસરગ્રસ્ત લોકોને ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.પૌડીમાં કરુણ ઘટના, માતા અને પુત્રીના મોતપૌડી જિલ્લાના કોટદ્વાર વિસ્તારમાં વરસાદ વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. સ્નેહ વિસ્તારમાં કોલ્હૂ નદી પાર કરતી વખતે દોઢ વર્ષની બાળકી અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. પુત્રીને બચાવવાનો પ્રયાસ કરતી તેની 26 વર્ષીય માતા પણ નદીના પ્રવાહમાં વહી ગઈ હતી. SDRF અને પોલીસની ટીમોએ શોધખોળ બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા.બાગેશ્વરમાં હાઇવે સહિત અનેક માર્ગો બંધબાગેશ્વરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે NH-109 સહિત 16 મોટર માર્ગો બંધ થઈ ગયા છે. રસ્તો બંધ થતાં બસ, ટેક્સી અને અન્ય વાહનો લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા. દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા. નૈનીતાલ જિલ્લામાં પણ કોસી અને શિપ્રા નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે રાજ્યમાં આગામી સમયમાં પણ સતર્ક રહેવાની જરૂર છે.આ પણ વાંચો: Weather Update: રાજધાની દિલ્હીથી લઇને બંગાળ સુધી વરસાદી માહોલ, પહાડો પર લેન્ડસ્લાઇડનો ખતરો વધ્યો

Read Full Story arrow_forward
Ahmedabad News : તંત્રની લોલમલોલથી જીવ ગુમાવતાં બચ્યા અમદાવાદીઓ! ગુપ્તા નગર પાસે ધડામ દઈને પડ્યો સિગ્નલનો થાંભલો...
calendar_today September 2, 2026

Ahmedabad News : તંત્રની લોલમલોલથી જીવ ગુમાવતાં બચ્યા અમદાવાદીઓ! ગુપ્તા નગર પાસે ધડામ દઈને પડ્યો સિગ્નલનો થાંભલો...

અમદાવાદના ગુપ્તા નગર ચાર રસ્તા પર આજે એક મોટી હોનારત થતાં થતાં ટળી ગઈ છે. દૈનિક સમય મુજબ ચાલુ વાહન વ્યવહાર વચ્ચે અચાનક જ રસ્તા કિનારે આવેલો ટ્રાફિક સિગ્નલનો ભારેખમ થાંભલો કડાકાભેર ધરાશાયી થયો હતો. જે સમયે આ થાંભલો પડ્યો ત્યારે રોડ પરથી અનેક વાહનચાલકો પસાર થઈ રહ્યા હતા. થાંભલો અચાનક વચ્ચે રોડ પર તૂટી પડતાં જ વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.બે વાહનચાલકોનો આબાદ બચાવ, સદનસીબે જાનહાની નહીંઆ દુર્ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ રહ્યા કે આટલી મોટી ઘટના છતાં કોઈ જાનહાની નોંધાઈ નથી. સિગ્નલનો થાંભલો બરાબર બે વાહનચાલકોના માથા પર જ પડવાની તૈયારીમાં હતો, પરંતુ સદનસીબે માત્ર સેકન્ડોના તફાવતે તેઓ આગળ નીકળી જતાં થોડા માટે બચી ગયા હતા. જો થાંભલો સીધો વાહનચાલકો પર પડ્યો હોત તો મોટો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રસ્તા પરથી થાંભલો બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.મ્યુનિસિપલ તંત્રની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલોઆ ઘટના બાદ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારના વાવાઝોડા કે ભારે વરસાદ વગર જ અચાનક આટલો મોટો સિગ્નલ પોલ કેવી રીતે તૂટી પડ્યો તે અંગે સ્થાનિક મ્યુનિસિપલ તંત્ર અને મેન્ટેનન્સ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોનું આક્ષેપ છે કે તંત્ર દ્વારા સમયસર થાંભલાઓનું ચેકિંગ અને જાળવણી કરવામાં આવતી નથી, જેના કારણે આવા અકસ્માતોનું જોખમ વધે છે.આ પણ વાંચો : Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી

Read Full Story arrow_forward
Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?
calendar_today September 2, 2026

Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?

ગુજરાતના નાના-મોટા શહેરોમાં લારી-ગલ્લાથી લઈને કેટલીક નાની હોટેલોમાં સસ્તો અને નકલી ટામેટાં સોસ વાપરવાનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.ફૂડ સેફ્ટી વિભાગના દરોડામાં અવારનવાર આ વાત સામે આવતી રહે છે કે જેને આપણે સ્વાદિષ્ટ સમજીને ખાઈએ છીએ, તેમાં ટામેટાંનો એક પણ ટુકડો હોતો નથી.આ ફેક્ટરીઓ ફૂડ લાયસન્સ વગર કે રહેણાંક વિસ્તારોમાં નકલી નામે ચાલતી હોવાથી માત્ર ચોક્કસ બાતમીના આધારે જ પકડાય છે.વળી, માલ પકડાય ત્યારે દંડની રકમ નફાની સરખામણીએ ખૂબ ઓછી હોવાથી,આ નફાખોરીનું બજાર અટકવાનું નામ નથી લેતું. ગ્રાહકો સસ્તા ફાસ્ટ ફૂડની ડિમાન્ડ કરે છે જે આ નકલી બજારના ટર્નઓવરને સતત વેગ આપે છે. નકલી સોસનું વાર્ષિક 200 કરોડનું બજારઆ નકલી સોસના લાલ બજારનું અંદાજિત ટર્નઓવર, પ્રોફિટ માર્જિન અને નફાખોરીનું ગણિત ખૂબ જ સરળ છે.એકલા ગુજરાતના આઠ મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભુજ, મહેસાણા સહિત અન્ય નગરોના ખાણીપીણી બજારો, હાઈવેના ધાબા અને લારી-ગલ્લાઓનો દૈનિક વપરાશ જોતાં આ નેટવર્ક ઘણું મોટું છે.ગુજરાતનાં અંદાજિત ટર્નઓવરની વાત કરીએ તો રાજ્યભરમાં દરરોજ હજારો લીટર નકલી સોસ બનાવાય છે.માત્ર ગુજરાત પૂરતું જ આ નકલી સોસનું બજાર વાર્ષિક અંદાજે 150થી 200 કરોડનું હોવાનું મનાય છે.લાખો રૂપિયાની કમાણી ટેક્સ ચૂકવ્યા વગર જો આખા દેશના મેટ્રો સિટીઝ અને નાના શહેરો ગણીએ તો આ નકલી કલર-કેમિકલ સોસનું માર્કેટ 1500થી 2 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે.નકલી સોસનું બજાર ત્રણ સ્તરે કરોડોની કમાણી કરે છે તેમાં પ્રથમ નંબરે મેન્યુફેક્ચરર્સનો આવે છે.તેઓ કોઈપણ બ્રાન્ડ નેમ વગર અથવા માર્કેટની પ્રખ્યાત બ્રાન્ડના નામે જ નકલી સ્ટીકરો લગાવીને માલ વેચે છે. રૂપિયા 5 માં તૈયાર થતો લીટર સોસ તેઓ હોલસેલરને 15 રૂપિયામાં આપે છે.રોજનું 5 હજાર લીટર પ્રોડક્શન કરનારી નાની ફેક્ટરી પણ દર મહિને લાખો રૂપિયાની કમાણી ટેક્સ ચૂકવ્યા વગર રોકડીથી કરે છે.કમિશન મેળવીને દર મહિને મોટું ટર્નઓવર રળે છેશહેરોના જથ્થાબંધ અનાજ-કરિયાણા માર્કેટ અથવા શાકભાજી માર્કેટની આસપાસ બેસતા કેમિકલ વેપારીઓ આ સસ્તો સોસ સીધો લારી-ગલ્લાવાળા સુધી પહોંચાડે છે.તેઓ જથ્થાબંધ કમિશન મેળવીને દર મહિને મોટું ટર્નઓવર રળે છે.સામાન્ય રીતે ગ્રાહક ભુજિયા,સમોસા,પફ કે ચાઈનીઝ ખાતી વખતે સોસના અલગ પૈસા આપતો નથી.લારીવાળા માટે સોસ ફ્રી કોમ્પ્લીમેન્ટરી હોય છે.જો લારીવાળો રોજનો 5 કિલો અસલી સોસ વાપરે તો તેને 600નો ખર્ચ થાય.તેના બદલે આ નકલી સોસ વાપરવાથી તેનો રોજનો ખર્ચ માત્ર 100 થાય છે.આમ લારીવાળો સોસના નામે રોજ સોસ દીઠ 500 બચાવે છે આમ મહિને 15 હજારની સીધી બચત/નફો થાય છે.રાજયના મુખ્ય વપરાશ કેન્દ્રોઅમદાવાદનો માણેકચોક, સુરતનો ખાઉગલી કે રાજકોટ-વડોદરા, જામનગર, ભુજ, જૂનાગઢના લારી-ગલ્લા. અહીં મળતા ભુજીયા, સમોસા, પકોડા, ચાઇનીઝ (નુડલ્સ/મંચુરિયન), પફ, સેન્ડવીચ અને વડાપાઉં સાથે આ સોસ ગ્રાહકોને ફ્રીમાં અને અમર્યાદિત માત્રામાં પીરસવામાં આવે છે.આ પણ વાંચોઃ Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી

Read Full Story arrow_forward